Home Blog

બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આવતી કાલે મતદાન, પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી સામગ્રી રવાના

બોડેલી તાલુકાની 26 ગ્રામ પંચાયત અને 16 પેટાચૂંટણીને લઇ આવતી કાલે સવારે મતદાન શરુ થશે ત્યારે તાલુકાના 62 મતદાન મથકો પર સબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ મતપેટી સહીતની જરૂરી સામગ્રી લઇ મતદાન મથકો પર જવા રવાના થયા છે બોડેલી તાલુકાની 26 ગ્રામ પંચાયત અને 16 પેટા ચૂંટણી માટે આવતી કાલે સવારથી મતદાન શરુ થશે ત્યારે સરપંચ પદ માટે 95 ઉમેદવાર વોર્ડ માટે 245 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે ત્યારે ચૂંટણી સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ સજ્જ છે આ ચૂંટણીમાં 310 જેટલા કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે તદુપરાંત 10 ટકા જેટલા રિઝર્વ સહીતના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જયારે 200 જેટલા પોલીસ જવનાઓ અને હોમગાર્ડ આ ચૂંટણીમાં બંદોબસ્તમાં જોડાયા છે તદુપરાંત ચૂંટણી અધિકારીઓ ચૂંટણી રૂટ પર બાજ નજર રાખશે આજે બોડેલી તાલુકા સેવાસદન ખાતે મતદાન મથકોના કર્મચારીઓને મતદાન યાદી, મતપેટી સહીતની જરૂરી ચીજવસ્તુઓ સાથે અધિકારીઓ અને કર્મીઓ પોલીસના બંદોબસ્ત સાથે મતદાન મથક પર જવા રવાના થયા છે પરિણામે તમામ કર્મી સાંજ સુધી મતદાન મથકો પર પોંહચી આવતી કાલે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા ચાલુ કરાવશે

શિહોદ પાસે આવેલ ભારજ નદીમાં યુવક ડૂબ્યો, શોધખોળ ચાલુ

બોડેલી તાલુકાના વાઘવા ગામે રહેતો યુવક ભારજ નદીમાં ન્હાવા જતા પાણીમાં ડૂબ્યો હતો બનાવને લઇ એનડીઆરએફ ની ટીમે યુવકે શોધખોળ હાથ ધરી છે જો કે યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી બોડલી તાલુકાના વાઘવા ગામે યુવક ભારજ નદીમાં ડૂબ્યો હોવાની વિગતો સામે આવી છે વાઘવા ગામે રહેતો રમેશભાઈ મનસુખભાઈ નામનો યુવક નદી તરફ ગયો હતો અને રમેશ નદીમાં ન્હાવા પડ્યો હતો જો કે પાણીના વહેણમાં ડૂબવા લાગ્યો હતો આ બનાવની જન આસપાસના લોકોને થતા લોકો એકત્ર થયા હતા બનાવની જાણ થતા તંત્ર દોડી આવ્યું હતી અને એનડીઆરએફ ની ટિમ યુવકની શોધખોળ હાથ ધરી છે આ લખાઈ રહ્યું છે ત્યારે ઘણા પ્રયાસો છતાં રમેશનો કોઈ લાગ્યો નથી

બોડેલીના ઉચાપાન ગામમાં સરપંચ પદના ઉમેદવારે મતદારોને પ્રલોભન આપ્યું, જુઓ સમગ્ર અહેવાલ

બોડેલી તાલુકા ગ્રામ પંચાયત અને પેટાચૂંટણીનું ચૂંટણીનું આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે બોડેલી તાલુકાના ઉચાપાન ગામનો વિડિઓ સામે આવ્યો છે જેમાં મતના બદલામાં મતદારને સરપંચ પદના ઉમેદવારે પ્રલોભન આપી છે આ વાઇરલ વિડિઓની જાણશે ગુજરાત પુષ્ટિ નથી કરતુ

બોડેલી તાલુકાની ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીનું આવતી કાલે સવારે મતદાન શરુ થશે ત્યારે ઉમેદવારે મતદારોને પ્રલોભન આપતો હોવાનો વિડિઓ વાઇરલ થયો છે આ વિડિઓ બોડેલી તાલુકાના ઉચાપાન ગામનો વિડિઓ હોવાનું અનુમાન લગાવામા આવી રહ્યું છે વાઇરલ વીડિયોમાં મતદાનની રિઝવવામાં માટે અને મતના બદલામાં મતદારને સરપંચ પદના ઉમેદવારે સાડી અને રોકડ રકમ સાથ કાગળની કાપલી અપાઈ રહી છે જયારે પુરુષ મતદારોને મટન આપવા માટે કાગળની કાપલી આપવામાં આવી રહી છે આ વિડિઓ સમગ્ર જિલ્લામાં વાઇરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આચાર સંહિતા લાગુ હોઈ છતા સરપંચ પદના ઉમેદવારે પ્રલોભન આપ્યું છે ત્યારે હવે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું… ઉપરોક્ત વાઇરલ વિડિઓની જાણશે ગુજરાત પુષ્ટિ કરતુ નથી

પાવીજેતપુર: ભારજ નદી પરના ડાયવર્ઝનમાં ભુવો પડ્યો, વાહન વ્યવહાર બંધ કરાયો

છોટાઉદેપુર જિલ્લાના શિહોદ વિસ્તારમાં આવેલ ભારજ નદી પર 4 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા ડાયવર્ઝન પર ગાબડું પડ્યું છે જેને લઇ વાહન વ્યવહાર બંધ કરાયો છે સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા અને જિલ્લામાં વરસાદી માહોલને લઇ ભારજ નદીમાં પાણીની આવક થઇ છે જેના કારણે ડાયવર્ઝનમાં ભુવો પડ્યો હતો

તદુપરાંત બાંધવામાં આવેલા ક્રેશ બેરિયરનો થાંભલો ખુલ્લો પડી ગયો હતો જો નદીમાં પાણીની આવકમાં વધારો થાય તો ડાયવર્ઝનને મોટુ નુકશાનથાય તેવી શક્યતા સેવાઈ રહી છે તો બીજી તરફ હવે ડાયવર્ઝનની ગુણવત્તા પર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ડાયવર્ઝન પર ગાબડું હોવાની જાણ વહીવટી તંત્રને થતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન સ્થળ પોહચ્યાં હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ડાયવર્ઝન મુલાકાત લીધી હતી અને સ્થળ મુલાકાતે આવેલા નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી જયારે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ ડાયવર્ઝનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યો હતો તો વધુમાં કામગીરને લઇ યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી

ડાયવર્ઝન પર ભુવો થતા જિલ્લાની જનતાને અંદાજે 30 કિલોમીટરનો ચકરાવો લેવો પડી શકે છે, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહનોની અવરજવરમાં ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જયારે યોગ્ય સમારકામ અને મજબૂતી કરણના પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

જયારે સ્થળ પર પોહચેલા નેશનલ હાઇવેના અધિકારી સાથે મીડિયા વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે અધિકારીએ મીડિયા સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો

રિપોર્ટ આવ્યા બાદ ડાયવર્ઝન ચાલુ રાખવું કે બંધ તે અંગે નિર્ણય લેવાશે

ડાયવર્ઝનનું અમુક ઢાળનું ધોવાણ જોવા મળ્યું છે ત્યારે નેશનલ હાઇવે વાળા જયારે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને એનાલિસીસ પછી જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચર સ્ટેબલ છે કે કેમ પછી ડાયવર્ઝન ચાલુ રાખવું કે બંધ કરવાના છે આ ડાયવર્ઝન કરવામા આવ્યુ છે અને જે જુના ડાયવર્ઝન છે તેની મારફતે લોકો જઈ શકશે, એનએચ રિપોર્ટ પછી આપણે નક્કી કરીશું શું કરવાના છે > ગાર્ગી જૈન -છોટાઉદેપુર જિલ્લા કલેકટર

બોડેલીના સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ

ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન ‘યોગ’ને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક ઉજવણી કરવામાં આવે છે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે તા.૨૧ જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,સાંસદ જશુભાઇ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કરવામાં આવી હતીમાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસે વિશાખાપટ્ટ્નમથી દેશવાસીઓને ઉદબોધન કર્યું હતું.જયારે રાજયકક્ષાના યોગ દિવસમાં માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર ખાતેથી પ્રજાને સંબોધન કર્યું હતું.બને કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વર્ષ ૨૦૨૫ની “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી.

યોગ પ્રત્યેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્યપ્રેમી બને. યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, બોડેલી પ્રાંત, બોડેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા.યોગ પ્રશિક્ષકોએ આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગ ક્રિયાઓ કરાવી હતી.

તાડાસન, ત્રિકોણાસન, પવનમુક્તાસન જેવી યોગની વિવિધ મુદ્રાઓ અને આસનો કરાવતી વખતે યોગ શિક્ષકો દ્વારા તે આસનથી થતા લાભો અને યોગ ક્રિયાઓનું શરીર માટે મહત્વ રસપૂર્વક યોગપ્રેમીઓને સમજાવ્યું હતું. યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવેલ હર્ષ પટેલ દ્વારા કાર્યક્રમમાં વિવિધ યોગ ક્રિયા અને યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.

બોડેલી: સીઝનમાં પહેલીવાર ઓરસંગ નદી પરનો જોજવા આડબંધ ઓવરફ્લો

ઉપરવાસ તેમજ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલને લઇ ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા છે ત્યારે બોડેલી તાલુકાના જોજવા ગામે ઓરસંગ નદી પર આવેલ આડબંધ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થતા નયન રમ્યા દ્રશ્યો સર્જાતા લોકો તેને નિહાળવા ઉમટી પડ્યા હતા

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જમ્યો છે ત્યારે ઉપરવાસ એટલે મધ્યપ્રદેશમાં પણ વરસાદના પગલે નદી નાળા કોતરોમાં પાણીથી છલકાયા છે જેથી જિલ્લાની જીવાદોરી સમાન અને લોકમતા ગણાતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવતા જોજવા ગામે આવેલ આડબંધ સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે જેને લઇ નયન રમ્યા દ્રશ્યો સર્જાતા આસપાસના લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા સર સયાજીરાવ ગાયકવાડના શાસનમાં આ વિસ્તારના ખેડુતો ને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે તે હેતુ થી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા પાસે આડ બંધ બનાવામાં આવ્યો હતો ત્યારે ઓરસંગ નદીમાં ઘોડાપુર આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં પાણીની અવાક થતા બે કાંઠે થઇ

ઉપરવાસ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલને લઇ બોડેલીની ઓરસંગ નદીમાં પાણીની ભારે અવાક થતા નદી બે કાંઠે વહેતી થઇ છે સીઝનમાં પહેલીવાર નદી બે કાંઠે થતા લોકો પાણીના પ્રવાહને જોવા માટે નદી કોનારે ઉમટી પડ્યા હતા

ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલને લઇ નદી, નાળા અને કોતરોમાં પાણીની ભારે આવક થઈ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં પાણીની ભારે અવાક થઇ છે જેને લઇ બોડેલી તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું છે જેથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઇ છે

સીઝનમાં પહેલી વાર નદીમાં ભારે ઘોડાપૂર આવતા તાલુકાવાસીઓ અને ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે જયારે પાણીના ધસ્મસતા પ્રવાહને જોવા માટે કેટલાક લોકો નદી કિનારે ઉમટી પડ્યા છે બોડેલી તાલુકામાં ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હોઈ ખેડૂતો નિશ્ચિત બન્યા છે

બોડેલી: લોકો દુર્ગંધથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા, જાણો આખો મામલો શું છે….

બોડેલીના વરસાદી હરખલી કોતરમાં ચાર ગ્રામ પંચાયતોએ ગેરકાયદેસર રીતે ગટર લાઇનો જોડી છે અને દૂષિત પાણી વરસાદી કોતરમાં નાખવામાં આવી રહ્યું છ જેનાથી કોતર પ્રદૂષિત થઈ રહી છે. જેથી આસપાસ રહેતા લોકોએ દુર્ગંધની ફરિયાદ કરી છે.

બોડેલી તાલુકાની ચાર ગ્રામ પંચાયતો – અલીપુરા, બોડેલી, ચાચક, અલીપુરા અને ઢોકલીયામાંથી પસાર થતી 2.4 કિમી લાંબી હરખલી કોતર ગાયકવાડ શાસનની છે અને તેનો ઉપયોગ વરસાદી પાણીના નિકાલ માટે થાય છે. વર્ષો પહેલા, લોકો આ કોતરના પાણીમાં કપડાં ધોતા અને સ્નાન કરતા હતા, પરંતુ ચાર ગ્રામ પંચાયતોએ ગેરકાયદેસર ગટર લાઇન જોડાણો દૂર કરીને આ ખીણને પોતાનો ભાગ બનાવી લીધો છે અને હવે ખીણમાં દુર્ગંધયુક્ત પાણી વહે છે અને હરખલી ખીણ વસ્તીની વચ્ચેથી પસાર થઈ રહી છે. કોતરની આસપાસ રહેતા લોકો આ દુર્ગંધથી પરેશાન છે અને દુર્ગંધયુક્ત પાણીને કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે અને મચ્છરજન્ય રોગોનો ભય છે. જ્યારે વરસાદી ખીણમાં કોઈપણ પ્રકારનું દૂષિત પાણી રેડવું ગેરકાયદેસર છે, હરખલી ખીણમાં દૂષિત પાણીમાંથી કોઈ પ્રકારનો ગેસ નીકળતો હોવાની ફરિયાદ ઉઠી છે હરખલી કોતર આસપાસ રહેતા લોકોના ઘરોમાં લગાવેલા રેફ્રિજરેટર અને એસી બે થી ત્રણ વર્ષમાં બગડી જાય છે.આખા ગામનું ગટરનું પાણી હરખલી કોતરમાં આવી રહ્યું છે. કુંભારવાડા , દિવાન ફળિયા , વર્ધમાન નગરની આસપાસના વિસ્તારોના લોકોએ દુર્ગંધની ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે અને તેમના માટે તેમના ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. આ ગટરના પાણીમાંથી કોઈ પ્રકારનો ગેસ બનતો હોઈ આ વિસ્તારના ફ્રીઝર અને એસી બે થી ત્રણ વર્ષમાં બગડી જાય છે અને તેમને બદલવા પડે છે.

બોડેલીના જબુગામ પાસે પવનથી વૃક્ષ તૂટીને પીકઅપ ગાડી પર પડ્યું, ચાલકનો બચાવ

બોડેલીમાં સાંજના સમયે પવન ફૂંકાયા બાદ અનેક સ્થળ પર ઝાડ ઘરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે ત્યારે જબુગામ પાસે એક પીકઅપ ગાડી પર ઝાડ પડતા ચાલકનો આબાદ બચાવ થયો હતો

બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં આજે શનિવારે સાંજના સમયે ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી માહોલ છવાયો હતો ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ઝાડ પાડવાના બનાવો સામે આવ્યા છે ત્યારે બોડેલી તાલુકાના જબુગામ એચપી પેટ્રોલ પંપ પાસે પીકઅપ ગાડી જઈ રહી હતી તે દરમિયાન અચાનક ગાડી પર ઝાડ પડ્યું હતું ઝાડ પાડવાની સાથે પીકઅપ ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો ઝાડ પાડવાના બનાવને લઇ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જયારે બનાવને લઇ બોડેલી પોલીસ ઘટના સ્થળે પોંહચી ટ્રાફિકને હળવો કર્યો હતો બાદમાં ક્રેન વડે ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી

પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા

*એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્વપૂર્ણ સૂચના

*મૃતદેહ સ્વીકારવા આવતા સ્વજનોએ પોતાની અને મૃતકની ઓળખ માટેના દસ્તાવેજો સાથે લાવવા જરૂરી

*સિવિલ હોસ્પિટલ દ્વારા PM રિપોર્ટ અને ડેથ સર્ટિફિકેટ સહિતના તમામ કાયદાકીય દસ્તાવેજોની ફાઈલ તૈયાર અપાશે

.*મૃતદેહને બાય એર લઈ જવા માટે એર ઇન્ડિયા મદદ કરશે – ફ્લાઇટના સમય બાબતે હોસ્પિટલ સાથે અગાઉથી સંકલન કરવું

અમદાવાદ ખાતે થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર દિવંગતોના પરિજનો પ્રત્યે સિવિલ હોસ્પિટલ તંત્ર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્લેન દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે 250 જેટલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સેવાભાવી સંસ્થાના કાર્યકરોની ટીમે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને ‘ગોલ્ડન અવર્સ’માં શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી હતી.આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને સંકલનને પરિણામે, તમામ ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપી શકાઈ છે. આ ઉપરાંત, DNA સેમ્પલ મેચિંગ જેવી સંવેદનશીલ કાર્યવાહી પણ ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી રહી છે.ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના સહયોગ અને સંકલનને કારણે DNA સેમ્પલ મેચિંગની કાર્યવાહી અત્યંત ઝડપથી આગળ વધી રહી છે.

જેના પરિણામે 9 DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ કરવામાં આવ્યા છે, અને તેમાંથી એક મૃતદેહની ઓળખ કરીને તેમના પરિજનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે.

DNA મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા નીચે મુજબ હાથ ધરવામાં આવશે, જેની સર્વે સંબંધિતોને નોંધ લેવા વિનંતી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના જે સગાએ DNA સેમ્પલ આપ્યા છે, તેમને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે.પરિજનોને વિનંતી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો નીચે મુજબ છે, જેનો ઉપયોગ પરિજનોનો સંપર્ક કરવા માટે કરવામાં આવી રહ્યો છે: 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875.

પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું?

શક્ય હોય ત્યાં સુધી, જે નજીકના સગાએ DNA સેમ્પલ આપેલ છે, તેમણે પોતે આવવું તે અત્યંત ઇચ્છનીય છે. જો તેઓ આવી શકે તેમ ન હોય, તો મૃતકના અન્ય કોઈ નજીકના કુટુંબીજન આવી શકે છે. પાર્થિવ દેહ સ્વીકારવા આવનાર સગાએ પોતાની અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. આવનાર સગા એ પોતાનું આધાર કાર્ડ અથવા સરકાર દ્વારા માન્ય અન્ય કોઈ ફોટો ઓળખપત્ર (અસલ) સાથે રાખવું. મૃતકનું ઓળખપત્ર: મૃતકનું આધાર કાર્ડ, પાસપોર્ટ, અથવા વોટર આઇડી કાર્ડ (અસલ અથવા નકલ) સાથે રાખવા. મૃતક સાથેનું સગપણ સાબિત કરતો દસ્તાવેજ સાથે રાખવો DNA સેમ્પલ આપતી વખતે નોંધાવેલો મોબાઇલ નંબર સાથે રાખવો.

મૃતકનો પાર્થિવ દેહ લેવા નજીકના સગામાની વ્યક્તિ પોતે ન આવી શકે અને અન્ય કોઈને મોકલે તો ઓથોરિટી લેટર સાથે મોકલવો હોસ્પિટલ દ્વારા અપાનારા દસ્તાવેજો:* પાર્થિવ દેહની સાથે જ, મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ તેમજ અન્ય લીગલ કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઈલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવશે. જો મૃતકની ઓળખ કે સગપણનો કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય, તો સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ આપના વિસ્તારની મામલતદાર, કલેક્ટર કે પ્રાંત અધિકારીની કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવું.ઉપરોક્ત દસ્તાવેજો સાથે મૃતકના સગાઓએ સિવિલ હોસ્પિટલના D2 બ્લોકની ઓફિસ સામે બનાવેલ કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જો હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી જણાય, તો જે નંબર પરથી આપને ફોન આવ્યો હતો, તે જ નંબર પર સંપર્ક કરવાથી સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.

પાર્થિવ દેહના પરિવહન માટેની વ્યવસ્થા

સ્થાનિક પરિવહન (બાય રોડ): જે પરિજનો પાર્થિવ દેહને બાય રોડ પોતાના નિવાસસ્થાને લઈ જવા ઈચ્છે છે, તેમના માટે સરકારી તંત્ર દ્વારા ઘર સુધી મૃતદેહ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પરિજનો પાર્થિવ દેહને અન્ય રાજ્ય કે દેશમાં હવાઈ માર્ગે લઈ જવા માંગતા હોય, તેમણે ફ્લાઇટના સમય અંગે અગાઉથી સંકલન કરવા વિનંતી છે. આ પ્રક્રિયામાં એર ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે.આ દુઃખદ સમયે રાજ્ય સરકાર મૃતકોના પરિવારોની સાથે છે અને શક્ય તમામ મદદ કરવા માટે કટિબદ્ધ છે