Home Blog Page 25

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

એજન્સી અમદાવાદ : ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. શિયાળાની શરૂઆતમાં આટલી ઠંડી હોવાથી હવામાનશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આજે સવારે રાજ્યમાં સરેરાશ તાપમાન 24 સેલ્સિયસ રહેશે, જ્યારે બપોરનું ઊંચું તાપમાન 26 સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ સાથે રાત્રે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. સાંજનું તાપમાન 20 સેલ્સિયસની આસપાસ રહેશે અને રાત્રિનું તાપમાન 16 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.


આ સાથે દિવસ દરમિયાન રાજ્યમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને ધુમ્મસ રહેશે. આ સાથે દિવસનું મહત્તમ તાપમાન 28 સેલ્સિયસ રહેશે અને 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પવનની દિશા 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ રહેવાની શક્યતા છે. ડિસેમ્બરમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યાં તાપમાન 15 સે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, ધોળકા અને દાહોદમાં 16 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે આણંદ અને ધ્રાંગધ્રામાં તાપમાન 17 સેલ્સિયસ રહેશે.અંજાર, ગાંધીધામ, બોટાદ, રાજકોટ, ભરૂચ, ભુજ, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગર શહેરમાં 18 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમરેલી, જામનગર, ભાવનગર, ધોરાજી અને જૂનાગઢમાં 20 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત સુરતમાં સૌથી વધુ તાપમાન 20 સે. ખાસ કરીને, ગુજરાતમાં શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે, જેમાં તાપમાન સામાન્ય રીતે 12 સેલ્સિયસ અને 29 સેલ્સિયસની વચ્ચે હોય છે. રાત્રિનું તાપમાન 10 સેલ્સિયસ સુધી નોંધાયું છે જ્યારે દિવસનું તાપમાન 26 સેલ્સિયસ સુધી નોંધાયું છે.
હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના વિવિધ ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડી પરના ઓછા દબાણને કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાં 15 ડિસેમ્બર સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
આ વરસાદથી ઠંડી વધી શકે છે. આવા સમયે, બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વીય ભાગ અને અડીને આવેલા પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર નીચા દબાણનો વિસ્તાર રહે છે. આ લો પ્રેશરને કારણે આગામી 24 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આ હવામાનની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ઠંડી અને વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારત અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના પ્રભાવને કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર થશે.
આ સાથે, દિલ્હી, ઉત્તર ભારત અને હિમાલયના પ્રદેશો પર શીત લહેર અને ગાઢ ધુમ્મસ મુખ્ય હવામાન ઘટના બની શકે છે, જ્યારે દરિયાઇ હવામાન દક્ષિણ ભારતને અસર કરવાનું ચાલુ રાખશે.

ભૂલના કારણે 7ના જીવનનો અંત, મૃતકોમાં 5 વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં સર્જાયો ભયાનક અકસ્માત

જૂનાગઢ

ગુજરાતના જૂનાગઢમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેતપુર-સોમનાથ હાઈવે પર બે કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. માર્યા ગયેલાઓમાં 5 કોલેજના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે જે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ભંડુરી પાસે ક્રિષ્ના હોટલની બહાર આ અકસ્માત થયો હતો. સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, બીજી લેનમાં ગઈ અને બીજી કાર સાથે અથડાઈ. અથડામણ થતાં જ બંને વાહનો કૂદીને દૂર પડ્યાં હતાં.


બંને કારને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો બહાર પડી ગયા હતા. રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે બડમાલિયા હાટીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચેય લોકોના મોત થયા છે, જેઓ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને પેપર આપવા જઈ રહ્યા હતા. બીજી કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોના પણ મોત થયા હતા. તમામ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ખત્રી વિદ્યાલય બોડેલીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ અંગ્રેજી વિષયની ત્રી દિવસીય તાલીમ યોજાઈ

બોડેલી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) તથા સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષક તાલીમ સંદર્ભે તા.૦૫/૧૨/૨૦૨૪ થી ૦૭/૧૨/૨૦૨૪ ત્રણ દિવસ અંગ્રેજી વિષયના સો જેટલા શિક્ષક તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી જેમાં પાંચ તજજ્ઞો અને કન્વીનર છોટાઉદેપુર ડાયટ બી.એમ.સોલંકી દ્વારા અંગ્રેજી વિષયને અનુલક્ષીને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રમાં મજબૂત કુશળતા પ્રદાન કરવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં યોગ્ય વ્યવસાયિક મંચ પર પોતાનું સ્થાન મેળવી શકે. તાલીમના ત્રીજા દિવસે સોનાની સુગંધ સમા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબે વર્ગોની મુલાકાત લઈ તાલીમાર્થીઓ પાસેથી તાલીમના રીવ્યુ લીધા હતા બી.એમ.સોલંકી દ્વારા વિશેષ માર્ગદર્શનમાં આજના કોમ્પીટીશનના યુગમાં આપણે સતત કાર્યશીલ રહી વિદ્યાર્થીઓના જીવનને પ્રગતિ સાથે સફળ બનાવવા આપણે શું ફાળો આપી શકીએ તેના વિશે સમજ પૂરી પાડતા સૂચન આપ્યું કે “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુકૂળ આ યોજનાના માધ્યમથી દેશના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ અને વ્યવસાયિક માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.”ત્યારે ટેકનીકલ શિક્ષણ પર વધુને વધુ ભાર આપવા પર માર્ગદર્શન પૂરું પાડ્યું વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમોથી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મજબૂત આધાર મળશે.
શિક્ષકોશ્રીઓને આધુનિક ટેક્નોલોજી અને કુશળતાઓથી અવગત કર્યા હતા ત્યારે અશોક રાઠવા સાથે રહ્યા અંતે શાળાના
આચાર્ય યુ.વાય.ટપલાએ ડીઈઓના દિશાદર્શનથી પ્રભાવિત થઈ અંત:પૂર્વક આભાર માન્યો હતો

કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામ નહીં કરે તો તેમને બુલડોઝર નીચે નાખી દેવામાં આવશે: નીતિન ગડકરી

નવી દિલ્લી : કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રોડ નિર્માણમાં ખામીઓ અંગેના સવાલના જવાબમાં ગુરુવારે લોકસભામાં ફરી આકરો સંદેશો આપતા જણાવ્યું હતું કે યાદ રાખો, મેં અગાઉ જાહેર સભામાં કહ્યું છે કે જો કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામ નહીં કરે તો તેમને બુલડોઝર નીચે નાખી દેવામાં આવશે. આ વર્ષે હું તેમની સામે કડક પગલાં લઇને ઠીક કરીશ, અમે જરાય સમાધાન નહીં કરીએ.

પ્રશ્નકાળ દરમિયાન રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલના પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કોન્ટ્રેક્ટરોને ફટકારીને સીધા કરી દેવાશે. તેમણે કહ્યું કે તેમના વિભાગે રૂ.50 લાખ કરોડા કામ કર્યા છે, સંપૂર્ણ પારદર્શકતા સાથે અને સમયસર કર્યા છે જેના પરિણામ જોવા મળે છે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નિર્માણમાં બેદરકારી બદલ ચાર કોન્ટ્રેક્ટર સામે આકરી કાર્યવાહી કરાશે, બ્લેકલિસ્ટ કરી દેવાશે.
લોકોને કાયદાનો ડર કે આદર નથી

ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં મૃત્યુ ઘટાડવા માટે સરકારના સતત પ્રયાસો કરી રહી છે, પરંતુ જાનહાનિ વધી રહી છે, કારણ કે લોકોને કાયદાનો આદર છે કે તેનો ડર નથી. તેઓ પોતે માર્ગ અકસ્માતનો ભોગ બન્યાં છે અને આ મુદ્દાને લઈને સંવેદનશીલ છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા ગડકરીએ જણાવ્યું હતું કે લોકોને કાયદાનું સન્માન કે કાયદાનો ડર નથી. લોકો રેડ સિગ્નલ પર રોકાતા નથી, હેલ્મેટ પહેરતા નથી. હેલ્મેટ ન પહેરવાને કારણે 30,000ના મોત થાય છે.

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી મળ્યા નોટોના બંડલ

અમદાવાદ

આજરોજ શુક્રવારે 6 ડિસેમ્બર સંસદના શિયાળુ સત્રનો 9મો દિવસ છે. ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું છે. આ અંગે ગૃહમાં હોબાળો થવા પામ્યો હતો. જે મામલે સિંઘવી જણાવ્યું હતું કે હું તો 500ની એક નોટ લઈને સંસદ જઉં છું. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. તો સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો ખરેખર શુક્રવારે સભાપતિ જગદીપ ધનખડેએ જણાવ્યું હતું કે ગઈકાલે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ સુરક્ષા અધિકારીઓએ અમને જણાવ્યું કે સીટ નંબર 222 પરથી કેશ મળી આવી છે. આ સીટ તેલંગાણાથી સાંસદ અભિષેક મનુ સિંઘવીને અલોટ કરવામાં આવી હતી. આ મામલે નિયમો અનુસાર તપાસ થવી જોઈએ અને એ શરૂ પણ કરી દેવામાં આવી છે હોવાનું જગદીપ ધનખડેએ જણાવ્યું હતું. તો સત્તાપક્ષ ભાજપ તરફથી આ મામલે કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ સત્તાપક્ષને જવાબ આપવામાં આવી રહ્યા છે. ભાજપ સાંસદ જે.પી.નડ્ડાએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો. આ સાથે ભાજપે તપાસની પણ માગ કરી છે. ત્યારે નોટોનું બંડલ મળી મળી આવવાના મામલે નડ્ડાએ કહ્યું હતું કે મને આશા છે કે આ મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે આ મામલે ખુલાસો કરતાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આ નોટોના બંડલ મારા નથી. ખડગેએ પણ કહ્યું કે તપાસ વગર કોઈના પર આરોપ કેવી રીતે લગાવી શકાય નહિ.

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ

રાજ્યભરમાં સનસનાટી મચાવનાર કૌભાંડમાં આરોપી બનાવી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો.સંજય પટોળિયાની પોલીસે ધરપકડ કરી છે. રાજ્યભરમાં સનસનાટી મચાવનાર કૌભાંડમાં આરોપી બનાવી ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો.સંજય પટોળિયાની પોલીસે ધરપકડ કરી છે. ડૉ.સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી મંગળવારે ફગાવી દેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ સોંપ્યા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પોલીસની પહોંચની બહાર છે. ડૉ.સંજય પટોળિયા 1999માં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે રાજકોટ સરકારી હોસ્પિટલમાં જોડાયા હતા. ત્યારબાદ તેણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી. 2005માં તેમણે રાજકોટમાં ન્યુ લાઈફ હોસ્પિટલ શરૂ કરી.ત્યારબાદ 2014 માં, અમદાવાદમાં SG હાઇવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી, જેનું નામ બદલીને 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું, જે હાલમાં સમગ્ર રાજ્યમાં સમાચારોમાં છે. ખ્યાતિ કાંડમાં જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમાંના એક ડૉ. સંજય પટોળિયા અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતની હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. આ ત્રણેય હોસ્પિટલના નામ અલગ-અલગ છે. અમદાવાદમાં હાલમાં જે હોસ્પિટલ ચર્ચામાં છે તેનું નામ ડૉ. સંજય પટોળિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રખ્યાત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી, જેનું નામ અગાઉ એશિયન બેરિયાટ્રિક હતું. જ્યારે ડો.નરવડીયા સહિતના બે પાર્ટનર ડોકટરો કોઈ કારણસર ભાગીદારીથી અલગ થઈ ગયા ત્યારે કાર્તિક પટેલ આ હોસ્પિટલમાં આવ્યા અને તેનું નામ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ રાખ્યું. આ ઉપરાંત સંજય પટોલિયા રાજકોટની ન્યુ લાઈફ હોસ્પિટલ અને સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. PMJAY યોજનાનો લાભ મેળવવા માટે ખ્યાતી હોસ્પિટલના સંચાલકો અને ડોકટરોએ ખોટી રીતે એવા લોકોનું ઓપરેશન કર્યું હતું જેમને તેની જરૂર ન હતી. આ મામલામાં ફરિયાદ નોંધાયા બાદ તમામ લોકો પર ઓપરેશન કરનાર ડો.પ્રશાંત વજીરાનીની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂરા થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક સાત લોકોની ધરપકડ કરી છે જ્યારે બે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર છે.

રાજસ્થાનની ST બસની ટક્કરે એકટીવા ચાલક આધેડનું મોત

અમદાવાદ: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની જી્‌‍ બસે 65 વર્ષીય આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. પ્રાથમિક માહિતી મુજબ જી્‌‍ બસ જોધપુરથી અમદાવાદ આવી રહી હતી તે સમયે વીએસ હોસ્પિટલ નજીક મૂળ શાહપુરના રહેવાસી મયંક શાહને અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.બીજી તરફ ગઈકાલે અમદાવાદ નજીક બગોદરા વટામણ હાઈવે પર ફરી એક અકસ્માતની ઘટના બની હતી. ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બગોદરા તારાપુર ચોકડી પાસે બસચાલકને ઝોંકુ આવતા આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યુ હતુ.

વલસાડ પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યા

વલસાડ

ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઇ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા ધરમપુર, ગોરખડા, મોહપાડા, આવધા, રાજપુર સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્તાં ભરશિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
શિયાળાની સિઝનમાં વરસાદ આવતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ માવઠાના લીધે શિયાળુ પાકને નુક્સાન પહોંચવાની ભિતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ક્સોમસમી વરસાદની આગાહી કરી હતી. છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં 6 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધશે.
15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે. આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે.
20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે બોડેલી કન્યા શાળાની ઓચિંતી મુલાકાત લીધી

બોડેલી : ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે બોડેલી નગરમાં આવેલ કન્યા શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ડો કુબેર ડિંડોરે બાળોને પ્રશ્નોતરી કરી બાળાઓનું જ્ઞાન ચકાસ્યું હતું

આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી ઉજવણી સંદર્ભે છોટાઉદેપુરની મુલાકાતે આવેલ હતા તે દરમિયાન છોટાઉદેપુરથી ડો.કુબેર ડીંડોર બોડેલીની કન્યા શાળાની ઓચિંતી મુલાકાત લેતા દોડધામ મચી હતી તેમની સાથે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન મહારાઉલ, અલીખેરવા જૂથ પંચાયતના સરપંચના પતિ વી.ડી રાઠવા, બોડેલી બીઆરસી વિશાલભાઈ પંડ્યા, છોટાઉદેપુર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશ પટેલ સહિત અગ્રણાઓ સાથે જુદા જુદા વર્ગખંડમાં બાળાઓનું લખાણ ચકાસણી વગેરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

શાળાના આચાર્ય સંદિપ જયસ્વાલ દ્વારા શાળાકીય બાબતોથી મંત્રી ડો. કુબેર ડિંડોરને માહિતગાર કર્યા હતા આ ઉપરણત ડો કુબેર ડિંડોર બાળાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો બાળકો સાથેના વાર્તાલાપમાં બાળકોના જવાબોથી મંત્રી પ્રભાવિત થયા હતા શાળામાં ડિજિટલ બોર્ડ ઉપર બાળાઓ દ્વારા ચાલતી કામગીરી અને ડિજિટલ શિક્ષણને બિરદાવ્યું હતું આ સાથે ડો.કુબેર ડિંડોર બાળાઓ સાથે વાર્તાલાપ કરી ગુજરાતી સહિત અન્ય ભાષાના જ્ઞાન વિશે પ્રશ્નોતરી કરી બાળાઓનું જ્ઞાન ચકાસ્યું હતું મંત્રીએ બાળકોને અભ્યાસ માટે વિસ્તૃત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શિક્ષણ મંત્રીએ શાળાના શિક્ષકો અને આચાર્યને સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી