ડભોઈમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન

0
Spread the love

ડભોઇ ખાતે રાજપૂત સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજે દશેરા પર્વ નિમિત્તે સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખો ડભોઇ હિરાભાગોળ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આં શોભાયાત્રા સૌર્ય પ્રદર્શન સાથે ડભોઇના માર્ગો ઉપર ફરી અડવાણી હોલ ખાતે શસ્ત્રપૂજા નોંકાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ડભોઇ નગર નાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના આગેવાન જોડાયા હતા.

ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં વસતા રાજપૂત સમાજ માટે આજે મહત્વનો દિવસ અસત્ય ઉપર સત્ય નો વિજય થયો હોય તે દિવસ એટલે દશેહરા આં દિવસે ક્ષત્રિય સમાજ અને રાજપૂત વંશજ નાં લોકો દ્વારા શસ્ત્રનું પૂજન કરી પરંપરા અને સંસ્કૃતિ ને યાદ કરી આં દિવસ ની ઉજવણી કરતા હોય છે ત્યારે ડભોઇ ખાતે પણ રાજપૂત સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ઉપક્રમે વિશેષ આયોજન દશેરા પર્વ ને લઈ કરવામાં આવ્યું હતું આં પ્રસંગે ડભોઇ હીરાભાગોળ નગર નાં કુળ દેવીના દર્શન કરી રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ના આગેવાનો બાઈક ઉપર સવાર થઈ સૌર્ય પ્રદર્શન સાથે જય ભવાની નાં નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નગર નાં રાજ માર્ગો ઉપર ફરી એસ.ટી ડેપો પાસે અડવાણી હોલ પહોંચી શસ્ત્રપૂજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ના યુવકો અને આગેવાનો જોડાયા હતા અને ઉત્સાહ સાથે આં દિવસ ની ઉજવણી કરી હતી.

રિપોર્ટર સલીમ ખલીફા, ડભોઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here