Home Blog Page 7

બોડેલીની અલીપુરા ચાર રસ્તા પર આવેલ હેડિંગ્સ જોખમ રૂપ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે ત્યારે બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે મોટા હેડિંગ લોકો માટે જોખમ રૂપ સાબિત થાય તેમ છે સ્થાનિક તંત્ર દ્વારા હોર્ડિંગ દૂર કરવામાં આવે તે જરૂરી બન્યું છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે જેને લઇ અનેક વિસ્તારોમાં જોરદાર પવન જોવા મળી રહ્યો છે બોડેલી તાલુકામાં બે દિવસ પહેલા અને આજે ભારે પવન ફૂંકાયો હતો ત્યારે અલીપુરા ચાર રસ્તા પાસે મોટા જાહેરાતોના હેડિંગ ઉભા કરવામાં આવ્યા છે અને મુખ્ય રસ્તાઓની બાજુમાં બિલ્ડરો દ્વારા મોટા બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે તે જોખમ રૂપ સાબિત થાય તેમ છે જો ભારે પવન ફૂંકાઈ તો હેડિંગ અને બોર્ડ પવનમાં ફાંગોળાઈ કોઈકનો જીવ લઇ શકે છે જયારે આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતને ગંભીતાથી લઇ હેડિંગ દૂર કરાઈ તે પણ જરૂરી છે દરરોજ અહીંયા થી અધિકારીઓ પિતાની ગાડીમાં પસાર થાય છે તેમ છતાં તેમને કેમ હેડિંગ દેખાતા નથી તે પણ સવાલો ઉભા થયા છે મોટા મોટા હોર્ડિંગો બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે અને મુખ્ય રસ્તા ની બાજુમાં બિલ્ડરો દ્વારા મોટા બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે જો આ જોખમકારક હોર્ડિંગ અને બોર્ડ પવન માં ઉડી કોઈ ને ઇજા પહોંચાડે કે પછી નુકસાન કરે તે જવાબદાર કોણ તે સવાલ ઉભો થયો છે બીજી બાજુ દિવસ દરમિયાન અનેક વાર સ્થાનીક અધિકારી પસાર થયા છે પરંતુ તેઓ પણ આ જોખમકારક હોર્ડિંગો ઉતારવામાં રસ દેખાતો નથી.

બોડેલીમાં લગ્ન પ્રસંગ માટે બાંધેલા મંડપ ઉડ્યા, લોકોના જીવ તાળવે ચોટ્યા

બોડેલી સહીત આસપાસમાં વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે શનિવારે સામી સાંજે ભારે પવન ફૂંકાયો હતો જેને લઇ રોડ રસ્તાઓ પર ડમરીઓ ઉડી હતી તો બીજી તરફ અનેક લગ્નના મંડપો પણ પવનમાં ઉડ્યા હતા

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બોડેલી તાલુકાના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો આવ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી ભારે પવન ફૂંકાયો છે ત્યારે આજે શનિવારે સમી સાંજે ભારે પવન ફૂંકાયો હતો જેને લઇ રોડ રસ્તાઓ પર ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ બોડેલીન તાલુકામાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં લગ્ન પરિજનો દ્વારા લગ્ન, ભોજન ની વ્યવસ્થા કરાઈ છે આજે અચાનક પવન ફૂંકાતા મંડપ પવનમાં ઉડ્યા હતા જો કે મહેમાનો અને હાજર લોકો મંડપને પકડ્યો હતો જેને લઇ લગ્ન પરિજનો ચિંતામાં મુકાયા હતા

બોડેલીના સાગદરા ગામને જોડતા બ્રિજની પેરાફિટ તૂટેલી હાલતમાં, અકસ્માતની ભીતિ

બોડેલીના સાગદરા ગામ પાસે આવેલ નર્મદા મુખ્ય કેનાલની પેરાફિટનો એક ભાગ તૂટેલી હાલતમાં છે રાત્રીના સમયે અકસ્માતની ભીતિ વાહન ચાલકોમાં સેવાઈ રહી છે તંત્ર દ્વારા પેરાફિટ નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

બોડેલી તાલુકામાં બ્રીજોની પેરાફિટ જર્જરિત અને તૂટેલી હાલતમાં હોવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે બોડેલી મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ પર વાઘોડિયા સુધીના અન્ય ગામોને જોડતા બ્રીજોની પેરાફિટો નમેલી તેમજ તૂટલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે સાગદરા, અછાલી ગામને જોતા બ્રિજની પેરાફિટ છેલ્લા કેટલાક દિવસથી તૂટેલી હાલતમાં છે લોકોએ સાવચેતીના ભાગ રૂપે લાકડાની મુક્યા છે જો કે રાત્રીના સમયે અંધારાના કારણે દુર્ઘટના સર્જાઈ તેમ છે અછાલી, સાગદરા ગામના ખેડૂતોની ખેતી અન્ય વિસ્તારોમાં હોઈ જેથી સતત વાહનોની અવાર જવર રહેતી હોઈ છે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તે પહેલા તંત્ર આ બાબતને ગંભીરતા થી લઇ પેરાફિટના એક ભાગની મરામત કરે તેવી માંગ ઉઠવા પામી છે

બોડેલી : સાલપુરા ગામે ઓરા કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોને ઇજા, 3 સરકારી કર્મીનો બચાવ

બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે ઓરા કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષામાં સવાર 7 લોકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે બોડેલી સરકારી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જયારે ઓરા કારમાં ત્રણ સરકારી કર્મીઓનો આબાદ બચાવ થયો હતો

બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે આજે શુક્રવારે બપોરના 3:30 વાગ્યાંની આસપાસ ઓરા કાર અને રીક્ષા સામ – સામે ધડકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષામાં સવાર 7 લોકોને ગંભીર ઇજા થઇ હતી જયારે ઓરા ગાડીમાં સવાર ત્રણ સરકારી કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો બનાવના પગલે સરકારી અધિકારી, પોલીસ અને ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યાંથી 7 લોકોને ગંભીરતા હોઈ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ થયો હતો જ્યારે સમગ્ર બનાવને લઈ બોડેલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતના પગલે રોડની બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા અને થોડીક વારમાં ટ્રાફિક રાબેતા મુજબ થયો હતો

અકસ્માતમાં ત્રણ કર્મીનો આબાદ બચાવ

બોડેલીના સાલપુરા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ સરકારી કર્મચારી નો આબાદ બચાવ થયો છે આ કર્મચારી છોટાઉદેપુર રેવન્યુ શાખા ના હોવાનું સામે આવ્યું છે જ્યારે બપોરના સમયે તેઓ બે દિવસ રજા હોવાના કારણે પોતાના વતન ગાંધીનગર જતા હતા તે દરમિયાન ત્રણે કર્મચારીઓને અકસ્માત નડ્યો હતો મીડિયાકર્મીઓએ નામ પૂછતા કર્મચારીઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને તાત્કાલિક અન્ય વાહનમાં રવાના થઈ ગયા હતા.

ઈજાગ્રસ્તોના નામ

મિતલબેન હસમુખભાઈ રાઠવા (રહે- ભેંસાવી તાલુકો -પાવીજેતપુર)

શીતલબેન શૈલેષભાઈ બારીયા (રહે- ભેંસાવી તાલુકો -પાવીજેતપુર)

ધનલક્ષ્મીબેન શૈલેષભાઈ બારીયા (બન્ને રહે- જોજવાઘોડા તાલુકો -બોડેલી)

વિકેશભાઈ અંબુભાઈ રાઠવા

અંકિતાબેન વિકેશભાઈ રાઠવા

સોનાક્ષી વિકેશભાઈ રાઠવા

અક્ષરભાઈ વિકેશભાઇ રાઠવા (તમામ સિંહાદાના રહેવાસી)

અમદાવાદમાં કોરોનાની રી એન્ટ્રી, એક જ દિવસમાં 20 કેસ નોંધાયા

કોરોનાએ ફરી એકવાર કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. હાલમાં કોરોનાના કુલ 31 સક્રિય કેસ છે. કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, ખાંસી અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં કુલ 29 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 8 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 31 સક્રિય કેસ નોંધાયા છે, ત્યારે થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં ગઈકાલે કોરોનાના 5 નવા કેસ નોંધાયા હતા. શહેરના તમામ દર્દીઓમાંથી, 84 વર્ષનો એક વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ છે. 20 વર્ષની એક યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતી શ્વાસ લેવામાં તકલીફની સારવાર માટે આવી હતી. તે હાલમાં ઓક્સિજન પર છે. બાકીના બધા દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.મે મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જેમાંથી 33 સક્રિય છે. આ સાથે, AMCએ SVP, શારદાબેન અને LG હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ સ્થાપ્યા છે.

મહેસાણાના વિજાપુરમાં દીવાલ ધરાશાયી થતા 3નાં મોત

મહેસાણાના વિજાપુરમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકનાં મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા હતા. વિજાપુરના સુંદરપુર ગામમાં એક ઘરના નવીનીકરણ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, સુંદરપુર ગામના મહાદેવવાસમાં અતુલ ભીખાભાઈ પટેલ અને અશ્વિન જોઈતાભાઈ પટેલના નવા ઘર માટે જૂના મકાનને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન, એક જૂની ઇમારતની દિવાલ ધરાશાયી થઈ, જેમાં કામ કરતા ત્રણ કામદારો ફસાઈ ગયા, જેમાં ત્રણના મોત થયા અને ચાર ઘાયલ થયા.આ ઉપરાંત, કોન્ટ્રાક્ટર સહિત ચારથી પાંચ મજૂરો હજુ પણ દટાયેલા હોવાની માહિતી મળી રહી છે, જોકે, માહિતીની પુષ્ટિ થઈ શકી નથી. ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.

હિંમતનગર-ઇડર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ચારના મોત

રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોની ઘટનાઓ વચ્ચે, હિંમતનગર-ઇડર હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર પાટીયા પાસે એક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક બસે રિક્ષાને ટક્કર મારતા ચાર લોકોના જ મોત થયા છે, જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.એક ઝડપી ગતિએ આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારતાં એક મહિલા અને રિક્ષા ચાલક અને અન્ય બે લોકોના મોત નીપજ્યા હતા. અન્ય બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.

અમરેલીના દરિયાઈ સરહદમાં જોવા મળી શંકાસ્પદ બોટ

અમરેલીની દરિયાઈ સરહદમાં એક શંકાસ્પદ બોટ ફરતી જોવા મળી હતી. જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઇલ દૂર મળી આવેલી આ બોટ કોસ્ટ ગાર્ડને જોઈને ભાગી ગઈ હતી. હવે હેલિકોપ્ટરથી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની દરિયાકાંઠાની સરહદની સુરક્ષા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. આ બોટ જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર જોવા મળી હતી. માછીમારોએ હોડીને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તે રોકાઈ નહીં. જ્યારે બોટ ભાગી ગઈ ત્યારે કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી. કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર વડે બોટનો પીછો કરવાનું શરૂ કર્યું. શંકાસ્પદ બોટને કારણે દરિયામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.તાજેતરમાં મત્સ્યઉદ્યોગ વિભાગે પોરબંદર જિલ્લાની તમામ બોટોને માછીમારી માટે દરિયામાં જવાની મંજૂરી આપી છે. 14 મે, 2025 થી માછીમારી બોટને ટોકન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. IMBL અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી ન કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. માછીમારી બોટોને જૂથોમાં માછીમારી કરવા અને વાતચીત જાળવવા માટે કહેવામાં આવ્યું છે. જો દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે માછીમારી બોટો પાછી ખેંચી લીધી હતી.

કર્નલ સોફિયા કુરેશીની બહેન શાયના સુનસારા તિરંગા યાત્રામાં જોડાઈ, સેનાના જુસ્સાને કરી સલામ

વડોદરા: ઓપરેશન સિંદૂરની સફળતા પછી, ભાજપે વિવિધ રાજ્યોમાં ‘તિરંગા યાત્રા’ કાઢી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપતી આપણી સેનાની બહાદુરીની ઉજવણી કરી. આ દરમિયાન, કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારા પણ તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને ભારત સરકાર અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી પર ગર્વ છે જેમણે ઓપરેશન સિંદૂરની બ્રીફિંગ આપી હતી.ગુજરાતમાં તિરંગા યાત્રામાં ભાગ લેનાર શાયના સુનસારાએ કહ્યું, “ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદ સામે લેવામાં આવેલા પગલાં પ્રશંસનીય છે. આપણી સંરક્ષણ પ્રણાલી પહેલાથી જ ખૂબ મજબૂત છે અને આખી દુનિયા આ જાણે છે.”કર્નલ સોફિયા કુરેશીની બહેન શાયના સુનસારાએ આગળ કહ્યું, “આટલા બધા તિરંગા જોઈને મને પરમવીર ચક્રથી સન્માનિત આપણા કેપ્ટન વિક્રમ બત્રાની કેટલીક પંક્તિઓ યાદ આવે છે – ‘હું ચોક્કસ પાછો આવીશ, ભલે તે હાથમાં તિરંગા સાથે હોય કે તેમાં લપેટાયેલ હોય, પણ હું ચોક્કસ પાછો આવીશ.’ દેશ પ્રત્યેનો આ જુસ્સો આપણા દરેક સૈનિકમાં હાજર છે. જ્યારે તેઓ રસ્તો શોધે છે, ત્યારે તેઓ પોતાનું કામ પૂર્ણ કર્યા પછી જ અટકી જાય છે, તેઓ આમ જ અટકતા નથી.”શાયના સુનસારાએ કહ્યું, “જ્યારે તમારો દેશ આતંકવાદ સામે મોટું પગલું ભરે છે અને તમારી બહેન તે પગલાનો ભાગ હોય છે અને તેના વિશે માહિતી આપે છે, ત્યારે તે જોઈને સારું લાગે છે. મારી બહેન કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂરનો ભાગ છે તે જાણીને અને જોઈને સારું લાગે છે .”શાયના સુનસારા એક ફેશન ડિઝાઇનર, મોડેલ અને અભિનેત્રી છે જેમને વર્ષ 2018 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્નલ કુરેશી અને શાયના સુનસારાનો જન્મ ગુજરાતના વડોદરામાં એક લશ્કરી પરિવારમાં થયો હતો. શાયના તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મોડેલિંગ અને ફિટનેસ સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 હજારથી વધુ ફોલોઅર્સ છે. શાયના સુનસારા મિસ યુનાઇટેડ નેશન્સ 2018 અને મિસ ઇન્ડિયા અર્થ વર્લ્ડ પીસ પણ રહી ચૂકી છે.

ગુજરાતના 17 જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી જાહેર, IMD ના નવીનતમ અપડેટ વાંચો

ગુજરાતમાં હવામાને ફરી પોતાનો મિજાજ બદલ્યો છે. રાજ્યમાં ભીષણ ગરમી બાદ હવે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી છે. ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે એક અઠવાડિયા સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. ગુજરાતમાંથી વાદળો દૂર થતાં હવામાન વિભાગે ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. IMD ની આગાહી મુજબ, આજે ગુજરાતના 23 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.આ જિલ્લાઓમાં વરસાદ પડશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તે જ સમયે, IMD ની આગાહી મુજબ, 18 મે ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ અને ગાજવીજની પ્રબળ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વાવાઝોડાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 19 મે, 2025 ના રોજ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ચોદાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડી વલંગ, વલંગ, નવદરી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

શહેરોનું તાપમાન કેટલું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ભુજનું તાપમાન 38, નલિયામાં 35, કંડલા (પોર્ટ) 39, કંડલા (એરપોર્ટ) 41, અમરેલીમાં 39, ભાવનગરમાં 38, દ્વારકામાં 34, ઓખામાં 35, પોરબંદરમાં 34, રાજકોટમાં 39, રાજકોટમાં 39, 33 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42, મહુવામાં 34, કેશોદમાં 35, અમદાવાદમાં 39, ડીસામાં 39, ગાંધીનગરમાં 38, વલ્લભવિદ્યાનગરમાં 38, બરોડામાં 37, સુરતમાં 35 અને દમણમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.