Home Blog Page 21

બોડેલીની શિવ ભારતી ઇંગ્લીશ મીડીયમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

બોડેલી: બોડેલી તાલુકામાં આવેલી શિવ ભારતી ઇંગ્લીશ મીડીયમ શાળામાં આજે શુક્રવારના રોજ વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 36 જેટલી કૃતિઓ શાળા કક્ષાએ તૈયાર કરવામાં આવી હતી. આજની સમસ્યાનું નિવારણ કરતી ઘણી બધી કૃતિઓ તેમજ ભવિષ્યમાં આવનારી કટોકટીની સમસ્યાઓનું નિવારણ કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે આવેલા છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવાએ બાળકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને આવા કાર્યક્રમો થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને બાળકો પોતાની સુષુપ્ત શક્તિઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સીઆરસી કો-ઓર્ડીનેટર નગીનભાઈ રાઠવા ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

વિરોધનો અંત : તરગોળ પ્રાથમિક શાળાના ચાર દિવસ બાદ દરવાજા ખોલી દેવાયા

બોડેલી : બોડેલીની તરગોળ સરકારી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ સાથે કામગીરી કરાવતો વિડિયો વાઇરલ થયા બાદ ગ્રામજનોએ વિરોધ કરી શાળાને તાળાબંધી કરી હતી જો કે ગ્રામજનોએ જિલ્લા કક્ષાએ રજૂઆત બાદ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા ચાર દિવસ બાદ શાળાના દરવાજા ખોલી દેવાયા હતા અને શાળા શિક્ષણકાર્ય શરૂ થયું હતું

Screenshot

બોડેલી તાલુકાની તરગોળ સરકારી પ્રાથિમક શાળામા વિધાર્થીઓ સાથે મજૂરી કામ કરાવતો વિડિયો વાઇરલ થયો હતો જેને લઈ મામલો ગરમાતા આચાર્યની બદલી માંગ સાથે ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી જ્યાં સુધી આચાર્ય ભાવનાબેનની બદલી ન થાય ત્યાં સુધી શાળાને બંધ રાખવાનું નક્કી કર્યું હતું બાદમાં શિક્ષણ વિભાગ એક્સનમાં આવી ગ્રામજનો અને શિક્ષકોના નિવેદન લઈ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં આચાર્ય ભાવનબેન પાસેથી ચાર્જ લઈ બીજા અન્ય શિક્ષકનો સોંપવામાં આવ્યો આ ઉપરાંત ભાવનાબેન હાલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર કામ કરશે તેમ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી જણાવ્યું હતું જો કે તે પછી ગ્રામજનો જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ વિભાગમાં અધિકારીને મળી ભાવનાબેનની બદલીની રજુઆત કરતા યોગ્ય કાર્યવાહી ખાતરી આપતા છેવટે સમગ્ર મામલાનો અંત લાવી ગ્રામજનો દ્વારા ચાર દિવસ બાદ શાળાના દરવાજા ખોલી દેવાયા હતા. શુક્રવારે શાળામાં અન્ય શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરુ થઇ ગયુ હતું.

બોડેલીની તરગોળ શાળામાં વિધાર્થીઓ પાસે મજૂરી કરાવતો વિડિયો વાઇરલ, તપાસના આદેશ અપાયા

બોડેલી

બોડેલી તાલુકાના તરગોળ ગામે આવેલ પ્રાથમિક શાળાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે આ વિડિયોમાં શાળાના વિધાર્થીઓ પાસે માટી અને ટાઈસો ઉપાડવાની કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે ગામના વિદ્યાર્થીઓને આ રીતે કામ કરતા જોઇ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

બોડેલીના તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તરગોળ સરકારી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ પાસે કામગીરી કરાવતો વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થયો છે વિદ્યાર્થીઓ પાસે શાળામાં ટાઈસ તેમજ માટી ઉપાડવાની કામગીરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે જ્યારે ટાઈસ એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જતા નજરે પડ્યા હતા

જ્યારે જાગૃત નાગરિકે વિડિયો સોશ્યલ મડિયામાં વાઇરલ થતા વાલીઓમાં રોષ ફેલાયો છે સરકારી નિયમોને ઘોળી પી જતા શાળા તંત્ર સામે ઉચ્ચકક્ષાએથી તપાસ થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ થવા પામી છે.

આ બાબતે શનિવારે જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ શાળાની મુલાકાત લીધી ત્યારે માટીના ઢગ શાળામાં નજરે પડ્યા હતા ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે વાઇરલ વિડિયો પણ એક બે દિવસ પહેલાનો હોઈ શકે, ત્યારે આ અંગે શાળાના ઇન્ચાર્જ આચાર્યને આ બાતે પૂછજતા પોતાનો બચાવ કર્યો હતો

જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ સમિતિની રચના કરી

બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવાનો વીડિયો વાયરલ થયો છે. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે સ્કૂલના શાળા તંત્ર દ્વારા શૌચાલયની સફાઈ કરાવવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા પ્રાથમિક શાળાને સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે છતાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે

આ બાબતે મને કોઈ ધાયન નથી

હું શાળાનો એક શિક્ષક છું હું અહીંયા ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું વહીવટી નથી આચાર્ય બહેન જ છે બધું જવાબદારી અને નિર્ણય તેઓ જ લે છે સીઆરસી, કે તાલુકા લેવલે મારે કોઈ માહિતી આપવાની થઈ તે માહિતીને અડચરરૂપ ન થાય આ બહેન નથી અને માહિતી મોકલવાની થાય છે તો તે માહિતીને હું ફોરવડ કરી શકું છું તેના માટે ફક્ત મને શૈક્ષણિક ચાર્જ, આ બાબતે મને કોઈ ધ્યાન નથી

રોહીત ભાઈ – ઈન્ચાર્જ આચાર્ય

હિટ એન્ડ રન: બોડેલીના વડા તળાવ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર સવાર બે ના મોત, અન્ય એક ઘાયલ

બોડેલી


બોડેલી તાલુકાના વડા તળાવ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતે બાઈક પર સવાર ત્રણને ફંગોળીયા હતા જેમાં બે વિદ્યાર્થીઓનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા થતા સારવાર અર્થે બોડેલી ખસેડામાં આવ્યો છે જ્યારે આ અકસ્માત ખખડધજ રસ્તાને લઈ થયો હોઈ તેમ લોકો લોકો આક્ષેપ કર્યા છે જ્યારે સમગ્ર અકસ્માતના બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બોડેલીના વડા તળાવ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અજાણ્યા વાહને બાઈકને જોરદાર અડફેટે લેતા બાઈક પર સવાર બે વિધાર્થિની અને એક વિધાર્થી ફૂટબોલની માફક ફંગોળાયા હતા અને ઉછળીને થોડેક દૂર પડતકાયા હતા જેમાં ત્રણ પૈકી બે વિધાર્થીનીનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે બોડેલી ખસેડવામાં આવ્યો છે બનાવને લઈ લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટ્યા હતા બનાવને લઈ બોડેલી અને પાવીજેતપુર પોલીસ સ્થળ પર પોહચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી અકસ્માત બે વિધાર્થીની પૈકી પાવીજેતપુરના નાની આમરોલ ગામમાં રહેતી નિરમાબેન ગોવિંદભાઈ રાઠવા અને પ્રતાપુરા ગામે રહેતી અંજુબેન રાઠવાને ગંભીર ઈજા થતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે જ્યારે મૂળ પાનીબાર અને હાલમાં સંજુલી તેના મામાના ત્યાં રહેતા મનહર રાઠવાને બોડેલી ખાતે સારવાર ચાલી રહી છે સમગ્ર બનાવને લઈ પરિવારમાં ભારે શોકને લાગણી વ્યાપી છે જ્યારે ઉપરોક્ત બનાવને પાવીજેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વડા તળાવ ચોકડી પાસે અજાણ્યા વાહનમી અડફેટે હિટ એન્ડ રનની ઘટના એટલી ભયંકર હતી કે બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ બે વિદ્યાર્થીની અને વિદ્યાર્થી ગોરજ ગામે નર્સિંગનો ફોરમ ભરવા માટે સવારે પોતાના ગામેથી ગયા હતા તે દરમિયાન ફોરમની કામગીર પૂર્ણ કરી તેઓ પિતાના ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વડા તળાવ ચાર રસ્તા પાસે ઘટના બની હતી

બોડેલી તાલુકાના મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં છે રસ્તા પર મસ્ત મોટા ખાડા પડ્યા છે જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખખડ ધજ રોડમાં કારણે આજે હિટ એન્ડ રનની ઘટના બની હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તંત્રમાં વારંવાર રોડ બનાવવા અંગે લોકોએ રજૂઆતો કરી છે છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે

કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરના રાજ્યોમાં ‘કોલ્ડ વેવ

એજન્સી, નવી દિલ્હી

દેશભરમાં શિયાળાની જમાવટ થઈ છે ત્યારે ખાસ કરીને ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરના રાજ્યોમાં ‘કોલ્ડ વેવ’ની સ્થિતિ છે, પણ શ્રીનગર અને શિમલામાં બરફવર્ષાના અભાવે પર્યટકો ‘વ્હાઇટ ક્રિસમસ’થી વંચિત રહ્યા હતા.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. દિલ્હીમાં ક્રિસમસના દિવસે મહત્તમ તાપમાન ૨૨.૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સીઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૧.૫ ડિગ્રી નીચું ૮.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શ્રીનગરનું લઘુતમ તાપમાન -૭.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિતિમાં ટાબો સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું. કાશ્મીરના મોટા ભાગના સ્થળોએ તીવ્ર ઠંડીની સ્થિતિ હતી. ઘણા વિસ્તારોમાં તળાવ, સરોવરો તેમજ પાણી પુરવઠાની પાઇપોમાં રહેલું પાણી થીજી ગયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસમાં કાશ્મીરના વિવિધ સ્થળે લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી ઘટવાની આગાહી કરી છે. ગુલમર્ગ સિવાયના સ્થળોએ કાશ્મીર ખીણના અન્ય તમામ વિસ્તારોમાં રાતનું તાપમાન શૂન્યની નીચે સરક્યું હતું.

કાશ્મીરમાં હાલ ‘ચિલ્લાઇ કલન’નો સમય ચાલી રહ્યો છે. ૨૧ ડિસેમ્બરથી શરૂ થયેલા ૪૦ દિવસમાં કાશ્મીરમાં કાતિલ ઠંડી પડે છે. હિમાચલ પ્રદેશમાં પણ ‘કોલ્ડ વેવ’ની સ્થિતિ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં શુક્રવારે સાંજથી રવિવારની બપોર સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. રાજસ્થાનના ઘણા ભાગોમાં બુધવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઘણા ભાગોમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડીની ઝપટમાં આવ્યા હતા. બુધવારે ફરિદકોટમાં લઘુતમ તાપમાન ૪.૨ ડિગ્રી સેલ્સિયસ હતું. અમૃતસરનું લઘુતમ તપામાન ૫.૪ ડિગ્રી તેમજ ચંદીગઢનું તાપમાન ૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બોડેલીના બામરોલી (વા) ગામે ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર

બોડેલી તાલુકાના બામરોલી (વા) ગામે આવેલા ખેતરમાં આધેડ મહિલાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવને લઈ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે

બોડેલી પોલીસ મથકના સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે બોડેલી તાલુકાના બામરોલી (વા) ગામે મકાનમાં ખેતરમાં ઝાડ પર કોઈ મહિલાની લાશ જોતા લોકોના ટોળા જમ્યા હતા બનાવની જાણ બોડેલી પોલીસ મથકે કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને પોલીસે લાશને નીચે ઉતારી તપાસ કરતા ગામની જ સુમિત્રા મહેશભાઈ રાઠવા (ઉ વર્ષ ૪૫) હોવાનું બહાર આવ્યું હતું. મહિલાએ કયા કારણોસર ગળે ફાંસો ખાધો તે જાણી શકાયું નથી. જોકે બોડેલી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ કરાવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

નશામાં ધૂત યુપીના ડ્રાઈવરની બેદરકારી બની જીવલેણ, ગુજરાતમાં ટ્રકે કચડી નાખ્યા નાના અને પૌત્રીનું મોત

એજન્સી અમદાવાદ

અમદાવાદમાં એક માર્ગ અકસ્માતમાં નાના અને પૌત્રીએ જીવ ગુમાવ્યો હતો. બંને સ્કૂટી પર જઈ રહ્યા હતા, પરંતુ પાછળથી આવતી એક ટ્રકે તેઓને કચડી નાખ્યા, જેના કારણે તેમનું દર્દનાક મોત થયું. પોલીસે ટ્રક ચાલકને ઝડપી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો.
મૃત્યુ પામેલાઓમાં 50 વર્ષીય જિતેન્દ્ર ભાવસારનો પણ સમાવેશ થાય છે. તેમની ત્રણ વર્ષની પૌત્રી પણ તેમની સાથે હતી. આ અકસ્માતમાં બંને લોકોના મોત થયા છે. આ અકસ્માત વ્યસ્ત રોડ પર થયો હતો. જિતેન્દ્ર તેની પૌત્રી સાથે સ્કૂટી પર જઈ રહ્યા હતા, પરંતુ અચાનક પાછળથી આવતી ટ્રક તેમની ઉપર ચડી ગઈ હતી અને બંને લોકો વ્હીલ નીચે આવી ગયા હતા. બંનેની હાલત અત્યંત ગંભીર હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ ત્યાં બંનેના મોત થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓ અને CCTV ફૂટેજના આધારે જણાવવામાં આવ્યું છે કે ટ્રક રસ્તાની વચ્ચે ચાલી રહી હતી. તે ભીડવાળા રસ્તા પર લાપરવાહીથી ટ્રક ચલાવતો જોવા મળ્યો હતો. સામે ટુ-વ્હીલર હોવાનું જાણવા છતાં ટ્રક ચાલકે તેની પરવા કર્યા વિના ડ્રાઇવિંગ ચાલુ રાખ્યું અને તેમને કચડી નાખ્યા.
માહિતી અનુસાર, અકસ્માત બાદ ટ્રાફિક પોલીસે ટ્રક ડ્રાઈવર ગીતમસિંહને પકડી લીધો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાનો વતની છે.

દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના, ક્રેન પડતાં 3 મજૂરોના કમકમાટી ભર્યા મોત

એજન્સી, અમદાવાદ

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર એક દુ:ખદ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા છે. બુધવારે એક જેટી કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રેન પડતાં આ અકસ્માત થયો હતો. જેમાં બે કામદારોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ત્રીજાનું હોસ્પિટલમાં મોત થયું હતું.
જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત સી બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેન દ્વારા કચડાઈ જવાથી બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
મૃતકોના નામ
જીતેન્દ્ર ગોબરીયા ખરાડી (ઉ.વર્ષ 30)
નિશાંતસિંહ રામસિંહ (ઉ.વર્ષ 25, રહે.રતનપુર, ફુરખાબાદ,યુપી)
અરવિંદકુમાર મુરારીલાલ નગલા (ગંજડુડવાલા, યુપી)

12 પાસ મહિલા અને 10 પાસ પુરૂષે ખોલ્યું ક્લિનિક… નકલી તબીબ બતાવીને સારવાર આપવા લાગ્યા, બંનેની ધરપકડ

એજન્સી, સુરત

સુરતમાં નકલી ડોક્ટરો સામે ઝુંબેશ ચલાવતી વખતે પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. આરોપ છે કે આ લોકો ડોક્ટર તરીકે દેખાડીને દર્દીઓની સારવાર કરતા હતા. મહિલાએ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે જ્યારે પુરુષે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસને આ બંને પાસેથી કોઈપણ પ્રકારની ડીગ્રી મળી નથી.
મળતી માહિતી મુજબ સુરતના ઉમરા પોલીસ સ્ટેશને આ કાર્યવાહી કરી છે. પોલીસે એક પુરૂષ અને એક મહિલાની ધરપકડ કરી છે, જેઓ બંને ડોક્ટર તરીકે ઓળખ આપીને લોકોની સારવાર કરતા હતા. ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકનું નામ પ્રયાગ રામચંદ્ર પ્રસાદ છે, જ્યારે મહિલાનું નામ લલિતા કૃપા શંકર સિંહ છે. મહિલાએ 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
આ બંને નકલી ડોક્ટરો એલોપેથિક દવાઓથી લોકોની સારવાર કરતા હતા. બંનેએ એક ક્લિનિક ખોલ્યું હતું જ્યાંથી એલોપેથિક દવાઓ મળી આવી હતી. પોલીસે બંને પાસેથી મેડિકલ સર્ટિફિકેટ માંગ્યા ત્યારે તેમને કોઈ સર્ટિફિકેટ મળ્યું ન હતું. સુરતના ઉમરા પોલીસ મથકે આરોગ્ય વિભાગની ટીમે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી પ્રયાગ રામચંદ્ર પ્રસાદે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે મહિલા લલિતાએ 12મા સુધી અભ્યાસ કર્યો છે. બંને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. બંને એલોપેથિક દવાઓ આપતા હતા. તેમની પાસેથી મળી આવેલી દવાઓ અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ લોકો સુરતમાં કેટલા વર્ષોથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા તે હાલ જાણી શકાયું નથી.

ગુજરાતની નિર્ભયા જિંગદી સામે હારી જંગ, બાળાત્કારના આઠ દિવસ બાદ મોત

વડોદરા

ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પરંતુ આ છોકરી જીવનની લડાઈ હારી ગઈ છે. બળાત્કારના આઠમા દિવસે બાળકીનું મૃત્યુ થયું હતું. તબીબોએ બાળકીને બચાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા પરંતુ આજે સાંજે બાળકીએ જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, છેલ્લા બે દિવસમાં બાળકીને ત્રણ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું. બાળકીને બાળરોગ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની બે વખત સર્જરી કરવામાં આવી હતી. પરંતુ યુવતીને હોશ ન આવ્યો.
GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. પડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી હતી. દુષ્કર્મ પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી અને પીડિતાના ગુપ્તાંગમાં સળીયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આપને જણાવી દઈએ કે, આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.