Home Blog Page 26

પ્રિયંકા ગાંધીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા, સંસદમાં ગાંધી-નેહ પરિવારના ત્રણ સભ્યો

નવીદિલ્હી

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ જીતી લીધી છે. રાહુલ ગાંધી પહેલા આ સીટ પર સાંસદ હતા, પરંતુ રાયબરેલી સીટ પરથી પણ ચૂંટણી જીત્યા બાદ તેમણે વાયનાડ સીટ ખાલી કરવી પડી હતી. આ શ્રેણીમાં વાયનાડ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીને પોતાના ઉમેદવાર બનાવ્યા. આ સીટ પર પ્રિયંકા ગાંધી જીત્યા છે. ગુવારે પ્રિયંકા ગાંધીએ લોકસભાના સભ્યપદના શપથ લીધા. પ્રિયંકા ગાંધીએ હિન્દી ભાષામાં શપથ લીધા અને આ દરમિયાન તેમના હાથમાં બંધારણની કોપી હતી. જણાવી દઈએ કે ગુવારે મહારાષ્ટ્રના નાંદેડથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના નેતા રવિન્દ્ર બસંતરાવ ચવ્હાણે પણ ગૃહના સભ્ય તરીકે શપથ લીધા હતા.
રવિન્દ્ર બસંતરાવ ચવ્હાણે મરાઠી ભાષામાં સંસદ સભ્યપદના શપથ લીધા. શપથ લીધા બાદ પ્રિયંકા ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગળની હરોળમાં બેઠેલા વિપક્ષી નેતાઓને હાથ જોડીને અભિવાદન કર્યું અને ગૃહમાં વિપક્ષના નેતા અને તેના ભાઈ રાહુલ ગાંધીએ હાથ જોડી પ્રિયંકા ગાંધીનું અભિવાદન સ્વીકાર્યું. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે ગાંધી પરિવારના ત્રણ સભ્યો સંસદમાં છે. વાસ્તવમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લોકસભાના સભ્ય છે. સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ છે.
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રાહુલ ગાંધીએ બે સીટો પર ચૂંટણી લડી હતી. તેમણે રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો જીતી હતી. આ પછી તેણે સીટ પસંદ કરવાની હતી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પસંદ કરી. આ પછી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડ સીટ પર ઉતાર્યા. આ સમય દરમિયાન પ્રિયંકા ગાંધીએ વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં ચાર લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી. તે પ્રથમ વખત કોઈપણ ગૃહની સભ્ય બની છે. તેણીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યારથી તે પાર્ટીના મહાસચિવ તરીકે સેવા આપી રહી છે.

કાલોલના વેજલપુરમાં આવેલી ફાર્મા કંપનીમાં એટીએસના દરોડા

દાહોદ: ગુજરાતમાં ફરી એક વાર શંકાસ્પદ દવાનું ઉત્પાદન કરતી ફાર્મા કંપની પર એટીએસએ દરોડા પાડ્યા છે. પંચમહાલ જિલ્લાના કાલોલના વેજલપુર પાસે આવેલી એસન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડનામની કંપનીમાં ગુજરાત એટીએસના દરોડા પાડ્યા છે. ગુજરાત એટીએસએ સ્થાનિક પોલીસને સાથ્ો રાખીને એસેન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.મોડી રાત સુધી એટીએસ અને સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમોએ તપાસ કરી છે. એટીએસએ કંપની દ્વારા બનાવવામાં આવતી કેટલીક શંકાસ્પદ દવાઓના નમુના બે અલગ અલગ બોક્સમાં મળ્યા હોવાનું સામે આવ્યું છે.એટીએસની ટીમ દ્વારા શંકાસ્પદ દવાઓના નમુના મેળવી તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવતી દવાના નમૂનાની તપાસ બાદ જ હકીકત સામે આવે તેવી શક્યતા છે.-

ખત્રી વિદ્યાલય બોડેલીમાં ગોડ ગિફ્ટ ગણાતી પ્રાચી વસાવાથી શૈ.સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ


બોડેલી | ૧૮-૧૧-૨૦૨૪
નાંદોદ તાલુકાના ગામ વાઘેથાની ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાર વર્ષીય બાળા પ્રાચી વસાવા માતૃશ્રી તથા ગુરુજનો સાથે શાળામાં હાજર રહી ખત્રી વિદ્યાલયના શિક્ષક ગણ સહિત વિદ્યાર્થીઓને પોતાની કુદરતી બક્ષીશ દ્વારા આશ્ચર્યચકિત કરી દીધા હતા જેનું મુખ્ય કારણ કે તે પોતાની આંખે પાટા બાંધી વાચી સમજી શકે છે.
પ્રાચી વસાવા એ એક જાણીતી સાક્ષાત્કારક અને માનસિકતા ક્ષેત્રની નિષ્ણાત છે. તેમણે ખત્રી વિદ્યાલયમાં મોટીવેશનલ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પ્રેરણા અને જીવનમૂલ્યો અંગે સજાગ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં, પ્રાચી વસાવાએ પોતાની અનોખી ક્ષમતા દેખાડી, જેના હેઠળ તેઓ આંખો બંધ કરીને વાંચી શકે છે અને તેનો યોગ્ય અર્થ પણ સમજાવી શકે છે.
આ રીતને “એન્સાઇટ રીડિંગ” (Insight Reading) કહેવામાં આવે છે, જેમાં મન અને આંખોની શક્તિનું સંકલન કરીને વ્યક્તિ વિષયને જાણી અને સમજી શકે છે, આ કળા માનસિક ફોકસ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પર આધારિત છે.

પ્રાચી વસાવાએ આ ક્ષમતા દ્વારા વિદ્યાર્થીઓને બતાવ્યું કે માનવ મગજનું પોટેન્શિયલ અને ક્ષમતાઓની અનંત સીમાઓ હોય છે. તેમણે કાર્યક્રમમાં મનોવિજ્ઞાન, ધ્યાન, અને પોતાની અંદર છુપાયેલ શક્તિઓના માર્ગદર્શન અંગે વાત કરી, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયક હતું. જેનું સમગ્ર સંચાલન એમ.એસ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકા સ્થિત RMS હોસ્પિટલની મુલાકાત લીધી

ગાંધીનગર, 17 નવેમ્બર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે ધંધુકામાં સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આરએમએસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીએ હોસ્પિટલ પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને હોસ્પિટલના ટ્રસ્ટી સ્વ. ધરમશીભાઈ પટેલને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી અને હોસ્પિટલની માહિતી મેળવી હતી.

આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા, આરએમએસ હોસ્પિટલના વડા ઓધવજીભાઈ મોણપરા, મંત્રી ભીમજીભાઈ સુતરીયા, ઉપપ્રમુખ હરીશભાઈ મોરડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું

ગાંધીનગર | ૧૭-૧૧-૨૪

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકાના આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળી મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્કૃતિના અસ્તિત્વ માટે વિરાસતનું જતન ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી વિરાસતનું ગૌરવગાન કરવાની પરંપરા ઉભી કરી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની લોક સંસ્કૃતિ, ભાષા અને પરંપરાનું વિશ્વભરમાં અભૂતપૂર્વ ગૌરવગાન થઈ રહ્યું છે. આપણી લોકકલા અને ગુજરાતનું ગૌરવ એવા ગરબા વિશ્વખ્યાતિ પામ્યા છે, જેનો શ્રેય વડાપ્રધાનને જાય છે એમ તેમણે ઉમેર્યું હતું.

આજના કાર્યક્રમને સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર ગણાવી મુખ્યમંત્રીએ સંસ્કૃતિના જતન માટેના ૬૦ વર્ષના પુરુષાર્થ તથા ‘વિરાસત’ સંગ્રહાલયના નિર્માણ બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનએ આપેલા પ્રણમાંથી એક વિરાસતનું ગૌરવ છે. આ સંગ્રહલય લોક સંસ્કૃતિની ભવ્ય વિરાસતની જાળવણીમાં મહત્વનું યોગદાન આપવાની સાથે યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકકલાના સન્માનમાં મુખ્યમંત્રીનું આગમન અને આજનો અવસર આકરું ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કાયમ માટે અંકિત થઈ ગયું છે.

સન્માન સમારોહમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ચંદુભાઈ શિહોરી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કિરીટસિંહ ડાભી તેમજ સામાજિક- રાજકીય આગેવાનો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

છોટાઉદેપુર: યુતિ મુન્શીએ તિરંદાજીની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

Screenshot

છોટાઉદેપુર | 1-11-2024

છોટાઉદેપુરની વિદ્યાર્થીની યુતિ ચિરાગ મુન્શી રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં પ્રથમ આવી- ગોલ્ડ મેડલ મેળવ્યો છે

મૂળ અમદાવાદની નિવાસી છોટાઉદેપુરમાં રહીને સન રાઇઝ સ્કૂલ માં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ખુબજ ટૂંકા સમય ગાળા માં તીરંદાજી કોચ દિનેશ ભીલ પાસે તાલીમ મેળવીને આર્ચરી ની રમત પર પ્રભુત્વ મેળવેલ છે

ઉલ્લેખનિય છે કે, ગત સપ્ટેમ્બર માસ માં છોટા ઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત ૨૦૨૪-૨૫ ની જિલ્લા કક્ષાની સ્પર્ધા માં યુતિ મુન્શી એ ભાગ લીધો હતો અને તેમાં તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યાર બાદ ૬૮ મી અખિલ ભારતીય રાજ્યકક્ષા આર્ચરી સ્પર્ધાનું સ્પોર્ટ કોમ્પલેક્ષ સાપુતારા ખાતે તા. ૨૪ અને ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર- 14 કેટેગરી ની આ સ્પર્ધા માં પણ તેણીએ છોટા ઉદેપુર જિલ્લા તરફથી ભાગ લીધો હતો અને તેમાં ઇન્ડિયન રાઉન્ડ ઇવેન્ટમાં સૌથી વધુ ૬૦૧ પોઇન્ટ મેળવીને પ્રથમ આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આમ યુતિ મુન્શી એ ઉકત સિદ્ધિ મેળવીને સમગ્ર રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લા નું, પરિવારનું, આર્ચરી ગુરુ નું તથા શાળા નું નામ રોશન કર્યું છે

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર ખાતે આવેલી સનરાઈઝ શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુતિ મુન્શી તીરંદાજી સિવાય સ્વિમિંગ, સ્કેટિંગ, યોગા અને સાયકલિંગ માં પણ નિપુણતા ધરાવે છે. આમ તેણી એ રાજ્ય કક્ષાએ તિરંદાજી ની સ્પર્ધામાં જે રીતે ભાગ લીધો હતો તેજ રીતે આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓ માંથી આવેલ કુલ ૭૨ તિરંદાજ દિકરીઓએ પણ ભાગ લીધો હતો અને તેમાં તેણી પ્રથમ આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લા નું ગૌરવ વધતા, પ્રજા માં આનંદની લાગણી ફેલાઇ ગયેલ છે.

વિશેષમાં હવે ૨૦૨૪ ના અગામી નવેમ્બર મહિનામાં રાષ્ટ્ર કક્ષાની તીરંદાજી સ્પર્ધા નડિયાદ ખાતે યોજાનાર છે અને તેમાં યુતિ મુન્શી ગુજરાત રાજ્ય તરફથી ભાગ લેશે અને છોટાઉદેપુર ને રિપ્રેઝન્ટ કરશે.

વિજેતા વિદ્યાર્થિની હવે રાષ્ટ્ર કક્ષાએ ભાગ લે અને વિજેતા બને અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારે તે માટે તીરંદાજી કોચ દિનેશભાઇ ભીલ, શાળાના આચાર્ય સંચાલક અને સ્ટાફ તરફથી તથા પરિવાર તરફથી યુતિને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે અને શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.