છોટાઉદેપુર: બોડેલીને નગરપાલિકાનો દરજ્જો ક્યારે મળશે ? 

0
Spread the love

•મુખ્યમંત્રી વહેલી તકે બોડેલીને નગર પાલિકા જાહેર કરે તેવી લોકોની માંગ 

  • •બોડેલી નગર પાલિકા જાહેર થાય તો આર્થિક અને સામાજિક વિકાસને વધુ ગતિને વેગ મળશે 

છોટાઉદેપુર જિલ્લાના મધ્યમાં આવેલ બોડેલી તાલુકાનો એક એવો વિસ્તાર કે જે શહેર જેવો ભલે લાગતો હોય પણએ ગ્રામીણ વિસ્તારની ગણવામાં આવે છે કારણ કે 

બોડેલી,અલીખેરવા, ચાચક, અને ઢોકલીયા આમ ચાર પંચાયતોમાં વહેંચાયેલ છે. જેથી સીમાંકનને લઈ પંચાયતના સરપંચો ઊભી થતી અસુવિધાઓને લઇ એક બીજાને ખો આપી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે ચાર ગામના લોકો પંચાયતોને મર્જ કરી એક નગરપાલિકા બનાવવામા આવે જેથી તો વિકાસને વેગ મળે તેમ છે 

ગત વર્ષ 2013 માં વડોદરા જિલ્લામાંથી છુટો પાડી રાજ્યના છેવાડાના આ વિસ્તારને છોટાઉદેપુર જિલ્લાની બિરૂદ મળતું હતું. આ જિલ્લાને મધ્યમાં આવેલ બોડેલી ગામ જે જિલ્લાની આર્થિક રાજધાની છે પરંતુ આ વિસ્તારનો વધુ વિકાસ એટલા માટે રૂંધાય રહ્યો છે કે બોડેલી ,અલીખેરવા, ચાચક, અને ઢોકલીયા આમ ચાર ગામ એક બીજામા સમાવિષ્ટ હોવા છતાં ચાર ગામની પંચાયત અલગ અલગ છે. કેટલાક વિસ્તારમા એક મકાન એક દુકાન છોડી પંચાયત બદલાય છે. કેટલાક વિસ્તારોમા તો ત્રણ પંચાયતોની સરહદો પણ આવેલ છે. જેને લઇ સીમાંકનને લઈ સવાલ ઊભા થાય છે. જેનો ભોગ લોકોને બનવું પડતું હોય છે. ચાર પંચાયતોમાંથી પસાર થતી કુદરતી કાંસની સફાઈ પણ કરાતી નથી જેને લઇ ચોમાસામાં વરસાદી પાણી લોકોના ઘરોમા ભરાઈ જતાં ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે. ખુલ્લામાં વહેતી ગટર ગંગાને લઈ લોકો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ  પોકારી ઉઠ્યા છે. પીવાના પાણીની વાત હોય સફાઈની વાત હોય લાઈટ કે પછી રસ્તાની વાત હોય જવાબદારી કોઈ પણ પંચાયત લેવા તૈયાર નથી થતી. આવી તો અનેક સમસ્યાનો સામનો અલગ અલગ પંચાયતોમાં રહેતા લોકો વેઠી રહ્યા છે. પરંતુ લોકોને સરપંચો બાઈ બાઈ ચાયણી કરાવતા હોઈ તેમ લાગી રહ્યું છે 

ચાર પંચાયતોમાંથી પસાર થતી કુદરતી કાંસમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો હવે તેમાં ચાર પંચાયતોના ગંદા પાણીનો નિકાલ થઈ રહ્યો છે. જ્યાં થી જે કાંસ પસાર થાય છે ત્યાં બે બાજુએ અલગ અલગ ભાગ પડી ગયા છે અને અલગ અલગ ગામની સરહદો બની જતા રહીશો મૂંઝવણ અનુભવી રહ્યા છે. 

છોટાઉદેપુર જિલ્લાની મધ્યમાં આવેલ બોડેલી તાલુકાની અલીપુરા ચોકડી કે જેની ચાર દિશા માં ચાચક, અલીખેરવા , ઢોકલીયા અને બોડેલીની અલગ અલગ પંચાયત આવેલી છે મધ્ય પ્રદેશ, મહારાસ્ટ્ર, રાજસ્થાન તરફ જવું હોય તો આ ચાર પંચાયતની મધ્યમાં આવેલ  અલીપુરા ચોકડી પાસે થી પસાર થવે પડે છે ચાર જિલ્લા ને જોડતા આ ચાર રસ્તાને લઈ ટ્રાફિકનો સતત ઘસારો રહેતો હોઇ છે ટ્રાફિકને કંટ્રોલ કરવા પોલીસને સતત તૈનાત પણ રહેવું પડે છે જે નજારો જોતાં મોટું શહેર કે નગર લાગે પણ આ વિસ્તારને નહિવત વિકાસનો લાભ મળ્યો છે .અલિખેરવા ગ્રામ પંચાયત પાસે તો પોતાનું મકાન પણ નથી. 

આ ચાર પંચાયતમાં સૌથી મોટી પંચાયત બોડેલી કે જેની અંદાજે 18000ની વસતી છે આટલી મોટી વસ્તી ધરાવતા ગામમા સરકારી હોસ્પિટલ પણ નથી અહીના લોકોને આરોગ્ય સેવા લેવી હોઇ તો બે કિમી દૂર આવેલ અલીખેરવા ગામે જવું પડે. ચાચક અને ઢોકલીયા ગામના લોકોને પણ આજ દવાખાને આવવું પડે. આ ગામના લોકો પ્રાથમિક સુવિધાને લઈ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.  

અલીખેરવાની ગામની વસતી લગભગ 15000 થી વધુ છે  અહી પણ વિકાસની જંખના લોકો રાખી રહ્યા છે ગંદકી અને રોડ રસ્તાનો અભાવ જોવાઈ રહ્યો છે અલીખેરવાના કેટલાક વિસ્તારોમાં તો વર્ષોથી નવા રસ્તા બન્યા નથી 

ઢોકલીયા ગામની વસતી લગભગ 5000 ની છે ત્રણ પંચાયતનું ખુલ્લી ડ્રેનેજ લાઈનોનું પાણી આ વિસ્તારમાંથી જ વહી રહ્યું છે દુર્ગંધ અને મચ્છરો થી લોકો પરેશાન છે અને વર્ષો થી ઠેર ઠેર તૂટી ગયેલા રસ્તા છે આ વિસ્તારના લોકો પણ ઢોકળીયા પંચાયતમાં તેમણે પડતી હાલકીને લઈ રજૂઆતો કરે છે પણ કોઈ નિકાલ આવતો નથી

ચાચક પંચાયતની જો વાત કરવામાં અંદાજે લગભગ 4000 ની વસતી છે ગામમાં રોડ રસ્તાનો બિલકૂલ અભાવ છે ગ્રામ્ય વિસ્તાર હોવાનો પુરે પૂરો એહસાસ અહીં જોવાઈ રહ્યો છે આમ તમામ પંચાયતોની વસ્તી અંદાજે 40000 થી પણ વધુ હોવા છતાં કેટલાક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત છે 

જેને લઇ ગામના કેટલાક સમજુ લોકોનું કહેવું છે કે ગ્રામ પંચાયતના સરપંચો પોતાના હોદ્દાને સાચવી રાખવા માટે નગર પાલિકા બને તેવું ઇચ્છતા નથી નેતાઓને પણ નગર પાલિકા બને તેમાં રસ નથી જોવાતો કેટલાક લોકો એ નગર પાલિકા બને તે માટે વર્ષો પહેલા ચળવળ ચલાવી હતી સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી હતી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીને પણ ગામના અગ્રણી ઓ એ મળી ને રજૂઆત કરી હતી.  પણ આજદિન સુધી નગર પાલિકાનો દરજ્જો આ વિસ્તારને મળ્યો નથી સમજુ લોકોનું માનવું છે કે નગર પાલિકા બનાવવામાં આવે તો આ ગ્રાન્ટમાં વધારો થાય અને આ વિસ્તારનો વિકાસ થાય 

જોકે હવે ખુશીના સમાચરાએ કહી શકાય કે તંત્ર તરફથી પંચાયતના સરપંચોના રિવ્યુ લેવામા આવી રહ્યા છે અને હવે સરપંચોને પણ કહેવું પડી રહ્યું છે કે નગર પાલિકા બને તો અમને વાંધો નથી પણ અમારી ટર્મ પૂરી થવા દેવામા આવે 

ભલે ગ્રામ પંચાયતના સરપંચો નગર પાલિકા માટે સહમતી આપે કે ના આપે પણ સરકાર આ વિસ્તારને નગર પાલિકાનું બિરૂદ આપે તેવી ગામના લોકોની માંગ છે

નગર પાલિકા બને તો સરપંચને કોઈ વિરોધ નથી 

બોડેલી, ઢોકલીયા, અલીખેરવા અને ચાચક આમ ચાર પંચાયત ભેગી મળી નગરપાલિકા બનાવવાની ચર્ચા ચાલે છે નગર પાલિકા બને તો સરપંચને કોઈ વિરોધ નથી પરંતુ હાલમાં અમારો જે પંચાયતના સરપંચ તરીકે ચાર્જ ત્રણ વર્ષ છે પણ બીજા બે વર્ષ મળી જાય અમે એવું વિચારીએ છે પછી સરકાર તે પગલાં લે. આછી આગળની કાર્યવાહી જે પણ થાય અમને વાંધો નથી બોડેલીના પ્રાંત અધિકારી બહેન સાથે મીટીગ હતી અમે લાભ અને નુકસાન આ બે વિશે ચર્ચા કરી હતી > મહેશ બારીયા સરપંચ ઢોકલીયા ગ્રામ પંચાયત 

ભવિષ્યમાં બોડેલી એક સારું ક્ષેત્ર ઉભરી આવશે 

નગર પાલિકાની મુહિમ વર્ષોથી ચાલે છે અહીંના આગેવાનો અને રાજકીય આગેવાનો નાના મોટાથી પાઇ તમામ વ્યક્તિઓ તેવું ઈચ્છી રહ્યા છે અહીં ઔદ્યોતિક રીતે સારી ક્રાંતિ છે વિસ્તારનો વિકાસ વધુ વિકાસ માટે જરૂરિયાત હોઈ તો નગર પાલિકા બને તો ખૂબ સારું આયોજન અને ભવિષ્યમાં બોડેલી એક સારું ક્ષેત્ર ઉભરીને આવી શકે આ બનવાથી બીજા જે વિસ્તારો આવરી લેવામાં આવે તો ઘણી બધો ફાયદો આ શહેરને થાય આ શહેર દિવસે દિવસે ખૂબ વિકાસ કરે છે મુખ્યમત્રી જે તે વખતે હતા નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે પણ આગેવાનોએ રજૂઆત કરી છે > લલિત ચંદ્ર રોહિત – સિનિયર વકીલ 

પંચાયત એક બીજાને ખો આપી રહ્યા છે 

ગંદકી વર્ષોની છે એક ઢોકલીયા પંચાયતનું નાળું છે એક તરફ બોડેલી સરહદ છે વર્ષોની આ સમસ્યા છે જેથી કરી આનું જલ્દી ઉકેલ આવે નગર પાલિકા બને તો જલ્દી નિકાલ આવે ગંદકીના કારણે રોગચાળો ફેલાઈ છે નાળું બંધ થવું જોઈએ ચોમાસામાં ફૂલ પાણી આવે છે નાળાને બંને સાઈડ ખુલ્લું છે ઢોકલીયા પંચાયત વાડા બોડેલી પંચાયત વાડા ઢોકલીયા પંચાયત સાફ કરવાની વાત કરે છે પણ થતું નથી> હર્ષદ પ્રજાપતિ – સ્થાનિક 

ડેપ્યુટી કલેક્ટર સાથે મિટિંગ મળી હતી 

ડેપ્યુટી કલેક્ટર સાહેબની રૂબરૂમાં જે મીટીગ થઈ હતી તમામ પંચાયતના સરપંચોને બોલવામાં આવ્યા હતા અને રિવ્યુ લેવામાં આવ્યા અને તેમાં બોડેલી નગર પાલિકા બને તો તેમ તમારો અભિપ્રાય શું તે અભિપ્રાયમાં તમામ સરપંચોને સહમતિ કે આ નગર પાલિકા બને તો અમને કોઈ વાંધો વિરોધ નથી આ નગર પાલિકા બને તો અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના જે ગામો છે નાના રોજમદાર માણસો છે તેવા લોકોને વેરો ડબલ થયા તો ભરી શકાય તેમ નથી અમારી તટર્મ પૂરી થયા પછી આ નક્કી કરશે તો અમેબધા સરપંચો આવકારીએ છે > વી.ડી રાઠવા – સરપંચ પતિ – અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત 

Editor & Owner: Salman Memon

Published By : Janshe Gujarat Digital Team

Reported By : Imtiyaz Memon

જાણશે ગુજરાત દ્વારા સૂચના આપવામાં આવે છે કે અમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવેતા સમાચારો જો કોઈપણ સમાચારપત્રો તેમજ વેબ પોર્ટલ અને કોઈપણ જાતની મેગેઝીન અમને જાણ કર્યા વગર અમારા સમાચારોનો ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ કોપીરાઈટનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

લી.
તંત્રીશ્રી,
જાણશે ગુજરાત સાપ્તાહિક અખબાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here