Home Blog Page 27

દિવાળી પ્રસંગે છોટાઉદેપુર એસપી ઈમ્તિયાઝ શેખે શહીદ જવાનોના પરિવારની મુલાકાત લીધી

બોડેલી – 1-11-2024

દિવાળી પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના શહીદ પોલીસ જવાનોના ઘરે જઈ જિલ્લા પોલીસ વડાએ શહીદોના પરિજનોને દિવાળી શુભેચ્છા પાઠવી દિવાળીની ભેટ અર્પણ કરી હતી

છોટાઉદેપુર જિલ્લામાં શાંતિપૂર્વક માહોલમાં લોકો દિવાળી સહીતના પર્વની ઉજવણ કરી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે ત્યારે પોલીસ વિભાગ પ્રત્યે હંમેશા સંવેદનશીલતા દાખવતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે શહીદના પરિજનોને મુલાકાત કરી હતી ઈમ્તિયાઝ શેખની સાથે છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ ગાવિત તેમજ પાવીજેતપુરના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી રાણા તેમજ બોડેલી પોલીસ મથકના પીઆઈ ડી.એસ વાઢેર સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પાવીજેતપુર તાલુકાના કોલીયારીના શહીદ થયેલા પોલીસ કર્મી દિલીપ રાઠવા તેમજ બોડેલી ટાઉનમાં રહેતા અને શહીદ થયેલા હરસનભાઈ રાઠવાના ઘરની રૂબરૂ મુલાકાત આવી પોહચ્યા હતા

તેમની મુલાકાત દરમિયાન શહીદોના પરિજનોને પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે સહિતના પોલીસ અધિકારીઓએ દિવાળી શુભેચ્છા પાઠવી દિવાળીની ભેટ અર્પણ કરી હતી આ ઉપરાંત શહીદ થયેલા પરીવારજનોને કોઇ પણ મુશ્કેલીના સમયે છોટાઉદેપુર પોલીસ હંમેશા તેમના માટે મદદરૂપ રહેશે તેવી ખાતરી આપી હતી

બોડેલી : અગમ્ય કારણાસર નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવનાર પરણિત યુવતીનો મૃતદેહ મળ્યો

બોડેલી | 24-10-2024

બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં ગત બુધવારે કિકાવાડાની પરણિત યુવતીએ મોતની છલાંગ લગાવી હતી યુવતી ઝાંપાવ્યું હોવાની માહિતી ફાયર ફાયટર સહીત સ્થાનિક તરવૈયાઓને થતા શોધખોળ કરી હતી જો કે યુવતીનો કોઈ પતો મળ્યો ન હતો જયારે બીજા દિવસે કેનાલમાંથી ચારોલા ગેટ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો

છોટાઉદેપુર તાલુકાના રોજકૂવા ગામે રહેતા ભુરાભાઈ મોહનભાઈ રાઠવાની પુત્રી સોનલ રાઠવાના લગ્ન લગભગ બે વર્ષ પૂર્વે કિકાવાડા ગામે રહેતા અંકિત રાઠવા સાથે થયા હતા સોનલ રાઠવા છોટાઉદેપુરના ફતેપુરા વિસ્તારમાં આવેલ નર્સિગ કોલેજમાં અભ્યાસ કરતી હોઈ ગઈકાલે સવારના સમયે નર્સિગ કોલેજ ખાતે અભ્યાસ અર્થે જવાનું કહી નીકળી હતી સોનલ રાઠવા બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર પાસે આવી તેના પતિ અંકિત રાઠવાને વોટ્સએપના માધ્યમથી કેનાલનો ફોટો મોકલ્યો હતો થોડાક સમયમાં અંકિત સહિત તેના પરિજનો જોતા ચિંતામાં મુકાયા હતા અને બોડેલી નર્મદા મુખ્ય નહેર પાસે શોધખોળ કરી હતી જો કે નહેર પાસેથી સોનલની બેગ સહિતની ચીજવસ્તુઓ મળી હતી બનાવની જાણ છોટાઉદેપુર ફાયર ફાયટર અને સ્થાનિક તરવૈયાઓ ટીમ સહિત પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પોહચ્યા હતા અને શોધખોળ શરૂ કરાઈ હતી પરંતુ પતો લાગ્યો ન હતો. જ્યારે બીજા દિવસે શોધખોળ કરતા નહેરના ચારોલા ગેટ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો જેને બોડેલીની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યો હતો સોનલ રાઠવાએ મોતને વહાલું કેમ કર્યું તેની માહિતી મળી શકી નથી જો કે સમગ્ર બનાવને લઈ બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બોડેલી નજીક પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં પરણીત યુવતીએ ઝંપલાવ્યાની આશંકા

બોડેલી – 23-10-2024
બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ નજીક પરણીત યુવતીની સ્કૂલ બેગ સહીત ચીજવસ્તુઓ મળી આવતા આ પરણિત યુવતીએ કેનાલમાં ઝંપલાવયું હોવાની શંકાને લઇ ફાયર ફાઇટરની ટિમ અને પોલીસ શોધખોળ શરુ કરી છે 

મળતી માહિતી મુજબ બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ નજીક આજે બુધવારે છોટાઉદેપુર તાલુકાના કીકાવાડા ગામની પરણીત સોનલ રાઠવાની સ્કૂલ બેગ, મોબાઈલ, બુટ સહીતની ચીજવસ્તુઓ મળી આવતા સોનલ રાઠવાના પરિવાજનોએ બોડેલી પોલીસ મથકે જાણ કરાઈ  હતી જેને લઇ પોલીસ જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા જયારે સોનલના પિતાએ છોટાઉદેપુર ફાયર ફાઈટરને જાણ કરતા  ફાયર ઓફિસ સહીત ટિમ તાત્કાલિક સાથે પોહચી ટિમ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં શોધખોળ હાથ ધરાઈ હતી બીજી તરફ પરણિત યુવતીએ કેનાલમાં ઝંમલાવ્યુ હોવાના સમાચાર વહેતા થતા કેનાલ પાસે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા 

કલાકોની જહેમત બાદ પરણીત યુવતીનો કોઈ પતો નહિ 


સોનલ રાઠવા છોટાઉદેપુરમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હોવાની વિગત સામે આવી છે જયારે યુવતીના પિતાના જણાવ્યા અનુસાર સોનલ રાઠવાએ તેના પતિના મોબાઈલ પર નર્મદા મુખ્ય કેનાલના ફોટા વોટ્સઅપ કર્યા હતા જો કે નજીકમાંથી સ્કૂલ બેગ મળી હતી જેને લઇ સોનલ રાઠવાએ કેનાલમાં ઝંમલાવ્યુ હોવાની શંકા સેવાઈ રહી છે ફાયર ફાઇટર અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની ભારે જહેમત બાદ સોનલ રાઠવાનો કોઈ પતો મળ્યો ન હતો 

બોડેલી: લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર

બોડેલી | 22-10-2024

બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર થતા સમગ્ર તાલુકાનું રાજકરણ ગરમાયુ છે. વિકાસના કામો અને પંચાયતના અન્ય કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં ન આવતા હોય ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ બિનીતાબેન પરમાર ગ્રામ પંચાયત માં પોતાની મનમાની મુજબ કામ કરતા હોવાની સાથે સાથે વિકાસના કામો તેમજ પંચાયતની અન્ય બાબતોમાં પણ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ સહિત સાત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા આવી હતી જેને લઈ આજે મંગળવારે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી, બોડેલીની ઉપસ્થિતિમાં લઢોદની શારણેશ્વર વિદ્યાલય ખાતે ગ્રામ પંચાયતની એક અગત્યની મીટિંગ મળી હતી જેમાં ડેપ્યુટી સરપંચ ઉમેશભાઈ તડવી, મીનાબેન ઠાકોર, મયુર ભાટિયા, સંગીતાબેન તડવી, સરજુબેન તડવી, નયનાબેન નાયકા અને સુશીલાબેન દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવમાં મતદાન કરાતા સરપંચ વિરુદ્ધ 7 મતો પડ્યા હતા. આમ, સરપંચની વિરુદ્ધ વધુ મતો પડતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ બહુમતીથી પસાર કરવામાં આવી હતી . સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે ડે, સરપંચ ઉમેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે બોડેલીથી ટીઓડીઓ આવ્યા હતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત હતી તે પસાર થઈ છે આ જ દિન સુધી અમને કામોમાં વિશ્વાસમાં નથી લીધા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે અગ્રણી યશપાલસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તે પ્રસ્તાવ આજે પાસ થયો છે તાલુકા વિકાસ અધિકારી તરફથી અધિકારીઓ આવી આ પ્રસ્તાવની મંજૂરી આપી છે અઢી વર્ષ પહેલા જે ચૂંટણી થઇ હતી તે ચૂંટણીમાં સરપંચે મનમાની રાખીને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ખોટા કામો કર્યા છે જેથી દરેક સભ્યોને વિરોધ હતો સાત સભ્યોએ તેમની વિરુદ્ધ પ્રસતાવ પાસ કર્યો છે

બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર

બોડેલી | 22-10-2024

બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર થતા સમગ્ર તાલુકાનું રાજકરણ ગરમાયુ છે. વિકાસના કામો અને પંચાયતના અન્ય કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં ન આવતા હોય ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ બિનીતાબેન પરમાર ગ્રામ પંચાયત માં પોતાની મનમાની મુજબ કામ કરતા હોવાની સાથે સાથે વિકાસના કામો તેમજ પંચાયતની અન્ય બાબતોમાં પણ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ સહિત સાત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા આવી હતી જેને લઈ આજે મંગળવારે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી, બોડેલીની ઉપસ્થિતિમાં લઢોદની શારણેશ્વર વિદ્યાલય ખાતે ગ્રામ પંચાયતની એક અગત્યની મીટિંગ મળી હતી જેમાં ડેપ્યુટી સરપંચ ઉમેશભાઈ તડવી, મીનાબેન ઠાકોર, મયુર ભાટિયા, સંગીતાબેન તડવી, સરજુબેન તડવી, નયનાબેન નાયકા અને સુશીલાબેન દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવમાં મતદાન કરાતા સરપંચ વિરુદ્ધ 7 મતો પડ્યા હતા. આમ, સરપંચની વિરુદ્ધ વધુ મતો પડતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ બહુમતીથી પસાર કરવામાં આવી હતી . સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે ડે, સરપંચ ઉમેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે બોડેલીથી ટીઓડીઓ આવ્યા હતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત હતી તે પસાર થઈ છે આ જ દિન સુધી અમને કામોમાં વિશ્વાસમાં નથી લીધા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે અગ્રણી યશપાલસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તે પ્રસ્તાવ આજે પાસ થયો છે તાલુકા વિકાસ અધિકારી તરફથી અધિકારીઓ આવી આ પ્રસ્તાવની મંજૂરી આપી છે અઢી વર્ષ પહેલા જે ચૂંટણી થઇ હતી તે ચૂંટણીમાં સરપંચે મનમાની રાખીને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ખોટા કામો કર્યા છે જેથી દરેક સભ્યોને વિરોધ હતો સાત સભ્યોએ તેમની વિરુદ્ધ પ્રસતાવ પાસ કર્યો છે

છોટાઉદેપુર: બોડેલીના અલીખેરવા વિસ્તારમાં તંત્રએ મકાનોના દબાણો દૂર કર્યા

Screenshot

બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીઝથી રાજખેરવાને જોડતા મુખ્ય રોડ પર આવેલ મકાનોના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી તંત્રના અધિકારીઓ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કાફલા સાથે મકાનોના દબાણો જેસીબી મશીન વડે દૂર કરાયા હતા

Screenshot

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં ગોપાલ ટોકીઝ થી રાજખેરવાને જોડતા કરોડોના ખર્ચે બનેલા આર.સી. સી રોડ છેલ્લા કેટલા સમયથી વિવાદમાં હતો રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભેસિંહ તડવી કર્યા બાદ રોડની કામગીરી શરૂ કરાઈ હતી રોડની બંને બાજુમાં દબાણ હોવાની ૨ કી.મીના રોડમાં ૫૦૦ મીટરના રોડની કામગીરી અધૂરી મૂકવામાં આવી હતી. અગાઉ છોટાઉદેપુર જિલ્લા અને સ્થાનિક અધિકારીઓ પોલીસ કાફલા સાથે રોડની માપણી સહિતની દબાણો કરતા અધૂરા રોડની કામગીરી પૂર્ણ કરાઈ હતી રોડની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈ અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા મકાન માલિકોને નોટિસ આપવામાં આવી હતી જો કે શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ માર્ગ મકાન વિભાગ, બોડેલી મામલતદાર, બોડેલી તાલુકા વિકાસ અધિકારી સહિત તંત્રના અધિકારીઓ અને દ્વારા કર્મીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી જેસીબીને મદદ વડે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે વહીવટી તંત્રમાં અધિકારીઓ અને રહીશો વચ્ચે ચકમકમાં દ્રશ્યો સામે આવ્યા હતા

Screenshot

મકાનના દસ્તાવેજ હોઈ અને કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી. તેમ છતાં અધિકારીઓની મનમાની કરી યોગ્ય માપ કર્યા વગર દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનો મકાન માલિકો આક્ષપે કરી રહ્યા છે જ્યારે માપણી અંગેના નિશાનથી વધુ દબાણ દૂર કરતા મકાન માલિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, રહીશો પોતાના દસ્તાવેજ બતાવી રહ્યા છે પણ તેમની વાત માનવામાં આવી નથી આ એક જ એવો વિસ્તાર છે કે જ્યાં દબાણો બાબતે રાજકારણ કેટલાક લોકો રમી રહ્યા હોવાનું રહીશોનું કહેવું છે બોડેલી તાલુકાના અલીખેરવા જેવા વિસ્તારોમાં ખુબ દબાણો હોવા છતાં ફક્ત એક જ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે છેલ્લા દોઢ વર્ષ થી રસ્તાના દબાણો બાબતે ચાલતા વિવાદને લઇ આજે દબાણો દૂર તો કરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વાર તંત્ર દબાણોનો મુદ્દો લઇને નહિ આવે તે બાબતે ચિંતિત છે કારણ કે આ રસ્તા ઉપર તંત્ર દ્વારા ત્રણ વાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જો અગાઉ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે સમયે અધિકારીઓ પાસે યોગ્ય માપ ન હતો ? કેમ વારંવાર દબાણને લઇ અહીના રહિશોને દબાણમાં રાખવામાં આવે છે હવે આ બાબતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તેવુ આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે.

Screenshot

દબાણ હટાવતા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે છોટાઉદેપુરના ડીવાયએસપી ડી. કે રાઠોડ, બોડેલી પીઆઈ ડી.એસ વાઢેર, બોડેલી પીએસઆઈ અને ૫૦ થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું હતું, ત્યાં રહેતા પરિવારો પોતાનું મકાન ન તોડવા માટે આજીજી કરતા નજરે પડ્યા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા JCB મશીન રોકવામાં ન આવ્યું હતું. અને મકાનોના દબાણને તોડી પાડવામાં આવ્યાઆ અંગે બોડેલી તાલુકા વિકાસ અધિકારી બી જે પટલે જાણશે ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ૫૦૦ મીટરનો રસ્તો મકાનના દબાણના કારણે તેની કામગીરી અટકી હતી જે વહીવટી તંત્ર અને પોલીસને સાથે રાખી અને સ્થાનિકના સહયોગથી દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં પેવર બ્લોકને કામગીરી પૂર્ણ થશે

બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાયું

છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર તથા દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા ૫૦૦ જમા કરાવવા માટેની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવામાં આવે છે આ ઉપરાંત પણ જેની આર્થિક સ્થિતિ સારી નથી તેવા ટીબી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તે માટે ઘણા નિક્ષય મિત્ર સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ માં ૨૫ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય કચેરી બોડેલીના ઇન્ચાર્જ ટી.એચ. ઓ ડો. ભારતી ગુપ્તા, ડૉ. હિરલ સેંગાલ આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર તથા દિપક ફાઉન્ડેશન નાં આકાંક્ષા રાજપૂત એ ઉપસ્થિત લાભાર્થી ટીબીના દર્દીઓ ને ટીબી રોગના લક્ષણો, તેની જરુરી તપાસ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી , તાલુકા આરોગ્ય સુપરવાઈઝર ગૌરાંગ દરજી સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર ઈમ્તિયાઝ મેમણ, બોડેલી

અત્યાધુનિક મીની ફાયર ફાયટરનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ


ડભોઈ

ડભોઇ ખાતે નાની ગલીઓમાં આગના બનાવ ઉપર કાબૂ મેળવવા હેતુ ડભોઇ નગર પાલિકાને છેલ્લા ઘના સમયથી મીની ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ વ્હિકલની જરૂર હતી જે આજ રોજ પાલિકા દ્વારા લાવવામાં આવેલ નવીન ઇમરજન્સી રિસ્પોન્સ વ્હિકલ 40 લાખના ખર્ચે ખરીદી કરવામાં આવ્યું હોય ત્યારે જનતાને ઉપયોગ થઈ શકે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ડભોઇ પંથક અને નગરની નાની ગલીઓમાં પણ આગ ની ઘટના ઘની વાર બનતી હોય છે તેની પર કાબૂ મેળવવા માટે ડભોઇ નગર પાલિકા માં છેલ્લા ઘના સમય થી એક મીની ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલની જરૂરિયાત હતી આજે ડભોઇ નગર પાલિકા દ્વારા 15માં નાનાપંચ ની ગ્રાન્ટ માંથી રૂ.40 લાખ નાં ખર્ચે આ વ્હિકલ લાવવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આગામી સમયમાં ડભોઇ નગર માં હવે નાની નાની ગલીઓમાં પણ આગની ઘટનામાં આ મીની ફાયર ફાયટર ખૂબ ઉપયોગી બનશે જ્યારે ડભોઇ ફાયર વિભાગ પાસે હવે સાધનોમાં 3 વ્હિકલ થતા આગની ઘટનાઓ ઉપર જલદી થી કાબૂ મેળવી શકાશે આ લોકાર્પણ પ્રસંગે ડભોઇ નગર પાલિકા પ્રમુખ બીરેન શાહ, જિલ્લા ફાયર વિભાગના ઇન્ચાર્જ અભિશેલભાઈ ,ચીફ ઓફિસર જય કિશાન તડવી, સહિત પાલિકા સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર સલીમ ખલીફા, ડભોઈ

સ્વસ્થ-તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પત્રકારિતા લોકશાહીનો ચોથો સ્તંભ છે. પત્રકારિતાનો ધર્મ સમાજને જાગૃત કરવાનો છે. પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા થકી સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટ ‘ફિટ ઇન્ડિયા’ની સંકલ્પના તેમણે આપી છે. જનતાનો અવાજ બનતા પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે ત્યારે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ એટલી જ અગત્યની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ ‘ફિટ ઇન્ડિયા – ફીટ મીડિયા’ ના શુભારંભ પ્રસંગે આ વાત કહી હતી.
વિકાસ સપ્તાહ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે ‘ફિટ ઇન્ડિયા – ફીટ મીડિયા’ પ્રોગ્રામનો ઉદઘાટન સમારોહ અમદાવાદ રેડક્રોસ ભવન ખાતે યોજાયો હતો.
મુખ્યમંત્રીએ આ સંદર્ભે કહ્યું કે, પત્રકારોની આરોગ્ય રક્ષા- સ્વાસ્થ્ય દરકાર માટે માહિતી ખાતા અને રેડક્રોસની આ પહેલ સરાહનીય છે.
પત્રકારોના હેલ્થ ચેકઅપ માટેનો આ ઉપક્રમ દર વર્ષે યોજવાની હિમાયત પણ તેમણે કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે “પહેલું સુખ તે જાતે નર્યા” એ આપણી કાર્ય સંસ્કૃતિ છે. સ્વાસ્થ્ય સારું હશે તો કોઈ પણ ધંધા-રોજગાર કે વ્યવસાયમાં આપણે ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકીશું. સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઈફ સ્ટાઇલને કારણે પત્રકાર સહિત દરેક વ્યવસાયકારોએ પોતાની આરોગ્ય સંભાળ અવશ્ય લેવી જોઈએ.
શરીરમાં આવેલા રોગ-ત્રુટીને જાણવા માટે આરોગ્ય તપાસ જરૂરી છે તેમ જ સમાજ- સરકારમાં રહેલી ત્રુટીની જાણ માટે પત્રકારિતા આવશ્યક છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ આ તકે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં મળતી જેનરીક દવાઓની ઉપયોગીતા સમજાવી હતી. પ્રચાર માધ્યમોના સહકારથી જન ઔષધી કેન્દ્રમાં મળતી દવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી અપીલ તેમણે કરી હતી.
આ પ્રંસગે સ્વાગત પ્રવચન કરતા ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમાચારો માટે સતત દોડતા પત્રકારોના આરોગ્યની દરકાર માટે મુખ્યમંત્રીએ ચિંતિત થઈ આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું.
વધુમાં, અજય પટેલે ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા થઈ રહેલા આરોગ્ય વિષયક સેવાઓ અને કાર્યો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ ૨૮ બ્લડ બેંક કાર્યરત છે. એક કલાકમાં બ્લડ ટેસ્ટનો રિપોર્ટ મળી જાય તે પ્રકારની વ્યવસ્થાઓ છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩મા જન્મદિને ગુજરાત રેડક્રોસ દ્વારા રાજ્યમાં ૭૩ જેટલા જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા. આગામી સમયમાં સમગ્ર દેશમાં ૧૦,૦૦૦ જેટલા સ્ટોર ખોલવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.
આ તકે માહિતી નિયામક કે.એલ.બચાણીએ પત્રકારો અને સૌ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મીડિયા લોકશાહીનો ચોથો અને મજબૂત સ્તંભ છે. લોકપ્રશ્નોને જાગૃત કરવા સતત પ્રયત્નશીલ અને સંઘર્ષશીલ રહેતા મીડિયાકર્મીઓ ક્યારેક આરોગ્યની સંભાળ રાખવાનું ચૂકી જતા હોય છે. માહિતી ખાતા અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે શરૂ થયેલ રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનીંગ કાર્યક્રમનો મહત્તમ પત્રકારો અને મીડિયા કર્મીઓ લાભ મેળવશે એવી આશા છે.
વધુમાં, તેમણે મુખ્યમંત્રી તેમજ મંચસ્થ મહાનુભાવો સહિત કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ગુજરાતની વણથંભી વિકાસયાત્રાની શરૂઆત કરાવી હતી. તેમના સુશાસનના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે હાલમાં આપણે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. જે અંતર્ગત આજે મીડિયા કર્મીઓ માટે ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ રાજ્યવ્યાપી કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ, તેમણે આરોગ્ય સહિત સમાજ કલ્યાણના કાર્યોમાં અગ્રેસર રહેતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, ગુજરાત રેડક્રોસના સી.ઇ.ઓ. ડો.પ્રકાશ પરમાર, મેનેજિંગ કમિટી મેમ્બર ડો.અજય પટેલ, મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તથા સમાચાર પત્રો અને ચેનલોના સંપાદકો અને વરિષ્ઠ પત્રકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના વરદહસ્તે ૭૨.૭૬ કરોડના ૧૭૭ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ

છોટાઉદપુર:સમગ્ર રાજ્યમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરબાર હોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસ કામોનો ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના વરદહસ્તે જિલ્લાના ૭ વિભાગોમાં ૭૨.૭૬ કરોડના ૧૭૭ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લામાં ૭ વિભાગોના વિકાસ કામોની માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂ.૨૯.૩૫ કરોડના ૭૫ કામોના ઈ- ખાતમુહૂર્ત અને રૂ. ૪૩.૪૦ કરોડના ૧૦૨ કામોના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય વહીવટ વિભાગ, આયોજનના રૂ.૨.૯૧ કરોડના ૪૬ કામોનું લોકાર્પણ અને ૫૪ કામોનું ખાતમુહૂર્ત, આદિજાતી વિભાગના ૩૫.૪૩ લાખના ૯ કામોનું લોકાર્પણ અને ૩ કામોનું ખાતમુહૂર્ત, પંચાયત વિભાગના ૭૧.૫૦ લાખના ૧૭ કામોનું લોકાર્પણ અને ૬ કામોનું ખાતમુહૂર્ત, શિક્ષણ વિભાગના ૮.૫૦ કરોડના ૯ કામોનું લોકાર્પણ અને ૨ કામોનું ખાતમુહૂર્ત, પંચાયત માર્ગ અને મકાન વિભાગ છોટાઉદેપુરના ૪૪ કરોડના ૯ કામોનું લોકાર્પણ અને ૧૦ કામોનું ખાતમુહૂર્ત, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (જેટકો)ના ૧૫.૨૮ કરોડના ૨ કામો અને મહિલા અને બાળ વિકાસ વિભાગના ૭૬લાખના ૧૦ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ રાઠવા અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
યુવા અને સંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો .માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીનો વિડીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલા ગરબાનો ઓડીયો વિઝ્યુઅલ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ.૨૦૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. જેનું ઉપસ્થિત સૌ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.