કચ્છ જિલ્લાના ભુજમાં સાયબર ક્રાઈમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ પોસ્ટ કરનાર આરોપીની ધરપકડ કરી છે. આ ધરપકડ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ કરવામાં આવી છે જે દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા માટે જોખમી છે. મળતી માહિતી મુજબ, ભુજના સંજોગ નગરના રહેવાસી અનીસ બાબિદ અલી ભાને તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાકિસ્તાનના સમર્થનમાં એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. આરોપીની આ પોસ્ટથી લોકોમાં મૂંઝવણ તો ઉભી થઈ જ, પરંતુ તે ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર અને રાષ્ટ્રવિરોધી લાગણીઓ ફેલાવવાનો પણ પ્રયાસ હતો.પોલીસના જણાવ્યા અનુસાર, આ સ્ટેટસ તે સમયે પોસ્ટ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ‘ ઓપરેશન સિંદૂર’ હેઠળ હવાઈ હુમલો કરવામાં આવ્યો ત્યારે બંને દેશો વચ્ચે સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિમાં, આરોપી દ્વારા કરવામાં આવેલી પોસ્ટને દેશની આંતરિક સુરક્ષા અને એકતા માટે ગંભીર ખતરો માનવામાં આવતો હતો. આ કેસમાં, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ, ભુજ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 152 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભારતનાં “ઓપરેશન સિંદૂર” ની સફળતાને બોડેલીના નગરજનોએ આવકારી વિજયોત્સવ મનાવ્યો

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર ભારત દેશ આ બનાવથી શોકમગ્ન બન્યો ત્યારે આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પુણે ભરી નીતિ અને યોજના સાથે ભારતીય સૈન્ય એ વીરતા અને બહાદુરી પૂર્વક ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર એટેક કરી એમને નષ્ટ કરવામાં આવ્યા અને ઓપરેશન સિંદૂર ને સફળતાપૂર્વક પાર પાડતા આજે સમગ્ર ભારત દેશમાં ખુશીની લહેર પ્રસરી છે. પાકિસ્તાનને આજે ભારતીય સૈન્યની તાકાત નો પરચો બતાવી દીધો છે

ત્યારે આ ખુશીમાં સહભાગી થવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર રામચોક ખાતે બોડેલીનાં હિન્દુ સંગઠનનાં અગ્રણીઓ દિપકભાઈ વિજયવર્ગીય, રાજુભાઈ શાહ, અજીતસિંહ લાકોડ, જીગ્નેશ ચોકસી, નીરજ ઠક્કર, વિજયસિંહ રાઠોડ, અશ્વિનભાઈ શાહ, જૈમિત પાઠક વિગેરે સાથે નગરજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભારતીય સેનાની વીરતા બહાદુરી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની કુનેહભરી નીતિની પ્રશંસા કરી પાકિસ્તાન મુર્દાબાદ… , હિન્દુસ્તાન જિંદાબાદ…, ભારત માતાકી જય.. ભારતીય સેના જિંદાબાદ ના નારા સાથે ઢોલ નગારાના તાલે નાચી ઝુમી પાકિસ્તાનના ઝંડાને સળગાવી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી ની શિરોલાવાલા હાઇસ્કુલનું ઐતિહાસિક પ્રશંસાપાત્ર પરિણામ : શાળાના બે વિદ્યાર્થીઓ જિલ્લામાં પ્રથમ નંબરે આવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં જાહેર થયેલ પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબર બોડેલીની શેઠ એચ. એચ.શિરોલાવાલા હાઇસ્કુલ નાં વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે ખત્રી જૈનબબાનું જમીલ ભાઈ અને બીજા નંબરે રાઠવા હર હિમાંશુકુમાર દેવેન્દ્રભાઈ એ મેળવી બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલ નું નામ રોશન કર્યું જ્યારે જિલ્લામાં ત્રીજા નંબરે બીએપીએસ સ્કૂલ બોડેલી ના વિદ્યાર્થી રાઠવા સોહમ કુમાર વિજય કુમારે મેળવી બોડેલીની બીએપીએસ વિદ્યાલય નું નામ રોશન કર્યું.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માર્ચ 2025 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનાં પરિણામો આજે જાહેર કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લા નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 62.11% આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય સ્થાને બોડેલીની સુપ્રસિદ્ધ એવી શેઠ એચ.એચ શિરોલાવાલા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓએ મેળવી શિરોલાવાલા હાઇસ્કુલ નું નામ રોશન કર્યું છે જેમાં શાળાની વિદ્યાર્થીની ખત્રી જૈનબબાનું જમીલભાઈએ કુલ 650 માંથી 595 માર્કસ મેળવી 99.55 પર્સન્ટાઈલ રેન્ક સાથે 91.54 ટકા પ્રાપ્ત કરી એ ટુ ગ્રેડ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જ્યારે શાળાના વિદ્યાર્થી રાઠવા હિમાંશુકુમાર દેવેન્દ્રભાઈએ કુલ 650 માંથી 569 માર્કસ મેળવી 98.02 પર્સન્ટાઈલ રેન્ક સાથે 87.54 ટકા પ્રાપ્ત કરી એ ટુ ગ્રેડ સાથે જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી જ રીતે બોડેલીનાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી બીએપીએસ સ્કૂલ બોડેલી ના વિદ્યાર્થી રાઠવા સોહમકુમાર વિજયકુમાર એ કુલ 650 માંથી 547 માર્કસ મેળવી 95.51 પર્સન્ટાઈલ રેન્ક સાથે 84.15 ટકા મેળવી સમગ્ર જિલ્લામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાનાં ચાલુ વર્ષે આવેલા સારા પરિણામ પાછળ શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર , શિક્ષણ નિરીક્ષક કે. બી. પાચાણી તેમજ કચેરીના અન્ય અધિકારીઓ દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકો સાથે વખતો વખત ની ઓનલાઇન તેમજ ઑફલાઇન બેઠકો સાથે તેઓને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિર્મિત “દીવાદાંડી” યુ ટ્યુબ ચેનલના માધ્યમથી જિલ્લાના સ્થાનિક વિષય શિક્ષકો દ્વારા અઘરાં મુદ્દાઓના વિડીયો બનાવીને પોસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે “દીવાદાંડી ” નામથી હેલ્પ લાઇન કચેરી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં તમામ વિષયોના શિક્ષકો, મનોવિજ્ઞાનના શિક્ષકો તેમજ દીકરીઓ માટે ખાસ મહિલા આચાર્યોના સંપર્ક નંબર આપવામાં આવ્યા હતા. કચેરીના અધિકારીઓને શાળાઓ સોંપવામાં આવી હતી, જ્યાં તેઓ રૂબરૂ મુલાકાત લઈને આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં હતાં. નજીકની શાળાઓના જૂથ બનાવીને એકબીજાની કાર્ય પદ્ધતિ, વિચાર વગેરેનું આદાન પ્રદાન કરવામાં આવતુ હતું. માન. ક્લેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને વિજ્ઞાન પ્રવાહની શાળાઓનાં આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રીતે જિલ્લાની સમગ્ર શિક્ષણ જગતની ટીમ દ્વારા સંયુક્ત પ્રયાસોથી સફળતા પ્રાપ્ત થઈ છે.ઉપરોક્ત ત્રણેય વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર સહિત બોડેલી શિરોલાવાલા હાઇસ્કુલ નાં કાયમી ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલા તેમજ બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંતોએ અભિનંદન પાઠવી તેઓની આગળની કારકિર્દી પણ ઉત્તમ બને તેવી શુભેચ્છાઓ પાઠવી છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી બોડેલીની શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈ સ્કૂલનાં આચાર્ય સુરેશભાઈ પટેલે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલનું પરિણામ 78.63 % આવ્યું હોવાનું જણાવી તેઓની સાથે વિજ્ઞાન પ્રવાહના તમામ શિક્ષકોએ શાળાનું નામ રોશન કરનાર ઉપરોક્ત જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓ સાથે શાળામાં અને બોડેલી કેન્દ્રમાં 93.05 પર્સન્ટાઈલ રેન્ક મેળવી 81.84% સાથે બી વન ગ્રેડ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી રાઠોડ જયરાજસિંહ મહિપતસિંહ સહિત શાળામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ખત્રી જૈનબબાનુંએ પોતાને મળેલ સફળતા પાછળ શાળાના શિક્ષકો અને માતા પિતાની મહેનત અને વિશ્વાસ હોવાનું કહી તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર બની સમાજની મહિલાઓની સેવા કરવાનો ધ્યેય હોવાનું જણાવ્યું હતું.
બોડેલી સહીત તાલુકા માં વાવાઝોડા સાથે વરસાદ થતા વીજળી ડૂલ થતા અંધાર પટ ની સ્થિતિ સર્જાઈ.
બોડેલી તાલુકાના વિસ્તારમાં સોમવાર ની મોડી સાંજે વાતાવરણ માં આવેલા અચાનક પલટા ને કારણે તોફાની પવન ફૂંકાતા ધૂળ ની ડમરીઓ ઉડી હતી .અનેક જગ્યા એ વૃક્ષ ધરસાઈ થઇ થઇજવા ના બનાવ બન્યા હતા. હવામાન વિભાગ દ્વારા હવામાન માં પલટો આવશે અને વાવાઝોડા સાથે કમોશમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી જેને કારણે છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા ના વિવિધ વિસ્તાર માં સોમવાર ની સાંજ પછી ભર ઉનાળે વાતાવરણ માં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળ ની ડમરીઓ ઉડતા અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા તો અનેક જગ્યા એ વૃક્ષ ધરાસઈ થઇ ગયા ના બનાવ બન્યા હતા તો ક્યાંક આંખે આખુ સોલાર પેનલ ધાબા પર થી ઉડીને નીચે વૃક્ષ પર લટકાઈ ગયું હતું જેને કારણે મોટા પ્રમાણ માં નુકસાન થવા પામ્યું હતું.અને વીજળી ના કડાકા ભડાકા વચ્ચે વરસાદ શરૂ થતા બોડેલી સહીત વિસ્તાર માં અંધારપટ ની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદ બાદ ઠંડો પવન ફુકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.રહીશો ને ગરમી થી છુટકારો મળ્યો હતો
બોડેલીના રતનપુર થાણા (સાગદરા) ગામે વીજળી પડતા બે ભેંસોનું મોત
બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે બોડેલીના રતનપુર થાણા (સાગદરા) ગામે ઘર પાસે બાંધેલી ભેંસ પર આકાશી વીજળી પડતા 2 ભેંસના મોત થયા છે
બોડેલી તાલુકામાં ગઈકાલે સાંજના સમયમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો બાદમાં અચાનક બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે બોડેલીના રતનપુર થાણા (સાગદરા) ગામે વીજળી પશુ પર વીજળી પડી હોવાનો બનાવ બન્યો છે ગામમાં રહેતા નાયકા વસંતભાઈ ભીખાભાઈ ના ઘર પાસે બેસો બાંધેલી હતી ત્યારે અચાનક આકાશી વીજળી પડતા બે ભેસનું મોત થયું છે પશુ દવાખાનાની ચિકિત્સકની ટીમ પશુઓના પી.એમ માટે સ્થળ પર પોહચી હતી જયારે આ કમોસમી વરસાદ ખેડૂતો અને પશુપાલકો માટે આફત રૂપ સાબિત થયો છે
ગુજરાતના 11 જિલ્લામાં કમોસમી વરસાદની ચેતવણી, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે.ગત સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ, અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. અમદાવાદના પશ્ચિમી વિસ્તારોમાં નારોલ લાંભા, ઘાટલોડિયા, પ્રહલાદનગર સહિત કરા સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ ભાગના ઘણા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઉપરાંત ગાંધીનગરના માણસામાં 0.94 ઇંચ, નડિયાદમાં 0.87 ઇંચ, વડોદરામાં 0.79 ઇંચ, દિયોદરમાં 0.75 ઇંચ, સોજિત્રામાં 0.75 ઇંચ, ભાવનગરમાં 0.67 ઇંચ, કપડવંજમાં 0.63 ઇંચ, વસોમાં 0.63 ઇંચ, ધોળકામાં 0.59 ઇંચ, મહેસાણામાં 0.39 ઇંચ, બાયડમાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યના ૪૯ તાલુકાઓમાં એક ઇંચ કે તેથી ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આજે સાંજથી આગામી ત્રણ કલાક માટે આગાહી પણ આપી છે. આમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, મોરબી, પંચમહાલ, વડોદરા અને બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે, 6 મે થી 9 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. જોકે, આ પછી હવામાન બદલાઈ શકે છે.
શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ સતત છઠ્ઠા વર્ષે હસક HSC ના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં મોખરાના સ્થાને
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ફેબ્રુઆરી – માર્ચ 2025 ની HSC બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં પાવીજેતપુર તાલુકાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનું HSC નું 100 ટકા પરિણામ મેળવી ફરી એક વાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે. જેને લઇને શાળા સંચાલક મંડળના આધસ્થાપક મોહનસિંહ રાઠવા પ્રમુખ રણજીતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બોર્ડની પરીક્ષામાં ઝલહળતા પરીણામ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિઓને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુકાની શાહિદ શેખ તથા શિક્ષકો ને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં પ્રતિક રાઠવા 620 ગુણ મેળવી પ્રથમ ક્રમે પરમેશકુમાર રાઠવા 594 ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને જયેશ રાઠવા 560 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરેલ છે
બોડેલી ખત્રી વિદ્યાલયમાં ધોરણ 12 નું 100 % પરિણામ સાથે જિલ્લામાં અગ્રેસર
બોડેલીની ખત્રી વિધાલયમાં ધોરણ 12 માં 100% પરિણામ આવ્યું છે.બોડેલી તાલુકામાં પ્રથમ અને દ્વિતિય નંબર પણ આજ શાળાના વિદ્યાર્થીઓએ મેળવી તાલુકા અને જિલ્લામાં અગ્રેસર રહ્યા છે.જેમાં પ્રથમ નંબરે મન્સૂરી સોફિયાબાનું સાજીદભાઈ 98.36 પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ છે.(બોડેલી તાલુકામાં પણ પ્રથમ) જ્યારે બીજો નંબર મન્સૂરી મો.અનસ મુસ્તાકભાઈ 94.75 પર્સેન્ટાઈલ (બોડેલી તાલુકામાં દ્વિતિય) અને ત્રીજા નંબરે શેખ મો.અયાન ફારુકભાઈ 93.67 પર્સેન્ટાઈલ રેન્ક મેળવી શાળા સમાજ અને બોડેલી ગામનું નામ રોશન કર્યું છે.ત્રણેય વિધાર્થીઓ વાણિજ્યિક પ્રવાહ માં C.A. , C.M.A. I.C.W.A. વગેરે ક્ષેત્રે પોતાની કારકિર્દી કંડારવાની ઈચ્છા વ્યક્ત કરેલ છે .શાળાના આચાર્ય યુ.વાય.ટપલા તથા શાળા પરિવારે તેઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી

બોડેલીમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત

બોડેલીમાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત રહી છે વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે બોડેલીના મુખ્ય બજારોમાં નડતર રૂપ દબાણોનો સફાયો બીજા દિવસે હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો
બોડેલી, ઢોકલીયા અને અલીપુરા વિસ્તારમાં દુકાનદારો દ્વારા પોતાની દુકાનોની બહાર માલ-સમાન, દુકાનોની છતો અને ઓટલા કાઢી દબાણો કરવામાં આવ્યા હતા જેને લઇ ઉપરોક્ત વિસ્તારોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા બની હતી આ બાબતે પંચાયતો દ્વારા નડતરરૂપ દબાણો અંગે નોટિસ પાઠવામાં આવી હતી જો કે દુકાનદારો દ્વારા કોઈ કામગીરી ન કરતા બોડેલીના પ્રાંત અધિકારી, મામલતદાર, બોડેલી તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સહીતના અધિકારીઓ, કર્મીઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપરોક્ત વિસ્તારોમાં જીસીબી અને ટ્રેકટરો સાથે અલગ ટિમો બનાવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે ઉપરોક્ત વિસ્તારોમાં આજે સોમવારે બીજા દિવસે પણ બોડેલીના બજારોમાં દબાણોનો વહીવટી તંત્ર દ્વારા દબાણકારો પર તવાઈ બોલાવી હતી જેને લઇ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો
બોડેલી – હાલોલ રોડ પર હજુ દબાણો યથાવત
બોડેલીમાં બે દિવસમાં દબાણોનો સફાયો કરાયો છે પરંતુ અનેક વિસ્તારોમાં દબાણો યાથવત હોવાનો ગણગણાટ સામે આવ્યો છે બોડેલીના બોડેલી – હાલોલ રોડ પર દબાણો હજુ યથાવત છે જેને લઇ લોકોમાં અનેક ચર્ચાઓ જાગી છે તંત્ર દ્વારા બોડેલી – હાલોલ રોડ પર દબાણો ક્યારે દૂર કરશે હવે તે જોવું રહ્યું
યુગાન્ડામાં ગુજરાતી ઉદ્યોગપતિનું અકસ્માતમાં મોત, જાણો કોણ છે
રાજીવ રૂપારેલિયાઆફ્રિકાના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ યુગાન્ડાના ઉદ્યોગપતિ અને ગુજરાતી મૂળના સુધીર રૂપાલિયાના પુત્ર રાજીવ રૂપાલિયાનું શનિવારે (૩ મે)ના રોજ અકસ્માતમાં મોત થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે (૩ મે) રાજીવ રૂપારેલિયા લંડનથી એક નજીકના મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર ફ્લાયઓવર પાસે કામચલાઉ કોંક્રિટ બેરિયર્સ સાથે અથડાઈ ગઈ. બાદમાં કાર પલટી ગઈ અને આગ લાગી ગઈ. આ દરમિયાન રાજીવ રૂપારેલિયા પોતાને બચાવી શક્યા નહીં અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.35 વર્ષીય રાજીવ રૂપારેલિયા સમગ્ર રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતા. તેઓ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ અને ફાઇનાન્સ ક્ષેત્રોમાં આફ્રિકામાં ફેલાયેલા છે. તેમણે તાજેતરમાં જ તેમના કામકાજનું આધુનિકીકરણ કર્યું છે અને યુગાન્ડામાં હજારો નોકરીઓનું સર્જન કર્યું હતું.નોંધનીય છે કે રાજીવના પિતા સુધીર રૂપારેલિયાનું નામ પણ આફ્રિકાના 50 સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે, જેમાં ભારતીય મૂળના લોકો પણ શામેલ છે. ધીર રૂપારેલિયા યુગાન્ડાના સૌથી ધનિક વ્યક્તિ છે અને આફ્રિકાના સૌથી ધનિક પુરુષોમાંના એક છે, જેમની કુલ સંપત્તિ લાખોમાં છે.