દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના, ક્રેન પડતાં 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત

0
Spread the love

એજન્સી, અમદાવાદ

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર એક દુ:ખદ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા છે. બુધવારે એક જેટી કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેન પડતાં આ અકસ્માત થયો હતો. જેમાં બે કામદારોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ત્રીજાનું હોસ્પિટલમાં મોત થયું હતું.
જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત સી બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેન દ્વારા કચડાઈ જવાથી બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
મૃતકોના નામ
જીતેન્દ્ર ગોબરીયા ખરાડી (ઉ.વર્ષ 30)
નિશાંતસિંહ રામસિંહ (ઉ.વર્ષ 25, રહે.રતનપુર, ફુરખાબાદ,યુપી)
અરવિંદકુમાર મુરારીલાલ નગલા (ગંજડુડવાલા, યુપી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here