Home Blog Page 6

વિશ્વ દૂધ દિવસ : વાર્ષિક ૧૮ મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૫

વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને “વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૨ (બે) ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ GDPમાં લગભગ ૪.૫ ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.

દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં પ્રથમ

ભારત વર્ષ ૧૯૯૮થી આજ દિન સુધી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. ભારત દેશ વાર્ષિક ૨૩૯ મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો ફાળો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામે દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઇ રહ્યો છે. માત્ર છેલ્લા એક દાયકામાં જ દેશના દૂધ ઉત્પાદનમાં ૬૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. આટલું જ નહિ, દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૪૮ ટકા વધીને આજે ૪૭૧ ગ્રામ પ્રતિ દિન થઇ છે.

ગુજરાતના દૂધ ઉત્પાદનમાં સતત વધારો

ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ આજે વાર્ષિક ૧૮ મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૫ ટકા જેટલો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ૧૧.૮ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૩૮ ટકા વધીને આજે ૭૦૦ ગ્રામ પ્રતિ દિન થઇ છે

દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે રાજ્ય સરકરના સફળ પ્રયાસો

દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર હતો. જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં પશુ ચિકિત્સા-સારવારનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.

ગુજરાતનું સુદ્રઢ પશુ સારવાર માળખું

ગુજરાતના મહામૂલા પશુધન માટે હાલ રાજ્યમાં ૯૨૯ પશુ દવાખાના, ૫૫૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ૫૮૭ ફરતા પશુ દવાખાના, ૩૪ વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને ૨૧ પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ ઉપરાંત પશુઓને સારવાર-રસીકરણ સહિતની સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં અત્યારે કુલ ૪,૨૭૬ પશુ ચિકિત્સકો (વેટરિનેરિયન) નોંધાયેલા છે. આ સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડીને રાજ્ય સરકાર ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.

પશુ સંવર્ધન માટે પશુપાલકોને સહાય

પશુઓની ઉત્તમ સારવાર ઉપરાંત પશુપાલકો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ સંવર્ધનને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સારી નસલના પશુઓની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને નજીવા દરે પશુઓમાં સેક્સ્ડ સીમેન ડોઝ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો સફળતા દર ૯૦ ટકાથી વધુ છે. એટલે કે, સેકસ્ડ સીમેન ડોઝ બાદ ૯૦ ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે. આ ઉપરાંત પશુઓમાં થતા IVFના ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા પશુપાલકોને સબસીડી આપવામાં આવી રહી છે.રાજ્ય સરકારના બહુલક્ષી પ્રયાસોના પરિણામે જ આજે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ખૂબ જ વિકસિત બન્યો છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. ગામડાંઓમાં પશુપાલન એ લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવા દૂધ ઉત્પાદક પરિવારોને અમૂલ જેવી સહકારી સંસ્થાઓએ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી રાજ્યના પશુપાલકો પણ આજે આત્મનિર્ભર બન્યા છે. આગામી સમયમાં ગુજરાતને દેશનું અગ્રેસર દૂધ ઉત્પાદક રાજ્ય બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે

રાજ્યભરમાં સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઈ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં તા.૩૧ મે ૨૦૨૫ના રોજ સાંજે ૫ થી ૮ કલાકે નાગરિક સંરક્ષણ કવાયત “ઓપરેશન શિલ્ડ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને સિવિલ ડિફેન્સના ડી.જી.પી મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યુ હતુ.ગુજરાતના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્યહેતુ યુદ્ધની પરિસ્થિતિ અથવા સરહદે ઉભી થતી તણાવની પરિસ્થિતિમાં નાગરિકો પોતાને કઇ રીતે સુરક્ષિત રાખી શકે તેમજ વહીવટી તંત્રને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગેની જાગૃતિ ફેલાવવાનું છે. વધુમાં રાજ્યના ૯ જિલ્લાઓ ખાતે ૧૪ યુનિટ માંથી અંદાજિત‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ૧૨ હજાર જેટલા સિવિલ ડિફેન્સના માનદ સભ્યો નિમણુંક થયેલા છે. નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ પૈકી અગત્યની સેવાઓ જેવી કે, સર્ચ અને રેસ્ક્યુ, ફર્સ્ટ એઇડ જેવી તાલીમ, એર રેડ અને બ્લેક આઉટની જોગવાઈ મુજબ તાલિમબદ્ધ સિવિલ ડિફેન્સના વધુમા વધુ સભ્યો આ મોકડ્રીલમાં જોડાયેલા હતા.આ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ વોલિયેન્ટર્સ, ફાયર, આરોગ્ય વિભાગ , પોલીસ, ફોરેસ્ટ, ઉર્જા, રોડ અને બિલ્ડીંગ, NCC, NSS, શિક્ષણ, મ્યુનિસિપલ કોર્પોરેશન, હોમગાર્ડઝ સહિતના વિવિધ વિભાગો અને એજન્સીઓ સહભાગી થયા હતા. આજ રોજ રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે મેડિકલ ઇમરજન્સી અને રેસ્ક્યુ ડ્રીલ, બ્લડ ડોનેશન કેમ્પ, એરસ્ટ્રાઇક, ફાયર, ઇવોકેશન, એર રેઇડ વોર્નિંગ, જનરલ એક્ટિવેશન ઓફ હોટ લાઈન – કંટ્રોલ રૂમ, બ્લેક આઉટ, બોમ્બ અને ડ્રોન-મિસાઈલ અટેક જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ પ્રકારની મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સરહદી જિલ્લાઓ ખાતે મેડિકલ ઇમરજ્ન્સી, બ્લેક આઉટ તથા શેલ્ટર હોમ્સ સહિતની માહિતી નાગરિકોને આપવામાં આવી હતી.

બોડેલી એસટી ડેપોમાં મહિલાની બેગમાંથી ચોરી કરતા ગઠિયો પકડાયો

બોડેલીના એસટી ડેપોમાં બસની રાહ જોઈ બેઠેલા મહિલાની બેગમાંથી ગઠિયો ચોરી કરતા મુસાફરોએ પકડી પોલીસને સોંપ્યો હતો ગઠિયા પાસેથી મોબાઈલ અને રોકડા મળી આવ્યા હતા જયારે બોડેલી એસ ટી ડેપોમાં સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે સીસીટીવી અંગે મેનેજરને પૂછતા તેઓએ પોતાનો બચાવ કર્યો હતો બોડેલી સરકારી એસટી ડેપોમાં મુસાફરોના ખિસ્સા કાપવાના બનાવો સામે આવતા હોઈ છે ત્યારે આજે બપોરના સમયે મહિલા મુસાફર બસની રાહ જોઈ બેઠી હતી ત્યારે ગઠિયો મહિલાની બેગમાં ચોરી કરતા અન્ય મુસાફરોએ જોઈ જતા રંગે હાથ પકડ્યો હતો તેની પાસેથી મોબાઈલ અને રોકડ મળી આવતા મુસફરોએ બસ ડેપો મેનેજરની ઓફિસમાં લઇ જઈ પોલીસને સોંપ્યો હતો જયારે બોડેલી એસટી ડેપોમાં તીસરી આંખ એટલે કે સીસીટીવી છેલ્લા કેટલાક સમયથી શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહેતા છે સીસીટીવી બંધ હોવાના કારણે ચોરી કરતા ગઠીયામાં કોઈ પણ જાતનો ડર નથી રહ્યો, જેને લઇ મુસાફરોની સલામતીને લઇ અનેક સવાલો ઉભા થયાં છે જયારે આ અંગે અમારી ટીમે સીસીટીવી કેમેરા બંધ હોવાનું પૂછતા તેઓએ ઉપર રજુઆત કરી હોવાનું અને પોતે હમણા નવા ડેમો મેનેજર તરીકે હાજર થયા હોવાનું જણાવ્યું હતું

ઓપરેશન શિલ્ડ’ અંગે બોડેલી એકવાડેક નર્મદા કેનાલ ખાતે હવાઈ હુમલા અંગે મોકડ્રિલ યોજાઈ

બોડેલી ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અંગે એકવાડેક નર્મદા કેનાલ ખાતે હવાઈ હુમલા અંગે મોકડ્રિલ યોજાઈ હતી. હુમલાનો સંદેશો મળતાની સાથે જ ફાયર બ્રિગેડ, પોલીસ, ૧૦૮, બોડેલી પ્રાંત અધિકારી, તાલુકા મામલતદાર સહિતના અધિકારી અને કર્મયોગીઓ તથા આપત્તિ વ્યવસ્થાપનના યુનિટની કર્મયોગી ટીમે તાત્કાલિક રિસ્પોન્સ આપી અને રાહત બચાવ કામગીરી આરંભી હતી.

આ મોકડ્રીલમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ દ્વારા રાહત બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી.

નર્મદા કેનાલ એકવાડેક થયેલ હવાઈ હુમલામાં હવાઈ હુમલા દરમિયાન કેનાલ પર ૧૦ લોકોના મૃત્યુ અને ૨૦ ઘાયલ થયેલ વ્યક્તિઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૫૦ વ્યક્તિઓને તાલુકા સેવા સદન ખાતે રેસ્ક્યુ કરવામા આવ્યા હતા. આ સમગ્ર ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલમાં મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી પ્રાંતધિકારી, મામલતદાર સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોડેલી : અલીખેરવામાં કચરા અને ગંદકીમાં ભાજપના ખેસ રઝળતા જોવા મળ્યા

બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં ખદબદતી ભારે ગંદકીમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ મોટી માત્રામાં રઝળતી હાલતમાં નજરે પડી રહ્યા છે, ભારે ગંદકીમાં આ ખેસ કોણ નાખી ગયું તેને લઇને સવાલો ઉભા થયા છે

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નવીનગરી સોસાયટી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ભારે ગંદકીથી ખદબદતા આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ મોટી માત્રામાં રઝળતી હાલત નજરે પડી રહ્યા ચે જયારે થોડેક જ દૂર ગંદા પાણીના સામ્રાજ્યની વચ્ચે પણ એક બે ખેસ નજરે પડી રહ્યા છે જયારે અમારી ટિમ પોંહચી ત્યારે સુવર અને કુતરાઓ આ ખેસ પર ચાલી રહ્યાં હતા અને આ ખેસ પર આરામ કરતા પણ નજરે પડ્યા હતા

આ રીતે અલીખેરવા વિસ્તારમાં આ ખેસ કોણ ફેંકી ગયું હશે તેને લઇ હવે સવાલ ઉભો થયો છે જયારે આ ખેસ ફેંકનાર અને આવુ કૃત્ય કરનાર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અમારી ટીમે આ ખેસ કોણ નાખી ગયું તે બાબતે નજીકમાં રહેતા સ્થાનિકોને પૂછતાં સ્થાનિકોએ જવાબ આપવાનું ટાળ્યું હતુ

બોડેલીમાં ચાર બાઈકની ઉઠાંતરી, લોકોમાં ફફડાટ

બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટી અને સામ્રાજ્ય સોસાયટીમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરી તસ્કરો ફરાર થતા પંથકમાં ભારે ચકચાર સાથે ફફડાટ મચી જવા પામી છે જયારે ચોરીના બનાવને લઇ બોડેલી પોલીસ ના રાત્રિ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાડયા હતા બાઈક ચોરીના બનાવો બનતા પોલીસ અટકાવે એ ખૂબ જરૂરી બન્યું છે બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા અને કવાંટના ખરમડા સબ સેન્ટર પર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફજર બજાવતા દિવ્યાંગ અશોકભાઈ કોલચા તેઓની ટીવીએસ અપાચે ગત તા. 17/05/2025 રોડ રાત્રીના સમયે પોતાના ઘર આંગણામાં લોક મારી પાર્ક કરી સુઈ ગયા હતા ત્યારે રાત્રીના સમયે તસ્કરો અપાચે લઇ ફરાર થયા હતા જયારે તેમની નજીકમાં રહેતા અર્જુનભાઈ બારીયાની તે જ રાત્રીના સમયે હોન્ડા સાઈન ડ્રમ બાઈકને નિશાન બનાવી બાઈક ઉઠાવી ગયા હતા જયારે સામ્રાજ્ય સોસાયટીમાં રહેતા સુનંદાબેન પરમાર જઓ બોડેલીના કડાછલા ગ્રામ પંચાયત ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે તેમના પતિની બુલેટ બાઈક ગત તા 24/05/2025 ના રોજ પોતાના ઘર પાસે પાર્ક હતી ત્યારે રાત્રીના સમયે તસ્કરો બુકેટ લઇ રફુચક્કર થયા હતા ત્યાર બાદ તે જ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ગુપ્તાને ત્યાંથી સીબીઆઈ બાઈકની ચોરી કરી હતી આમ વ્રજભૂમિ સોસાયટીમાંથી કુલ 92,000 રૂપિયા કિંમતની બે બાઈક અને સામ્રાજ્ય સોસાયટીમાંથી 1,25,000 લાખની બે બાઈકો ચોરીના ચોરીના બનાવો બન્યા છે જેને લઇ સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે જયારે બોડેલી પોલીસ ચોરીના બનાવો અટકાવે અને કડક પેટ્રોલિંગ કરે તે જરૂરી બન્યું છે

બોડેલી તાલુકા સેવાસદનમાં વીજળીનો વેડફાટ, કર્મી હાજર ન હોવા છતાં પંખા ચાલુ

એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વીજળીનો બિનજરૂરી ઉપયોગ ન કરવા સૂચના આપી છે ત્યારે બોડેલીની સરકારી કચેરીમાં બેફામ વીજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે ઓફિસમાં કોઈ હાજર ન હોવા છતાં બિનજરૂરી વીજળી ચાલુ હોવાની વિગતો સપાટી પર આવી છે

એક તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ન કરવા માટે સૂચના આપી છે જયારે બીજી તરફ બોડેલીની સરકારી કચેરીઓની ઓફિસોમાં બેફામ વીજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે બોડેલી તાલુકા સેવાસદનમાં અનેક ઓફિસોમાં બિન જરૂરો લાઈટો – પંખા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે મામલતદારની ચેમ્બરની સામેથી ઓફિસમાં કોઈ બપોરે હાજર ન હોવા છતાં પંખા બિન જરૂરી ચાલુ રહે છે કદાચ બપોરનો સમય હોઈ રીશેષનો સમય હોઈ પરંતુ ત્યાં બેઠેલા જવાબદાર કર્મીઓ વીજળીને બંધ કેમ નથી કરતા તે પણ સવાલ છે

ત્યારે બીજી તરફ ઉપરના માળે પ્રાંત અધિકારીની ચેમ્બર પાસે કોઈ હાજર ન હોવા છતાં બિનજરૂરી પંખા ચાલુ હોઈ બેફામ રીતે વીજળીનો વ્યય થાય છે ત્રીજા માળે કોઈ બારી પાસે અજવાળું હોવા છતાં લાઈટો ચાલુ નજરે પડી હતી નીચે અને ઉપર આમ બંને માળે જવાબદાર અધિકારીઓ ચેમ્બરમાં બેસે છે છતાં તેઓ કદાચ અવાર જવર કરતા હોઈ તો તેને આ બાબત કેમ ધ્યાન નથી આવતી અથવા આ રીતે વીજળીનો વેડફાટ કરતા લોકોને કેમ સૂચના નથી આપી શકતા તે પણ ચર્ચા જાગી છે

આમ બોડેલી તાલુકા સેવાસદનમાં બેફામ લાઈટો ચાલુ રાખવામાં આવી હતી તેમ છતાં કેમ આ બાબતે ધ્યાન અપાતું નથી તે પણ એક સવાલ છે આમ સરકારી ઓફિસમાં પુષ્કળ પ્રમાણમાં વીજળીનો વેડફાટ થઇ રહ્યો છે અને વહીવટી તંત્ર મુખ્યમંત્રીની સૂચનાની અવગણના કરી ઘોળીને પી ગયું છે તે આ તસ્વીર પરથી સાબિત થાય છે

બોડેલી : કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ગેબનશા દાદાના ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

બોડેલીમાં કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ગેબનશા દાદાના ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શિરોલા કમ્પાઉન્ડમાં યોજાયેલ કવ્વાલીના પ્રોગ્રામમાં ઓપરેશન સિંદૂરને લઇ અનોખી દેશભક્તિ જોવા મળી હતી જયારે કવ્વાલ દ્વારા ઓપરેશન સિંદૂરને લઇ શે’ર સંભળાવવામાં આવ્યો હતો

બોડેલી ખાતે આવેલા હિન્દુ – મુસ્લિમ સહિત અને અનેક ધર્મના લોકોની એકતા અને શ્રઘ્ધાના પ્રતિક સમાન હઝરત ગેબનશાપીર દાદા (ર.આ) ના ઉર્ષ મુબારકની ઉજવણી દર વર્ષની જેમ બે દિવસ ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતા ના પ્રતીક સમાન હઝરત ગેબનશા પીર (ર.અ.)ના ઉર્ષના પ્રસંગે બોડેલી સહિત આસપાસના અનેક ગામના લોકો આસ્થા અને અકીદા સાથે દરગાહ ખાતે ઇબાદત, દુઆ-સલામ અને ફાતિહા માટે હાજરી આપી હતી.આ ઉપરાંત ગત તા. 27 ના રોજ મંગળવારે સાંજના સમયે હઝરત ગેબનશા પીર સરકાર (ર.અ.)ના સંદલ શરીફનો કાર્યક્રમ દરગાહ ખાતે યોજાયો હતો.

ત્યાર બાદ તમામ લોકો માટે આમ નિયાઝ (પ્રસાદી) નું અયોજન કરવામાં આવ્યું હતું જ્યારે બુધવારે બીજા દીવસે શિરોલા કમ્પાઉન્ડ ખાતે મુંબઈના મશહૂર કવાલ અદનાન નાઝા અને ઈરમ ચિસ્તીનો કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરને લઇ કવ્વાલ અદનાન નાઝાની અનોખી દેશભક્તિ જોવા મળી હતી

કવ્વાલ અદનાન નાઝાએ ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનને ધૂળ ચટાડનાર સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહને લઇ “વ્યોમિકા સિંહ ઔર સોફિયા કુરેશી સારે જગત મે છાગઈ” “પાકિસ્તાન કો સબક શીખા કે હિન્દ કી બેટી આગઈ ” શે’ર સંભળાવ્યો હતો જેને લઇ દેશ ભક્તિનું વાતાવરણ સર્જાયું હતું

આ કાર્યક્રમમાં બોડેલીના સરપંચ કાર્તિકભાઈ શાહ, અલીખેરવાના સરપંચ વિઠ્ઠલભાઈ રાઠવા, વકીલ લલિત ચંદ્ર રોહિત, મોહસીન મન્સૂરી, સામાજિક આગેવાન અનવરભાઈ મન્સૂરી, સમદ મન્સૂરી, મોનાબેન મન્સૂરી, અમજદ પઠાણ, અનવરખાન પઠાન, સાજીદભાઈ ધાબાવાલા અને દરગાહ કમિટી અને ગામના લોકો હાજર રહ્યા હતા

બોડેલી: અલીખેરવામાં દૂધ લેવા નીકળેલા વૃદ્ધ પર કપિરાજનો હુમલો, પગે ઇજા પોંહચી

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં આવેલ જન જલ્યાણ સોસાયટીમાં દૂધ લેવા નીકળેલા વૃદ્ધ પર કપિરાજે હુમલો કરી લોહીલુહાન કરી નાખી હતી વૃદ્ધને ઘાતકી હુમલો કરતા વૃદ્ધને 18 ટાકા લેવામાં આવ્યા હતા બનાવને લઇ વન વિભાગ કપિરાજને પાંજરે પુરે તેવી માંગ ઉઠવા પામી છે

બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં તોફાની કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે અલીખેરવાના જલ્યાણ સોસાયટીમાં રહેતા હરેન્દ્રસિંહ ચૌહાણ ગઈકાલે સવારે દૂધ લેવા નીકળ્યા હતા તે સમયે અનાચક કપિરાજે હરેન્દ્રસિંહ પર હુમલો કર્યો હતો જેને હરેન્દ્રસિંહએ બુમા બુમ કરતા લોકો એકત્ર થયા હતા જયારે કપિરાજે હરેન્દ્રસિંહને પગના ભાગે બચકા ભરતા લોહીલુહાન હાલતમાં સારવાર અર્થે બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે 18 ટાકા લઇ સારવાર કરી હતી કપિરાજના હુમલાના બનાવને લઈ ઉપરોક્ત વિસ્તારમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જયારે ઇજાગ્રસ્ત અને સ્થાનિકો કપિરાજ પાંજરે પુરાય તેવી માંગ કરી હતી તો બીજી તરફ બોડેલી વન વિભાગ દ્વારા બનાવને લઇ તોફાની કપિરાજને પકડવાની કવાયત હાથ ધરી છે

બોડેલીમાં મકાન અને દુકાનોમાંથી AC ના કોપરની પાઇપો અને વાયરિંગની ચોરી

બોડેલીમાં નવીન દુકાન અને મકાન બાંધકામમાં માલિકો દ્વારા નાખવામાં આવતી Ac ની કોપરની પાઇપ અને કેબલો તસ્કરો નિશાન બનાવી ચોરી કરી ફરાર થયા છે બોડેલીમાં બે જગ્યા પર ચોરીના બનાવો સામે આવતા માલિકોમાં ફફડાટ ફેલાયો છે બોડેલી નગરમાં માલિકો દ્વારા મકાન અને દુકાનના બાંધકામની કામગીરી કરાઈ રહી છે ત્યારે માલિકો દ્વારા પોતાના મકાનો અને દુકાનોમાં Ac માટે દીવાલમાં અંદર ગ્રાઉન્ડ કોપરની પાઇપો અને વાયરિંગ ફિટ કરવામાં આવી છે પરંતુ તસ્કરો નવો કિંમ્યો અપનાવી પાઇપો અને વાયરિંગ અધૂરા હોઈ ગાંઠિયાઓ તેને તોડી ખેંચીને લઇ જાય છે ત્યારે બોડેલીના અલીખેરવા વિસ્તારમાં આવેલ ગોકુલ સ્ટેટ સોસાયટી મકાન અને બોડેલીની મધ્યમાં આવેલ શોપિંગ (દુકાન) સેન્ટરની બાંધકામની કામગીરી ચાલુ છે ત્યાં એસીની કોપર અને કેબલો તસ્કરો લઈને ફરાર થયા હોવાનુ સામે આવ્યું છે ઉપરોક્ત ચોરીના બનાવને લઈ બાંધકામ કરતા માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે