Home Blog Page 8

અમરેલીના દરિયાઈ સરહદમાં જોવા મળી શંકાસ્પદ બોટ

અમરેલીની દરિયાઈ સરહદમાં એક શંકાસ્પદ બોટ ફરતી જોવા મળી હતી. જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઇલ દૂર મળી આવેલી આ બોટ કોસ્ટ ગાર્ડને જોઈને ભાગી ગઈ હતી. હવે હેલિકોપ્ટરથી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની દરિયાકાંઠાની સરહદની સુરક્ષા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. આ બોટ જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર જોવા મળી હતી. માછીમારોએ હોડીને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તે રોકાઈ નહીં. જ્યારે બોટ ભાગી ગઈ ત્યારે કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી. કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર વડે બોટનો પીછો કરવાનું શરૂ કર્યું. શંકાસ્પદ બોટને કારણે દરિયામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.તાજેતરમાં મત્સ્યઉદ્યોગ વિભાગે પોરબંદર જિલ્લાની તમામ બોટોને માછીમારી માટે દરિયામાં જવાની મંજૂરી આપી છે. 14 મે, 2025 થી માછીમારી બોટને ટોકન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. IMBL અને નો ફિશિંગ ઝોનમાં માછીમારી ન કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. માછીમારી બોટોને જૂથોમાં માછીમારી કરવા અને વાતચીત જાળવવા માટે કહેવામાં આવ્યું છે. જો દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે માછીમારી બોટો પાછી ખેંચી લીધી હતી.

કર્નલ સોફિયા કુરેશીની બહેન શાયના સુનસારા તિરંગા યાત્રામાં જોડાઈ, સેનાના જુસ્સાને કરી સલામ

વડોદરા: ઓપરેશન સિંદૂરની સફળતા પછી, ભાજપે વિવિધ રાજ્યોમાં ‘તિરંગા યાત્રા’ કાઢી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપતી આપણી સેનાની બહાદુરીની ઉજવણી કરી. આ દરમિયાન, કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારા પણ તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને ભારત સરકાર અને ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી પર ગર્વ છે જેમણે ઓપરેશન સિંદૂરની બ્રીફિંગ આપી હતી.ગુજરાતમાં તિરંગા યાત્રામાં ભાગ લેનાર શાયના સુનસારાએ કહ્યું, “ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદ સામે લેવામાં આવેલા પગલાં પ્રશંસનીય છે. આપણી સંરક્ષણ પ્રણાલી પહેલાથી જ ખૂબ મજબૂત છે અને આખી દુનિયા આ જાણે છે.”કર્નલ સોફિયા કુરેશીની બહેન શાયના સુનસારાએ આગળ કહ્યું, “આટલા બધા તિરંગા જોઈને મને પરમવીર ચક્રથી સન્માનિત આપણા કેપ્ટન વિક્રમ બત્રાની કેટલીક પંક્તિઓ યાદ આવે છે – ‘હું ચોક્કસ પાછો આવીશ, ભલે તે હાથમાં તિરંગા સાથે હોય કે તેમાં લપેટાયેલ હોય, પણ હું ચોક્કસ પાછો આવીશ.’ દેશ પ્રત્યેનો આ જુસ્સો આપણા દરેક સૈનિકમાં હાજર છે. જ્યારે તેઓ રસ્તો શોધે છે, ત્યારે તેઓ પોતાનું કામ પૂર્ણ કર્યા પછી જ અટકી જાય છે, તેઓ આમ જ અટકતા નથી.”શાયના સુનસારાએ કહ્યું, “જ્યારે તમારો દેશ આતંકવાદ સામે મોટું પગલું ભરે છે અને તમારી બહેન તે પગલાનો ભાગ હોય છે અને તેના વિશે માહિતી આપે છે, ત્યારે તે જોઈને સારું લાગે છે. મારી બહેન કર્નલ સોફિયા કુરેશી ઓપરેશન સિંદૂરનો ભાગ છે તે જાણીને અને જોઈને સારું લાગે છે .”શાયના સુનસારા એક ફેશન ડિઝાઇનર, મોડેલ અને અભિનેત્રી છે જેમને વર્ષ 2018 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્નલ કુરેશી અને શાયના સુનસારાનો જન્મ ગુજરાતના વડોદરામાં એક લશ્કરી પરિવારમાં થયો હતો. શાયના તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર મોડેલિંગ અને ફિટનેસ સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 હજારથી વધુ ફોલોઅર્સ છે. શાયના સુનસારા મિસ યુનાઇટેડ નેશન્સ 2018 અને મિસ ઇન્ડિયા અર્થ વર્લ્ડ પીસ પણ રહી ચૂકી છે.

ગુજરાતના 17 જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી જાહેર, IMD ના નવીનતમ અપડેટ વાંચો

ગુજરાતમાં હવામાને ફરી પોતાનો મિજાજ બદલ્યો છે. રાજ્યમાં ભીષણ ગરમી બાદ હવે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી છે. ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે એક અઠવાડિયા સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. ગુજરાતમાંથી વાદળો દૂર થતાં હવામાન વિભાગે ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. IMD ની આગાહી મુજબ, આજે ગુજરાતના 23 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.આ જિલ્લાઓમાં વરસાદ પડશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. તે જ સમયે, IMD ની આગાહી મુજબ, 18 મે ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ અને ગાજવીજની પ્રબળ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વાવાઝોડાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 19 મે, 2025 ના રોજ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ચોદાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડી વલંગ, વલંગ, નવદરી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

શહેરોનું તાપમાન કેટલું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ભુજનું તાપમાન 38, નલિયામાં 35, કંડલા (પોર્ટ) 39, કંડલા (એરપોર્ટ) 41, અમરેલીમાં 39, ભાવનગરમાં 38, દ્વારકામાં 34, ઓખામાં 35, પોરબંદરમાં 34, રાજકોટમાં 39, રાજકોટમાં 39, 33 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42, મહુવામાં 34, કેશોદમાં 35, અમદાવાદમાં 39, ડીસામાં 39, ગાંધીનગરમાં 38, વલ્લભવિદ્યાનગરમાં 38, બરોડામાં 37, સુરતમાં 35 અને દમણમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બોડેલીના ગાજીપુરા ગામે ગેરેજ અને મકાનમાં આગ ભાભુકી

બોડેલી તાલુકાના ગાજીપુરા ગામે ગઈકાલે રાત્રીના સમયે બંધ ગેરેજમાં આગ લગતા 4 બાઈકો બળીને ખાખ થઇ છે ગેરેજમાં લાગેલી આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા પાછળ આવેલ મકાનમાં પણ આગ ભભૂગી ઊઠી હતી જેમાં ઘરમાં રહેલો સામાન સહિતની ચીજ વસ્તુઓ ભસ્મિભૂત થઈ ગઈ હતી આ સમગ્ર આગના બનાવવામાં કોઈ જાનહાનિ થવા પામી નથી

મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના ગાજીપુરા ગામે રહેતા મહેશભાઈ ભઈલાલભાઈ બારીયા તેમના પરિવાર સાથે ગઈકાલે વડોદરા ગયા હતા ત્યારે ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ અચાનક ગેરેજમાં આગ ભભૂકી ઊઠી હતી જેમાં ગેરેજમાં મૂકેલી ચાર બાઈકો બળીને ખાખ થઇ હતી જો તે જોતા આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા પાછળ આવેલ મકાન આગની જપેટમાં આવ્યું હતું જ્યારે ગ્રામજનોએ આગ પર ઓલવવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ આગમાં ગેરેજ અને ઘરની ચીજ વસ્તુઓ ભસ્મીભૂત થઈ ગઈ હતી જ્યારે આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી આગ ગેરેજ અને મકાનમાં આગ લાગવાનું કારણ અંકબંધ છે

તંત્રની ઘોર બેદરકારી : બોડેલી સરકારી હોસ્પિટલ બિલ્ડીંગનું બેઝમેન્ટ બન્યું તળાવ

બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિભાગે ખાણીપીણીની લારીઓ અને હોટલ સહીત લોજો પર તવાઈ બોલાવી ચેકીંગ કરી રહ્યું છે તો બીજી તરફ લોકોના ઘરે ઘરે જઈ પાણીમાં સ્વચ્છતા અથવા પોઈરા અને મચ્છર વિશે માર્ગદર્શન આપે છે પણ બોડેલી સરકારી દવાખાનાની નીચેના બેઝમેન્ટમાં પાણીનો ભરાવો રહેતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિભાગના કર્મીઓ પાણીમાં સ્વચ્છતા, પોઈરા અને મચ્છરોનો ઉપદ્રવ થાય તે માટે લોકોને સૂચના આપવામાં આવે છે હાલમાં બે દિવસમાં ખાણીપાણીની દુકાનો પર તવાઈ બોલાવી ચેકીંગ કરી રહ્યા છે ત્યારે કરોડોમાં ખર્ચે બનાવવામાં આવેલ બોડેલી સરકારી દવાખાનાના બેઝમેન્ટ વાહનો પાર્કિંગ માટે બનાવવામાં આવ્યું છે જેમાં પાણીનો ભરાવો થયો છે જેને લઇ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે પરંતુ પાણીનો કોઈ નિકાલ કરાયો નથી તંત્રની બેદરકારીના કારણે બેઝમેન્ટમાં પાણીનો નિકાલ ન હોવાના કારણે આખું બેઝમેન્ટમાં પાણીમાં ભરાઈ રહેતા સાથે કચરો પણ અટકી રહે છે જયારે દર્દીઓને સારવાર મળે ત્યાં જ આ રીતની સ્થિતિ સર્જાતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થયાં છે

દાહોદ મનરેગા કૌભાંડનો રેલો બોડેલી સુધી, ત્રણની પૂછપરછ કરાઈ

દાહોદ માં મનરેગા કૌભાંડનો રેલી બોડેલી સુધી આવ્યો છે ગતરાત્રીથી દાહોદ એલએલસીબી સહીતની પોલીસના બોડેલીમાં ધામા જોવા મળી રહ્યા છે મનરેગા કેસમાં આરોપીના ત્રણ સંબંધીઓની પોલીસે શંકાના આધારે પૂછપરછ કરી હોવાનું સૂત્રો સટાફથી જાણવા મળ્યું છે દાહોદમાં મનરેગાના કરોડોનો ચૂનો સરકારનવા ચોપડવામાં આવ્યો છે મંત્રીના પુત્રો સહીતનો દ્વારા કરોડોનું કૌભાંડ અચાવામાં આવ્યું છે આ સમગ્ર કેસમાં આરોપીઓની સઘન પૂછપરછ અને ધરપકડનો સિલસિલો પોલીસ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે તેના અનુસંધાને દાહોદ જિલ્લા LCB પોલીસના ગતરાત્રીથી બોડેલી પોલીસ મથકના હદ વિસ્તારમાં ધામા અને આંતફેરા જોવા મળી રહ્યા છે દાહોલ LCB પોલીસે ઉપરોક્ત કૌભાંડ કેસના આરોપીના બોડેલીમાં રહેતા ત્રણ સંબંધીઓની પૂછપરછ કરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે આ ઉપરાંત આખી રાત બોડેલી પોલીસ મથકે સબંધીઓની પૂછપરછ ધરાઈ હોવાનું આધારભુત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે

બોડેલીના ઉંચા કલમ ગામમાં જનતા રેડ, લોકોએ સ્કૂટી પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડ્યા

બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે ગ્રામજનો જનતા રેડ કરી એકટીવા પર દારૂની હેરાફેરી કરતા ત્રણ લોકોને પોલીસને સોંપ્યા છે જયારે ગામમાં છેલ્લા કેટલાક સમયથી અડ્ડો ચાલતો હોઈ વિદેશી દારૂનું અન્ય જગ્યાએ સપ્લાઈ કરતા હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો કર્યો છે

આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે માત્ર કાગળ પર હોઈ તેમ લાગી રહ્યું છે જે કામ પોલીસને કરવાની હતી તે કામ હવે જનતાને કરવાનો વારો આવ્યો છે બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે છેલ્લા કેટલાક સમયથી વાહનો પર વિદેશી દારૂની હેરાફેર ખેપીયાઓ કરતા હોવાની વારંવાર રજૂઆતો કરી હતી છતાં પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા ગામના લોકોએ જાતે જ જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું સ્થાનિકો દ્વારા પોત પોતાના મોબાઈલ વિડિઓ શરુ કર્યો હતો આ બાદ ગ્રામજનોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર પોહચી હતી ગ્રામજનોએ ત્રણ એક્ટિવા સાથે બે ખેપીયાઓ અને એક સગીરને પોલીસને સોંપ્યો છે આ ઉપરાંત ગામમાં એક વર્ષથી ધંધો ચાલતો હોઈ વિદેશી દારૂનું અન્ય જગ્યાએ સપ્લાઈ કરતા હોવાનો અને બુટલેગરો હપ્તો આપતા હોવાનો પણ ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે જનતા રેડ બાદ પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયાં છે જો જનતાને સ્કૂટી પર વિદેશી દારૂ લઇ જવાઈ છે તેની ખબર પડતી હોઈ તો પોલીસને ખબર કેમ ન પડી? તેને લઇ પણ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે

પોલીસે 2,50 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો મુદામાલ કબ્જે કર્યો

ઉંચા કલમ ગામના ગ્રામજનોએ શુક્રવારે સાંજના અંદાજિત 7 વાગ્યાંની આસપાસ ખેપીયાઓ પર વોચ રાખીતેને સોંપ્યા હતા બાદમાં ત્રણ લોકોને પોલીસને સોંપ્યા હતા આ રેડ દરમિયાન પોલીસે 2,51,000 નો વિદેશી દારૂ કબ્જે કર્યો છે જયારે ત્રણ સ્કૂટી રૂ કી 1,50,000 ની મળી કુલ 4,01,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ જનતા રેડનો કેસ નથી, જનતાએ સહયોગ કરીને કેસ દાખલ કરાવ્યો

કાલે રાત્રે બોડેલી તાલુકાના ઊંચાકલમ ગામમાંથી પસાર થતા બાઈક સવાર વિરૂદ્ધ ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો કેસ રજીસ્ટર કરાયો છે. આ મામલામાં ત્રણ બાઈક સવાર કે જે મધ્યપ્રદેશ રાજ્યના છે.જે ઊંચા કલમ ગામથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે ચોરીની શંકા કે બીજા કોઈ અન્ય બનાવને લઈને ગામવાળાને ત્રણ બાઈક્વાળાને રોક્યા અને પૂછપરછ કરી જેમાં ખબર પડી કે, ત્રણ વ્યક્તિ પોતાની પાસે ઈંગ્લીશ દારૂ લઈને જાય છે. એટલે ગામવાળાને જેવી ખબર પડી કે તરત બોડેલી પોલીસ સ્ટેશન જાણ કરી. અને પોલીસે ત્રણે જણા વિરૂદ્ધ પ્રિહીબિશન અંતર્ગત કેસ દાખલ કર્યો. આ બનાવમાં કેટલાક લોકો જનતા રેડની વાત કરે છે પરંતુ આ જનતા રેડનો કેસ નથી.કારણકે એમાં જે જનતાએ સહયોગ કરીને કેસ દાખલ કરાવ્યો છે.જેમાં ૩ બાઈક સવાર પસાર થતા હતા.એવું પણ નથી કે કોઈ અડ્ડા પર રેડ કરી છે. બીજું કે જે જમાદાર અમૃતભાઈની વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવે છે.એમાં વ્યક્તિગત કારણોથી કરવામાં આવી રહ્યા છે. ગૌરવ અગ્રવાલ, એ.એસ.પી, છોટા ઉદેપુર

બોડેલીના પાણેજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના : એકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત, ત્રણ ઘાયલ

બોડેલી તાલુકાના પાણેજ અને ખોડિયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર એક જ પરિવારના ચાર લોકો ફંગોળાયા હતા જેમાં એકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે બનાવને લઇ બોડેલી પોલીસ ઘટના સ્થળે પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે બોડેલી ખાસેડવામાં આવી છે

છોટાઉદેપુર જિલ્લાના રાયસીંગપુરા ગામે રહેતા રાજુભાઈ રાઠવા તેમની પત્ની સરિતા ઉર્ફે નીરુબેન રાઠવા અને પુત્ર હિમાંશુ ઉ.વ 14 અને અરુણ ઉ. વ 15 સાથે બાઈક પર તેની સાસરીમાંથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન બોડેલી તાલુકાના પાણેજ અને ખોડિયા ગામ વચ્ચે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ચારેય ફાંગોડાઈ રોડ પર પાટકયા હતા જેમાં રાજુભાઈ રાઠવાને ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જયારે સરિતાબેન, પુત્ર હિમાંશુ અને અરુણને નાની – મોટી ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા છે બનાવને લઇ બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મૃતક રાજુભાઈ લાશને પોલીસે પીએમ અર્થે બોડેલી સરકારી દવાખાને ખસેડી હતી ઉપરોક્ત અકસ્માતના બનાવવામાં બંને પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે જ્યારે અકસ્માતના બનાવને લઇ પરિવારજનોમાં ભારે આકરંદ વ્યાપી જવા પામ્યો છે આ લખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર બનાવીને લઈ બોડેલી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે

બોડેલીમાં વિવિધ ખાણીપીણી દુકાનોમાં આરોગ્ય વિભાગની તવાઈ, 259 સ્થળ પર હાથ ધર્યું ચેકીંગ

• બે દિવસમાં 259 દુકાનોમાં સર્વે કરાયો

• 47 દુકાનોમાં 212 જેટલા અખદ્ય પદાર્થોનો તાત્કાલિક નાશ કરાયો

બોડેલી સહીત સમગ્ર તાલુકામાં વિવિધ નાસ્તાઓની હોટલ ખાણીપીણીની લારીઓ લોજ બેકરી ઠંડા પીણા આઈસ્ક્રીમ પાર્લર શેરડી રસ કેરી રસ ફ્રુટની લારીઓ વગેરે સ્થળે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી. હતી જેમા હોટલોમાંથી મળેલ એક્સપાયર વસ્તુનો તાત્કાલિક નાશ કરવામાં આવેલ હતો

બોડેલી, અલીપુરા, ઢોકલીયા સહીત સમગ્ર તાલુકામાં નાસ્તા અને ખાણીપીણીની લારીઓનું સ્વચ્છતા અને સેનિટેશન બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 45 હોટેલ 112 ચા ની લારી નાસ્તા હાઉસ 18 બેકરી 56 ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર, 28 શેરડી – કેરી રસ ફ્રુટ લારી આમ કુલ બે દિવસમાં 259 જગ્યા ઉપર આરોગ્યની કુલ પાંચ ટીમ જેમાં પાંચ સુપરવાઇઝર અને 15 એમપીએચ ડબલ્યુ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ગ્રાહકોની પીવા માટેનું પાણી અપાય છે તેની પણ તપાસ હાથ ધરાઈ હતી ક્લોરીનેશન યુક્ત પાણી પુરવો પાડવા માટે પણ સૂચના આપવામાં આવી હતી તથા સ્વચ્છતા રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી વધેલા ખોરાક તથા કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે સૂચના આપેલ અને જેનો નિકાલ પંચાયતની ગાડીમાં કરવા સૂચન કરેલ તથા હોટલોમાં કામ કરતાં કર્મચારીઓનું નિયમિત આરોગ્ય તપાસની કરાવવા માટે પણ જાણ કરેલ હતી, જે 259 દુકાનોમાં સર્વે કરવામાં આવ્યું હતું જેમાં કુલ 47 દુકાનોમાં 212 જેટલા અખદ્ય પદાર્થોનો તાત્કાલિક સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો ભવિષ્યમાં આમ ન બને તેના માટે સખત સૂચન આપવામાં આવી હતી

બોડેલી : ગોકુલસ્ટેટના જાહેર રસ્તા પર ગટર ઉભરાતા લોકોને હાલાકી

બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં આવેલ ગોકુલસ્ટેટમાં વારંવાર ઉભરાતી ગટરોને લઇ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન ભરાતા રહીશોમાં રોષ ભાભુકી ઉઠ્યો છે ત્યારે સત્વરે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર – 1 ગોકુલસ્ટેટમાં છેલ્લા એક સપ્તાહથી ગટરોમાંથી ગંદુ પાણી પાછું બહાર આવી રહ્યું છે જેને લઇ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વારંવાર ઉભરાતી ગટરના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે જેને લઇ રહીશો હેરાન પરેશાન થયા છે વારંવાર તંત્રમાં રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા રહીશોમાં ભારે રોષ ભાભુકી ઉઠ્યો છે ઉલ્લેખનીય છે કે ગટરના ગંદા પાણીની દુર્ગંધ તો પેદા થાય છે જ સાથે સાથે મચ્છર પેદા થતાં રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. તંત્ર સત્વરે પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.

રજુઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી

અલીખેરવા ગામ પંચાયતના વોર્ડ નંબર 1 માં રહુ છું વરસાદી વાતાવરણના લીધે ગટર અમારી પેક થઇ ગઈ છે પંચાયતમાં વારંવાર અને રજુઆત કરી છે પણ પંચાયતના માણસો કોઈ રીતે ધ્યાન આપતા નથી પાણી એટલું દુર્ગંધ મારે છે કે બીમાર થવાના ઘર છે નાના બાળકો અને વડીલોને અવાર જવરમાં તકલીફ પડે છે : કુરેશી સાબિરભાઈ

ગટર ઉભરાતા દુર્ગંધ ફેલાઈ છે

અમારા વિસ્તારમાં ગટરની સમસ્યા છે પાણી ઉભરાઈ છે અને ગંધાઈ છે અને જવા આવવામાં પણ સમસ્યા થાય છે પંચાયતને રજુઆત કરી કરીને થાકી ગયા છે પંચાયત વાળા આનું કઈ નિરાકરણ લાવે

ખત્રી વહીદાબેન જાકીર ભાઈ