બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાયું

0
Spread the love

છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર તથા દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા ૫૦૦ જમા કરાવવા માટેની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવામાં આવે છે આ ઉપરાંત પણ જેની આર્થિક સ્થિતિ સારી નથી તેવા ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તે માટે ઘણા નિક્ષય મિત્ર સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ માં ૨૫ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય કચેરી બોડેલીના ઇન્ચાર્જ ટી.એચ. ઓ ડો. ભારતી ગુપ્તા, ડૉ. હિરલ સેંગાલ આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર તથા દિપક ફાઉન્ડેશન નાં આકાંક્ષા રાજપૂત એ ઉપસ્થિત લાભાર્થી ટીબીના દર્દીઓ ને ટીબી રોગના લક્ષણો, તેની જરુરી તપાસ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી , તાલુકા આરોગ્ય સુપરવાઈઝર ગૌરાંગ દરજી સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર ઈમ્તિયાઝ મેમણ, બોડેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here