રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી મળ્યા નોટોના બંડલ

0
Spread the love

અમદાવાદ

આજરોજ શુક્રવારે 6 ડિસેમ્બર સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે. ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું છે. આ અંગે ગૃહમાં હોબાળો થવા પામ્યો હતો. જે મામલે સિંઘવી જણાવ્યું હતું કે હું તો 500ની એક નોટ લઈને સંસદ જઉં છું. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. તો સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો ખરેખર શુક્રવારે સભાપતિ જગદીપ ધનખડેએ જણાવ્યું હતું કે ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંઘવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરૂ પણ કરી દેવામાં આવી છે હોવાનું જગદીપ ધનખડેએ જણાવ્યું હતું. તો સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જે.પી.નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માગ કરી છે. ત્યારે નોટોનું બંડલ મળી મળી આવવાના મામલે નડ્ડાએ કહ્યું હતું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ નોટોના બંડલ મારા નથી. ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here