Home Blog Page 15

બ્રેકિંગ: ભુજના કેરા નજીક ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત, 5 થી વધુના મોત

ભુજ-મુન્દ્રા રોડ પર કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મીની લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 5 થી વધુ લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેનરને ઓવરટેક કરવા જઈ રહેલી મીની બસ ઝાંખા કડા પાસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં કન્ટેનર સાથે અથડાયા બાદ બસનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને મૃતદેહો રસ્તા પર વિખેરાઈ ગયા હતા. મીની બસમાં 40 લોકો સવાર હતા. પછી બપોરે આ ભયંકર અકસ્માત થયો. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા.
અક્સ્માત માં મુત્યુ પામેલા ની નામ યાદી

આશિફ ફરીકમામદ માજોઠી (ઉં.વ.22), રહે-અમનનગરી કેમ્પ એરિયા ભુજ

કુલસુમબેન મામદહુશેન સમા (ઉં.વ.50), રહે- શાહ મુરાદ બુખારી પીરની દરગાહની બાજુમાં મુંદ્રા

સાલે સચુ રાયશી (ઉં.વ.24), રહે-ભીંરડીયારા

શાહ આલમ ગુલામ મહંમદ (ઉં.વ.36), સજજપુર, ટાંડા આંબેડકરનગર ઉત્તરપ્રદેશ

બીજા મુત્યુ પામેલા લોકો ની ઓળખ બાકી

ચાંદોદના માંડવાની સીમમાંથી વર્ષો જુના વૃક્ષોનું કરાયેલ ગેરકાયદે નિકંદન

• તંત્રની બેજવાબદારી અને આંખ આડા કાન કરવાની નીતિનું પરિણામ

વન વિભાગની બેજવાબદારી અને આખ આડા કાન કરવાની નીતિનું પરિણામ જોવામળી રહ્યુ છે.ડભોઇ તાલુકા ના ચાંદોદના જુના માંડવા ગામની સીમમાંથી ૩૦થી૪૦ વર્ષથી અડીખમ ઉભેલા લીલાં વૃક્ષોનું નિકંદન કેટલાક દિવસથી થઈ રહેલ છે. લાખોના તોતિંગ વૃક્ષોના લાકડા સગે કરાતા હોવા છતાં તંત્ર નિદ્રામાં જોવા મળી રહેલ છે. ડભોઈ તાલુકાના ચાંદોદની આસપાસના નવા-જૂના માંડવા, શણોર, ફૂલવાડી, નંદેરીયા ભીમપુરા, કરનાળી જેવા ગામો અને સીમમાં વર્ષો જૂના ઇતિહાસને સંઘરી બેઠેલા જોગી સમ તોતિંગ વૃક્ષોના જતન અને તેને સુરક્ષિત રાખવા વન વિભાગ બેદરકાર રહેતાં વિરપ્નોને ઉઘાડે છોગ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. આવા તત્વો સામે નક્કર કાર્યવાહી નહીં થતાં જીવદયા અને પર્યાવરણ પ્રેમીઓ તંત્ર સામે શંકા સેવી રહ્યા છે.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર છેલ્લા કેટલાય દિવસથી ચાંદોદ પાસેના ફૂલવાડી નજીક ઓરસંગ નદી કાંઠે આવેલા જુના માંડવા ગામની સીમમાં ૩૦ થી ૪૦ વર્ષ જૂના અડીખમ ઉભેલા ખેર, આંબલી, લીમડો, સીમડો, હમડો, ગુંદો, ગોરાસામલી જેવા વૃક્ષોનું મોટા પાયે નિકંદન થઈ રહ્યું છે.સ્થાનિક પંચાયત, મામલતદાર તેમજ વન વિભાગ ને અંધારામાં રાખી કોઈપણ જાતની પરવાનગી વિના વેપારીએ સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી છેલ્લા કેટલાંક દિવસથી ટેમ્પો મારફતે લાખો ના તોતિંગ વૃક્ષોના લાકડા વગે કર્યા હતા.આ અંગે પર્યાવરણ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં વન વિભાગ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી ન કરાતા ચાંદોદમાં વૃક્ષ છેદનની અવિરત ચાલી રહેલી પ્રવૃત્તિ જોવા મળેલ છે. ડભોઇ મામલતદારને રિપોર્ટ સુપરત કરાયો શું આગળની તપાસ કરાશે !!

ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના જુના માંડવા ગામની સીમમાં થતા ગેરકાયદે વૃક્ષછેદન બાબતની જાણ થતાં વન વિભાગે સ્થળ પર જઈ સદર કામગીરી અટકાવી ટેમ્પોમાં ભરેલા લાકડા ખાલી કરાવી વેપારી જવાબ લીધો છે. વેપારી દ્વારા મોટા પ્રમાણમાં અન્ય સ્થળે ખસેડવામાં આવેલો મોટો જથ્થો તેમજ સીમમાં કટિંગ થઈને પડેલા લાકડાના જથ્થા સહિતની બાબતોનો સર્વે કરી ડભોઇ મામલતદારને રિપોર્ટ સુપરત કરાયો છે. જેથી આગળની તપાસની કાર્યવાહી થઈ શકે તેમ છે. ડભોઇ વન વિભાગ દોડતું થયું હતું. જુના માંડવાની સીમમાં આવી પહોંચેલા વન રક્ષક ચાલી રહેલા ગેરકાયદે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવી હતી અને એક આઇસર ટેમ્પોમાં ભરાતા લાકડા ખાલી કરાવી વેપારીનો જવાબ લેવાની કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો. અને તેઓએ આ અંગે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.

ફોટો લાઇન

ડભોઇ તાલુકાના ચાંદોદ પંથકના ગામોમાંથી મોટાપાયે વર્ષો જુના વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન થઈ રહ્યું હતું. જે ટેમ્પામાં ભરવામાં આવી રહેલતે ટેમ્પાને અટકાવાયો હતો.
જે ટેમ્પો તસવીરમાં નજરે પડે છે.
(તસવીર :બાલકૃષ્ણ શાહ -ડભોઇ)

ડભોઈના વોરવાડ સુંદરકુવા નો રસ્તો રમજાન પહેલા બનાવવા ની માંગ

ડભોઈ ના વોરવાડ સુંદર કુવા વોર્ડ નં ૪ મા ડ્રેનેજ ની કામગીરી અંશત: પુરી થઇ છે. પણ કોન્ટ્રાકટર ધ્વારા માટી કામ અને રોડ દુરસ્તી નુ કામ કરવામા આવતુન હોવાને લઈ આ વિસ્તારના રહીશોમા ડભોઇ નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે

ડભોઇ ના વોર્ડ નં ૪ માં ચૂંટાયેલા નગરસેવકોને આ વિસ્તારના રહીશો એ રજૂઆત કરી કે રમજાન માસ પહેલા આ વિસ્તારનો રોડ બને તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવેતો સારું પરંતુ આ વિસ્તારના નગર સેવકો ની રજુઆત કોન્ટ્રાક્ટર સાંભળતા નથી. આ વિસ્તાર ના રહીશો છેલ્લા ચાર માસ થી હેરાન પરેશાન થઈ રહેલ છે. તો શુ રમજાન માસ માં પણ હેરાનગતિ ચાલુ રાખવાની છે ? ભાજપ સૌનો સાથ , સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે સુસાસન નુ સુત્ર આપેલ.છે. ડભોઈ નગરપાલિકા ના સતાધીશો આ સુત્ર નુ પાલન કરે અને કોન્ટ્રાકટરના કાન આમળી વહેલી તકે રસ્તો ચાલુ કરાવે એવી લોકલાગણી ઉઠવા પામી છે. હવે રમજાન ની ઉલ્ટી ગણતરી ચાલુ થઇ છે ત્યારે નગરપાલિકા ના સતાધીશો કોન્ટ્રાકટર પાસે વહેલી તકે કામ પુરુ કરાવે એ જ લોક માંગ ઉઠવા પામી છે.

ડભોઇ ના વોરવાડ સુંદરકુવા વિસ્તારનો બિસ્માર રસ્તો ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે.

( તસવીર :બાલકૃષ્ણ શાહ- ડભોઇ)

કાયાવરોહણ ખાતે યુવા સંગઠન દ્વારા શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ

ડભોઈ

ડભોઇ તાલુકાના કાયાવરોહણ લકુલીશ મંદિરે દર વર્ષે શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે. સાંજે શિવજીકી સવારી સાથે ભગવાન શિવજી નો વરઘોડો કાઢવામાં આવશે. આ માટેની તડામાર તૈયારીઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલ છે.ગુજરાતનું કાશી ગણાતું એવું ડભોઈ તાલુકાનું તીર્થધામ કાયાવરોહણ ખાતે લકુલીશ ભગવાનનું મંદિર આવેલ છે. જ્યાં વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રીના દિવસે મેળામાં ખૂબ મોટી સખ્યામાં દૂર દૂર થી ભક્તો ઉમટી પડે છે અને લકુલીશ ભગવાનના દર્શન અમૂલ્ય લાવોલે છે. અને મહાશિવરાત્રીના દિવસે કાયાવરોહણ યુવા સંગઠન દ્વારા સાંજે ભગવાન શિવજી નો વરઘોડો જૂની પરંપરા મુજબ ગામમાં વાજતે ગાજતે નીકળે છે.

જેમાં અલગ અલગ વેશભુષા સાથે વરઘોડો કાઢવામાં આવે છે. કાયાવરોહણના યુવા સંગઠન દ્વારા શિવજીકી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો કાઢવામાં આવનાર છે. એ માટે યુવા સંગઠન દ્વારા તૈયારીઓ ચાલી રહેલ છે. દર વર્ષે ધામ ધુમ પૂર્વક લોકો આ શિવજીકી સવારી ના વરઘોડા માં ખુબ મોટી સંખ્યા માં જોડાય છે. મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ મંદિરના દ્વાર દર્શનાર્થે ખુલી જાય છે. આ દર્શનનો અમૂલ્ય લાભ લેવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ બેઠા છે.

તસવીર બાલકૃષ્ણ શાહ ડભોઇ

ગેર મેળામાં યોજાના સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ chhotaudepur.nic.in પરથી રજીસ્ટ્રેશન કરવું-જિલ્લા કલકેટર

0

છોટાઉદેપુર જિલ્લાના હોળીના મેળાઓમાં હોળીના ત્રીજા દિવસે તા.૧૬.૩.૨૫ ના રોજ કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર ”નો લોકમેળો યોજાય છે. આ મેળામાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદિ વિસ્તારના આદિવાસી  “ઘેરૈયા” પાંચ દિવસ આકરા ઉપવાસ કરી ગેર ઉઘરાવે છે.ગેરમેળાનું મુખ્ય આકર્ષણ લોકવાદ્યોના તાલ પર તાલબદ્ધ “ઘેરૈયા નૃત્ય” કરતા ઘેરૈયા છે. જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતમાં ગેર મેળા -૨૦૨૫ની પ્રેસ કોન્ફરન્સ કલેક્ટર કચેરીના વિ.સી. હોલ ખાતે યોજાઈ હતી.

આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાખી કરાવતા “ગેરમેળા”ને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃખલામાં મુકવાનો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

આ નવતર પ્રયાસની માહિતી આપતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે  સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ગેરમેળા” દરમિયાન ઘેરૈયા ટીમ હરિફાઇ,પરંપરાગત તિરંદાજી રમત સ્પર્ધા,ગિલોલ રમત સ્પર્ધા, પિઠોરા ચિત્ર હરિફાઇ,સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો,લોકગીતો અને નૃત્ય હરિફાઇ,ફોટોગ્રાફી હરિફાઇ, મીડિયા કવરેજ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગેરમેળામાં યોજાના સ્પર્ધાઓ જાણકારી આપતા કલકેટરએ કહ્યું કે, આ સ્પર્ધા ભાગ લેવા ઇચ્છુક  સ્પર્ધકોએ chhotaudepur.nic.in પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.આ રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૮.૨.૨૫ છે. તા.૧૦.૩.૨૫ના રોજ રામ ઢોલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના વિજેતાઓને તા.૧૬.૩.૨૫ના રોજ પ્રોત્સહાક ઇનામ આપવામાં આવશે.જ્યારે આદિવાસી પરંપરાગત તિરંદાજી અને ગિલોલની રમત હરિફાઇ તા.૧૫.૩.૨૫ અને તા.૧૬.૩.૨૫ના રોજ થશે. ઘેરૈયા ટીમ હરિફાઇ,પિઠોરા ચિત્ર હરિફાઇ,સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો,લોકગીતો અને નૃત્ય હરિફાઇ તા.૧૬.૩.૨૫ના રોજ થશે. ફોટોગ્રાફી હરિફાઇ તા.૧૬.૩.૨૫ના રોજ યોજાશે.મીડિયા કવરેજ હરિફાઇ તા.૧૧.૩.૨૫ થી શરૂ થશે અને તા.૨૦.૩.૨૫ના રોજ પૂર્ણ થશે.પ્રિન્ટ મીડિયામાં સમાચારપત્રમાં આવેલા સમાચાર,લેખ,ખાસલેખ, ફોટોસ્ટોરી,લેખનશૈલી અને મૌલિકતા પર ધ્યાન આપવામાં આવશે.ઇલેકટ્રોનિક મીડિયામાં ગેરમેળાના કવરેજને કેટલુ ફુટેજ મળે છે તે ધ્યાને લેવાશે.સોશિયલ મીડિયા પર લાઇક,ફોલો,રીચ જોવામાં આવશે.સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી વખતે #Germela2025 , #GujaratTourism અને #garvigujarat  લખવાનું રહેશે .ઘેરૈયા ટીમ હરિફાઇમાં સ્થાનિક ૨૬ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

જિલ્લા કલેકટરએ ગેરમેળામાં આવનાર સહેલાણીઓને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર પ્રસાયથી મળવાની સુવિધાઓ વિશે જણાવતા કહ્યું કે કવાંટના મુખ્ય બજારમાં  ૨૮ જગ્યાઓ પર આદિવાસી સમુદાયની ઝાખી કરાવતા ભીતચિત્રો દોરવામાં આવશે. આ ભીતચિત્રો દ્વારા કવાંટમાં આવનાર સહેલાણીઓને સ્થાનિક સંસ્કૃતિને  જાણી શકશે. ટ્રાયફેડ,ગુર્જરી અને ટીસીજીએલના સહયોગથી સ્થાનિક કલાકારોને પ્રોસાહન મળે તે માટે સ્થાનિક બનાવટની વિવિધ કલાકૃતિઓના વેચાણ માટે સ્ટોલ બનાવી વેચાણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સ્થાનિક વાનગીનો સ્વાદ માણી શકા તે માટે અલગ અલગ જગ્યા પર સ્ટોલ રાખવામાં આવશે. સહેલાણીઓને સ્થાનિક પરંપરાગત સંગીત વાદ્યોનું જીવંત પ્રસારણ માણી શકશે.સમગ્ર ગેર મેળા દરમિયાન સ્વચ્છતા,પીવાનું પાણી,સહેલાનીઓની બેઠક વ્યવસ્થા તેમજ પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.  

ન્યુઝીલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટના નામે છેતરપિંડી, 7 લોકો સાથે 70.90 લાખ રૂપિયાની છેતરપિંડી

0

અમદાવાદ

ગુજરાતના અમદાવાદના રહેવાસી 38 વર્ષીય જયદીપ નાકરાણીએ બે છેતરપિંડી કરનારાઓ સામે 70.90 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી દર્શિત પટેલ અને જયમીન પટેલે સાત લોકોને ન્યુઝીલેન્ડ વર્ક પરમિટ, રહેઠાણ અને નોકરીની વ્યવસ્થાના વચન આપીને લલચાવીને આ છેતરપિંડી કરી છે.
જયદીપ નાકરાણી તેની પત્ની સાથે મળીને અમદાવાદના વિજય ચોક પાસે ‘વિજહાલી અને અભિવ્યક્તિ કોમ્યુનિકેશન ફર્મ’ના નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે. આરોપ મુજબ, નવેમ્બર 2023માં જયદીપે ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદના ન્યૂ રાણીપમાં સ્થિત ‘માધવિસ બ્રિટિશ એકેડેમી’ની ન્યૂઝીલેન્ડ વિશેની જાહેરાત જોઈ. તેના માલિકો દર્શિલ પટેલ અને જયમીન પટેલ હતા. જયદીપ નાકરાણી દર્શિલ પટેલ અને જયમીન પટેલને મળ્યા. દર્શીલે કહ્યું હતું કે તેઓ પ્રતિ વ્યક્તિ 17 લાખ રૂપિયામાં ન્યુઝીલેન્ડમાં વર્ક પરમિટ, રહેઠાણ અને નોકરીની વ્યવસ્થા પૂરી પાડે છે, જેમાં ફ્લાઇટ ખર્ચ અલગથી ભોગવવો પડે છે.
જયદીપ નાકરાણીએ આત્મવિશ્વાસ સાથે તેના સંપર્કો તુષાર, વ્યોમ, વિશ્વા, નરેન્દ્ર, દ્રુપદ, વિવેક, બ્લેસી, જેઓ ન્યુઝીલેન્ડ જવા માટે રસ ધરાવતા હતા, તેમનો સોદો પૂર્ણ કર્યો. આ પછી દર્શિલ પટેલ અને જયમીન પટેલે આ સાતેય લોકો પાસેથી 70.90 લાખ રૂપિયા લીધા. આ પછી, બંને છેતરપિંડી કરનારાઓએ સાતેયને ન્યુઝીલેન્ડની ટિકિટ પણ આપી પરંતુ થોડા કલાકોમાં આ ટિકિટો રદ થઈ ગઈ. બાદમાં, બધાને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેઓ તેમના પૈસા પાછા માંગવા લાગ્યા.
બંને છેતરપિંડી કરનારાઓએ પૈસા પરત કરવાના મુદ્દાને ટાળવાનું શરૂ કર્યું. આ પછી, જયદીપ નાકરાણીએ ક્રાઈમ બ્રાન્ચમાં 70.90 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દર્શિલ પટેલ અને જયમીન પટેલ વિરુદ્ધ બીએનએસની કલમ 406,420, 114 હેઠળ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

પેપર લીક થવાના કારણે ઝારખંડમાં આ વિષયોની 10મા બોર્ડની પરીક્ષાઓ રદ

ઝારખંડ એકેડેમિક કાઉન્સિલ (JAC) એ ગુરુવારે ધોરણ 10 બોર્ડની પરીક્ષાના હિન્દી અને વિજ્ઞાન વિષયો રદ કરવાની જાહેરાત કરી. આ વિષયોના પેપર સોશિયલ મીડિયા પર લીક થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. JAC ના અધિકારીના જણાવ્યા અનુસાર, હિન્દીની પરીક્ષા 18 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, જ્યારે વિજ્ઞાનની પરીક્ષા 20 ફેબ્રુઆરીએ યોજાવાની હતી.
આ વિષયોની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે?
ઝારખંડ એકેડેમિક કાઉન્સિલે એક નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને અખબારોમાંથી મળેલી માહિતીના આધારે, 18 ફેબ્રુઆરીએ યોજાનારી હિન્દી (કોર્સ એ અને કોર્સ બી) પરીક્ષા અને 20 ફેબ્રુઆરીએ યોજાનારી વિજ્ઞાન પરીક્ષા રદ કરવામાં આવી છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ બંને વિષયોની ફરીથી પરીક્ષા પછીથી લેવામાં આવશે.
11 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે?
ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ 11 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને રાજ્યભરમાં કડક સુરક્ષા વચ્ચે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં આ બોર્ડ પરીક્ષાઓમાં લગભગ 7.84 લાખ વિદ્યાર્થીઓ બેઠા છે.
પરીક્ષાઓ બે શિફ્ટમાં ચાલી રહી છે
ધોરણ 10 ની પરીક્ષા પ્રથમ શિફ્ટમાં (સવારે 9.45 થી બપોરે 1 વાગ્યા સુધી) લેવામાં આવી રહી છે, જ્યારે ધોરણ 12 ની પરીક્ષા બીજી શિફ્ટમાં (બપોરે 2 થી સાંજે 5.15 વાગ્યા સુધી) લેવામાં આવી રહી છે.
ધોરણ 10 ની પરીક્ષામાં 4.33 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
રાજ્યભરમાં 1,297 પરીક્ષા કેન્દ્રો પર 4.33 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે 3.50 લાખ વિદ્યાર્થીઓ 789 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 12 ની પરીક્ષા આપશે.

“વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” – ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

•50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ

•ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને સુદ્રઢ કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ

•બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેઃ નમોશક્તિ એક્સપ્રેસ-વે તથા સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવાશે, દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરાશે

•વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાશેઃ શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાંકીય ફાળવણી

•ગરીબોને આવાસ માટે પીએમ આવાસ ગ્રામીણમાં અપાતી સહાય 1.70 લાખ રૂપિયા કરાઈ 

•આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30 હજાર કરોડની રકમ ફાળવાશે

•રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે અભૂતપૂર્વ 1622 કરોડનું પેકેજ જાહેર 

•બાળકોના પોષણ માટે રૂ. 8460 કરોડની બજેટ ફાળવણી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025-26ના વર્ષના ગુજરાતના બજેટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું”-ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવ્યું છે.

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા આ બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે.

આ માટે રૂ. 50 હજાર કરોડના પ્રાવધાન સાથે વિકસિત ગુજરાત ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે.

રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂ.3.70 લાખ કરોડના આ બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તૂલનાએ 21.8% નો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ  પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીએ ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવીટી માટે આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓને આવકારતા જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત માટે છ રિજીયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવશે. સુરત રિજન, અમદાવાદ રિજન, વડોદરા રિજન, રાજકોટ રિજન, સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજન અને કચ્છ રિજન એમ કુલ છ ગ્રોથ હબ બનાવવાનું આ બજેટમાં પ્રાવધાન છે. 

મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં કામોના આયોજનની ભૂમિકા આપી હતી. 

તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે. 

એટલું જ નહિ, સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાના પ્રાવધાન અંગે જણાવ્યું હતું કે આ માર્ગોના વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવીટી મળશે.

આ ઉપરાંત રાજ્યમાં પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે દાહોદ ખાતે નવા એરપોર્ટના નિર્માણની જાહેરાત તેમજ વડોદરા, સુરત, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના અપગ્રેડેશન દ્વારા એરકનેક્ટિવીટી સુદ્રઢ કરવાની બાબતને પણ મુખ્યમંત્રીએ વધાવી હતી. 

રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા માટે 2025ના સમગ્ર વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આ માટે સમગ્રતયા શહેરી વિકાસના બજેટમાં 40%નો વધારો કરીને વધુ 31 હજાર કરોડ રૂપિયા આ બજેટમાં ફાળવ્યા છે. આ સાથે જ નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે.

વડાપ્રધાનએ જળસંચય માટે કરેલા આહવાનને આગળ ધપાવવા માટે ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી ‘કેચ ધ રેઈન’ અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ દરેક વ્યક્તિને માથે પાકી છત હોય એવું સપનું સેવ્યું છે, તે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી સાકાર થઈ રહ્યું છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અપાતી સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દરેક લાભાર્થીને રૂ. 1 લાખ 70 હજારની સહાય આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.  

મુખ્યમંત્રીએ આદિજાતિના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટમાં વસવાટ કરતાં વનબંધુઓના વિકાસ માટે 30 હજાર કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. બજેટમાં ફાળવાયેલી આ રકમથી આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધા વધારવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યના મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ફિશરીઝ એટલે કે બ્લૂ ઇકોનોમીને વેગ આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. 

સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મત્સ્યોદ્યોગમાં અગ્રેસર છે અને મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે અભૂતપૂર્વ 1622 કરોડ રૂપિયાની માતબર રકમનું પેકેજ બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ દ્વારા માછીમારો માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને એક્સપોર્ટ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1612 કરોડ બજેટમાં ફાળવીને રાજ્યના ખેડૂતો અને ખેતીનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનના વેલ્યૂ એડિશન દ્વારા ખેડૂતની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રમોશન માટે આ બજેટમાં પ્રાવધાન છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં યુવાઓ, નારીશક્તિ અને બાળકોના પોષણ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. 

યુવાશક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા ચાર રિજિયનમાં આઈ-હબની સ્થાપનાને તેમણે આવકારી હતી. 

મુખ્યમંત્રીએ નારીશક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના ‘સખી સાહસ યોજના’ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સ્વ-સહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરંટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે. 

તેમણે કહ્યું હતું કે, ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ માટે ગત વર્ષના બજેટ કરતા 25 ટકાનો વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે. 

રાજ્યના આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષાની પણ દરકાર સરકારે કરી છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં આપવામાં આવતા વીમા સુરક્ષા કવચને બમણું એટલે કે બે લાખથી ચાર લાખ કરવામાં આવ્યું છે. આ વીમા કવચનો લાભ લગભગ 4 કરોડ 45 લાખથી વધુ લોકોને મળશે એમ પણ ઉમેર્યું હતું. 

તેમણે દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિવ્યાંગો માટેની પાત્રતા 80 ટકાથી ઘટાડીને 60 ટકા કરી છે. આના પરિણામે 85 હજારથી વધુ દિવ્યાંગો લાભાર્થી બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા યોગદાન આપવા પ્રેરિત કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમજ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી કનુભાઈ અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા. 

સુરતમાં અકસ્માતે મૃત્યુ, બિહારમાં અંતિમ સંસ્કાર, પછી ગે અને નગ્ન વીડિયો સંબંધિત હત્યાનું ચોંકાવનારું રહસ્ય ખુલ્યું

અમદાવાદ એજન્સી

ગુજરાતના કતારગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ વિસ્તાર સુરત જિલ્લામાં આવે છે. અહીં ભરતકામ યુનિટમાં કામ કરતા એક વ્યક્તિનું મૃત્યુ થયું. શરૂઆતમાં તેને અકસ્માત માનવામાં આવ્યો હતો. પોલીસે પણ તેને અકસ્માત માનીને કેસ નોંધ્યો હતો, પરંતુ જ્યારે એક સૂચના પછી તપાસ શરૂ થઈ ત્યારે એક ચોંકાવનારું રહસ્ય બહાર આવ્યું. તે એક આયોજનબદ્ધ હત્યાનો કેસ હોવાનું બહાર આવ્યું. આ યુવાનની હત્યા તેના ગે મિત્ર દ્વારા કરવામાં આવી હતી.
કતારગામ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી યુવક પીડિતાના અન્ય પુરુષો સાથેના સંબંધો અને પીડિતાના ફોનમાં તેમના જાતીય સંભોગના વીડિયોથી નારાજ હતો. તે આ વિડીયો ડિલીટ કરાવવા માંગતો હતો.
૮ ફેબ્રુઆરીના રોજ, ૨૪ વર્ષીય યુવક ભરતકામ યુનિટમાં નાઇટ ડ્યુટી પર હતો. તેના પાડોશમાં રહેતો તેનો મિત્ર એક ફેક્ટરીમાં કામ કરતો હતો. તે યુવાનને મળવા તેના યુનિટમાં ગયો. તેનો સાથી આવે તે પહેલાં, પીડિતાએ તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો અને તેને મશીન નીચે છુપાવી દીધો કારણ કે તે વિડિઓ ડિલીટ કરવા માંગતો ન હતો.
જ્યારે આરોપીએ વીડિયો ડિલીટ કરવા માટે ફોન આપવાનો આગ્રહ કર્યો ત્યારે પીડિતાએ ના પાડી દીધી. ત્યારબાદ આરોપીએ પીડિતનું રૂમાલ વડે ગળું દબાવી દીધું અને શરીરને મશીનમાં એવી રીતે મૂકી દીધું કે તે આકસ્મિક મૃત્યુ જેવું લાગે.
પોલીસની શંકા ટાળવા માટે, આરોપી પોતે પીડિતાને હોસ્પિટલ લઈ ગયો અને બિહારમાં તેના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી. તેણે આ બધું એટલા માટે કર્યું કે કોઈને તેના પર શંકા ન થાય.
કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બીકે ચૌધરીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ અમે તપાસ માટે પહોંચ્યા હતા. અમે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અમે મૃતકના પરિવારને મૃતદેહ સોંપ્યો, જેઓ તેને બિહાર લઈ ગયા. અમને મશીન નીચે એક મોબાઇલ ફોન મળ્યો જેમાં પીડિતનું ગળું દબાવવામાં આવ્યું હતું.

અમારી તપાસ દરમિયાન ઘણી શંકાસ્પદ બાબતો પ્રકાશમાં આવી. જ્યારે અમે મોબાઇલ ફોન તપાસ્યો, ત્યારે અમને શંકા ગઈ. તપાસ આગળ વધી અને અમે આરોપી સુધી પહોંચ્યા. જ્યારે આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે હત્યાનો ખુલાસો કર્યો.

ચૌધરીએ કહ્યું, ‘અમને પીડિતાના ફોનમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.’ અમને સીસીટીવી ફૂટેજમાં આરોપીની હરકતો પણ શંકાસ્પદ લાગી. યુનિટની સીડી પરની લાઈટ હંમેશા ચાલુ રહેતી હતી, પણ તે રાત્રે કોઈએ તેને બંધ કરી દીધી હતી. અમે બધા પુરાવા એકઠા કર્યા અને આરોપીની ધરપકડ કરવા માટે બિહાર એક ટીમ મોકલી, જે પીડિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી કારણ કે તે તેનો નજીકનો મિત્ર હતો. અમે તેને પકડીને સુરત લાવ્યા. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો.

આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તે બંને કતારગામ વિસ્તારમાં એક રૂમમાં સાથે રહેતા હતા અને સમલૈંગિક સંબંધમાં હતા. એકવાર બંને વચ્ચે ગાઢ સંબંધ હતો અને યુવકે એક વીડિયો બનાવ્યો, જે તેણીને પસંદ ન આવ્યો. આ ઉપરાંત, આરોપીને એ પણ ગમ્યું નહીં કે તેનો પાર્ટનર અન્ય પુરુષો સાથે સંબંધો ધરાવે છે. તેણે અગાઉ પીડિતાને મારી નાખવાની ધમકી આપી હતી અને તેના રૂમમેટ્સની સામે ઘણી વખત તેની સાથે ઝઘડો કર્યો હતો.

અમેરિકામાં ફરી એક મોટી વિમાન દુર્ઘટના, બે નાના વિમાનો અથડાયા, 2 લોકોના મોત

અમદાવાદ એજન્સી

અમેરિકામાં ફરી એકવાર એક મોટી વિમાન દુર્ઘટના બની છે. દક્ષિણ એરિઝોનામાં બે નાના વિમાનો હવામાં અથડાયા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ પહોંચી ગઈ. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ થઈ ગયું છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ની ટીમો અકસ્માતનું કારણ નક્કી કરવા માટે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ટક્સનના મારના પ્રાદેશિક એરપોર્ટ પાસે થયો હતો. ફેડરલ એર સેફ્ટી તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ટક્સનની બહારના મારાના પ્રાદેશિક એરપોર્ટ પર જ્યારે વિમાન અથડાયુ ત્યારે દરેક વિમાનમાં બે લોકો સવાર હતા. એક વિમાન કોઈ પણ ઘટના વિના ઉતરાણ કરતી વખતે આ અકસ્માત થયો, જ્યારે બીજું વિમાન રનવે પાસે જમીન પર પટકાયું અને તેમાં આગ લાગી ગઈ. મારના પોલીસ વિભાગે પુષ્ટિ આપી કે માર્યા ગયેલા બે લોકો વિમાનમાં હતા અને કહ્યું કે બચાવ કાર્યકરોને તેમને તબીબી સારવાર આપવાની તક મળી ન હતી.
આ વર્ષે આ વિમાન અકસ્માતો થયા હતા
2025 માં અમેરિકામાં આ પાંચમો વિમાન દુર્ઘટના છે. અગાઉ, અલાસ્કા, વોશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા અને ટોરોન્ટોમાં વિમાન અકસ્માતો થયા હતા. આ અકસ્માતોમાં 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સાત દિવસ પહેલા, એરિઝોનામાં એક વિમાન રનવે પરથી લપસી ગયું અને એક બિઝનેસ જેટ સાથે અથડાયું. અગાઉ, મોટલી ક્રૂ ગાયક વિન્સ નીલના ખાનગી જેટના બે પાઇલટમાંથી એકનું સ્કોટ્સડેલમાં મૃત્યુ થયું હતું. સ્કોટ્સડેલમાં વિમાન રનવે પરથી લપસી ગયું, એક બિઝનેસ જેટ સાથે અથડાયું અને વિસ્ફોટ થયો.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં વોશિંગ્ટનમાં અમેરિકન એરલાઇન્સના પેસેન્જર જેટ અને આર્મી હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 67 લોકોના મોત થયા હતા. આ અકસ્માત 2001 પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી ઘાતક વિમાન દુર્ઘટના હતો. આ પછી, 3 જાન્યુઆરીએ ફિલાડેલ્ફિયામાં એક વિમાન અકસ્માત થયો. તેમાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ જેટ ક્રેશ થયું. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા.