છોટાઉદેપુર: પાણીપુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ, પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ

0
Screenshot
Spread the love

બોડેલી

છોટાઉદેપુરમાં પાણીપુરવઠા વિભાગની અક્ષમ્ય બેદરકારી સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના તાડકાછલા પાસે પાણી પુરવઠા લાઇનમાં ભંગાણ થવાના લીધે પાણીનો પુષ્કળ વેડફાટ થઈ રહ્યો છે.


વિભાગની બેદરકારીના લીધે હજારો લિટર પીવાનું પાણી રીતસર વેડફાઈ રહ્યુ છે. હાઇવે પર પાણી ઉડવાના લીધે રસ્તા પર જતાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.પાણીપુરવઠા વિભાગની આ પ્રકારની બેદરકારીએ તેના પાઇપલાઇનના કામકાજ સામે સવાલ સર્જયા છે. પીવાની પાણીની પાઇપલાઇનમાં આ પ્રકારનું ભંગાણ પડે અને હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થાય તેની જવાબદારી કોણ લેશે, આ પાણી વેડફાતુ બંધ ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે.

Editor & Owner: Salman Memon 

Published By : Janshe Gujarat Digital Team 

Reported By : Imtiyaz Memon 

જાણશે ગુજરાત દ્વારા સૂચના આપવામાં આવે છે કે અમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવેતા સમાચારો જો કોઈપણ સમાચારપત્રો તેમજ વેબ પોર્ટલ અને કોઈપણ જાતની મેગેઝીન અમને જાણ કર્યા વગર અમારા સમાચારોનો ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ કોપીરાઈટનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

લી.
જાણશે ગુજરાત ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here