Home Blog Page 28

નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ


ગાંધીનગર : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી ના તહેવારો માં જાહેર જનતા ને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારી ના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે જેના ભાગ રૂપે રાજ્યવ્યાપી દરોડા:રૂ. ૪.૫ કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે.

મંત્રી પટેલે ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ ના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયારે ૨૪૨૩ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા છે.

આ ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન ૫૬ લાખ થી નાગરિકો માટે ૬૪૦ થી વધુ જાગૃતિ માટે ના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.

તેમણે ઉમેર્યું કે, મહેસાણા અને પાટણ ખાતે થી રૂ. ૧.૩૯ કરોડ નું ૪૫.૫ ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ ખાનગી બાતમી ના આધારે મે. હરિઓમ પ્રોડક્ટ્સ, ૨૮, ૨૯, ૩૦, રાજરત્ન એસ્ટેટ, મુ.પો. બુડાસણ, તા. કડી, જી. મહેસાણા ખાતેથી શંકાસ્પદ રીતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.મે. જય અંબે સ્પાઇસીસ પેઢી પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા. સ્થળ ઉપર તપાસ દરમ્યાન તંત્ર ની ટીમ ને ફોરેન ફેટ, પામોલીન તેલ અને ઘી પણ મળી આવેલ જેનાથી પ્રાથમિક દ્રષ્ટી એ ઘી માં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું,આથી સ્થળ પરથી હાજર જવાબદાર વ્યક્તિ રામુ ડાકુરામ ડાંગી ની હાજરી માં કૂલ ૬ નમુના લેવામાં આવ્યા હતા,જયારે બાકીનો કૂલ
રૂ. ૧.૨૫ કરોડનો ૪૩,૧૦૦ કિગ્રા નો જથ્થો કે જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પાટણ સિટીમાં ત્રણ દરવાજા પાસે આવેલ નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલા ની પેઢી માંથી શંકાસ્પદ ઘી ની ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરતા લેબલ વગર નો ઘી નો જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે સ્થળ પર થી માલિક ની હાજરી માં કૂલ ૧૧ શંકાસ્પદ ઘી ના નમુના લેવામાં આવ્યા છે જયારે અંદાજીત કિંમત આશરે રૂ. ૧૪.૩૦ લાખનો બાકીનો ૨૪૦૦ કિગ્રા થી વધુ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રવૃત્તિઓથી રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓ માં ફફડાટ વ્યાપ્યો છે. ચાલો આપને સૌ સાથે મળી ફૂડ સેફટી પખવાડિયા ને ઉજવીએ અને “સલામત ખોરાક, સ્વસ્થ ગુજરાત” હેઠળ ગુજરાતને ખોરાક ની ગુણવત્તા ની બાબત માં દેશમાં મોખરા નું રાજ્ય બનાવીએ.

વિજયાદશમીના પાવન અવસરે ખૂટાલીયા પોલીસ હેડકવાર્ટર અને હોમગાર્ડ કચેરી ખાતે શસ્ત્ર પૂજા

છોટાઉદેપુર: આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો પર્વ વિજયાદશમી. આ દિવસે શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિમાં પરંપરા છે. વિજયાદશમીના પાવન અવસરે છોટાઉદેપુરના ખૂટાલીયાના પોલીસ હેડકવાર્ટર ખાતે ના.પો.અધિક્ષક કે.એચ.સૂર્વવાંશી,પી.આઇ એમ.જે.ચૌધરી તથા અન્ય પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ, પોલીસ જવાનો સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા પણ આ અવસરે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.
ના.પો.અધિક્ષક કે.એચ.સૂર્વવાંશીએ સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજ રક્ષા અને સુરક્ષાના દાયિત્વ સાથો સાથ કરૂણા, સંવેદના રાખી પોલીસ દળને કર્તવ્યનો સંદેશ આપ્યો હતો. પોલીસદળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

ડભોઈમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજા તથા શોભાયાત્રાનું આયોજન

ડભોઇ ખાતે રાજપૂત સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજે દશેરા પર્વ નિમિત્તે સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખો ડભોઇ હિરાભાગોળ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આં શોભાયાત્રા સૌર્ય પ્રદર્શન સાથે ડભોઇના માર્ગો ઉપર ફરી અડવાણી હોલ ખાતે શસ્ત્રપૂજા નોંકાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ડભોઇ નગર નાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના આગેવાન જોડાયા હતા.

ડભોઇ સહિત સમગ્ર રાજ્યમાં વસતા રાજપૂત સમાજ માટે આજે મહત્વનો દિવસ અસત્ય ઉપર સત્ય નો વિજય થયો હોય તે દિવસ એટલે દશેહરા આં દિવસે ક્ષત્રિય સમાજ અને રાજપૂત વંશજ નાં લોકો દ્વારા શસ્ત્રનું પૂજન કરી પરંપરા અને સંસ્કૃતિ ને યાદ કરી આં દિવસ ની ઉજવણી કરતા હોય છે ત્યારે ડભોઇ ખાતે પણ રાજપૂત સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ઉપક્રમે વિશેષ આયોજન દશેરા પર્વ ને લઈ કરવામાં આવ્યું હતું આં પ્રસંગે ડભોઇ હીરાભાગોળ નગર નાં કુળ દેવીના દર્શન કરી રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ના આગેવાનો બાઈક ઉપર સવાર થઈ સૌર્ય પ્રદર્શન સાથે જય ભવાની નાં નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને નગર નાં રાજ માર્ગો ઉપર ફરી એસ.ટી ડેપો પાસે અડવાણી હોલ પહોંચી શસ્ત્રપૂજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ ના યુવકો અને આગેવાનો જોડાયા હતા અને ઉત્સાહ સાથે આં દિવસ ની ઉજવણી કરી હતી.

રિપોર્ટર સલીમ ખલીફા, ડભોઈ

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત જબુગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ

ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ ઉજવણી કરવામાં આવી રહી છે. રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કરાઇ રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના ખેતીવાડી પેટા વિભાગ જબુગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે મદદનીશ ખેતી નિયામક કે.એ. પટેલ અને ડી.આર. પટેલ દ્વારા વિસ્તરણ અધિકારીઓ તથા ગ્રામસેવકશ્રીઓની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરુરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. ઉપસ્થિત સૌએ વિકાસ સપ્તાહ અંતર્ગત ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.