લોકોનું ધ્યાન વાળવા વડાપ્રધાન મોદી વારંવાર નહેરુને બદનામ કરે છેઃ કોંગ્રેસ

0
Spread the love

નવી દિલ્હી : કોંગ્રેસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે જવાહરલાલ નહેરૂની પ્રતિષ્ઠાને ખરડવાનો અને ઓછા ઓછો લોકતાંત્રિક વહિવટ એ એકમાત્ર તેમનો આદર્શ બની ગયો છે. વડાપ્રધાન મોદી પોતાની નિષ્ફળતાઓથી અને હાલ તેમની સમક્ષ ઉભા થયેલા પડકારો બાબતે તેમણે સાધી લીધેલા મૌનથી લોકોનું ધ્યાન બીજે વાળવા વારંવાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને બદનામ કરી રહ્યા છે. ભારતના બંધારણને પૂરાં થયેલા ભવ્ય 75 વર્ષના વિષય ઉપર સંસદમાં થયેલી ચર્ચા દરમ્યાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. જેનો કોંગ્રેસે વળતો જવાબ આપ્યો હતો. ફ્રાન્સના પ્રખર વિચારક વોલ્તેરે કહ્યું હતું કે જો ઇશ્વર અસ્તિત્વ ના ધરાવતા હોય તો આપણે તેમને શોધી કાઢવા જરૂરી બનશે, સમાન રીતે જો નહેરૂ અસ્તિત્વ ના ધરાવતા હોત તો આપણને તેમની શોધ કરવાની ફરજ પડી હોત એમ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું.

કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે આપણા વડાપ્રધાનને નહેરૂના વળગણની જે બિમારી લાગી છે તે નહેરૂ ના હોત તો આપણા વડાપ્રધાન શું કરત? આપણા વડાપ્રધાન માટે પોતાની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન બીજે વાળવા નહેરૂ જરૂરી બન્યા છે. આપણા વડાપ્રધાન સમક્ષ હાલ જે પડકારો ઉભા થયા છે તેના પગલે તેમણે જે હોઠ સીવી લીધા છે તેનાથી લોકોનું ધ્યાન બીજે વાળવા તેમના માટે નહેરૂ જરૂરી બની ગયા છે એમ રમેશે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે 2014 પહેલાં આ દેશે જે જે સિદ્ધિઓ હાંસલ કરી તેનો ઇન્કાર કરવા માટે પણ નહેરૂ જરૂરી બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here