Home Blog Page 9

બોડેલીના ઉંચા કલમ ગામમાં જનતા રેડ, લોકોએ સ્કૂટી પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડ્યા

બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે ગ્રામજનો જનતા રેડ કરી એકટીવા પર દારૂની હેરાફેરી કરતા ત્રણ લોકોને પોલીસને સોંપ્યા છે જયારે ગામમાં છેલ્લા કેટલાક સમયથી અડ્ડો ચાલતો હોઈ વિદેશી દારૂનું અન્ય જગ્યાએ સપ્લાઈ કરતા હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો કર્યો છે

આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે માત્ર કાગળ પર હોઈ તેમ લાગી રહ્યું છે જે કામ પોલીસને કરવાની હતી તે કામ હવે જનતાને કરવાનો વારો આવ્યો છે બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામે છેલ્લા કેટલાક સમયથી વાહનો પર વિદેશી દારૂની હેરાફેર ખેપીયાઓ કરતા હોવાની વારંવાર રજૂઆતો કરી હતી છતાં પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા ગામના લોકોએ જાતે જ જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું સ્થાનિકો દ્વારા પોત પોતાના મોબાઈલ વિડિઓ શરુ કર્યો હતો આ બાદ ગ્રામજનોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર પોહચી હતી ગ્રામજનોએ ત્રણ એક્ટિવા સાથે બે ખેપીયાઓ અને એક સગીરને પોલીસને સોંપ્યો છે આ ઉપરાંત ગામમાં એક વર્ષથી ધંધો ચાલતો હોઈ વિદેશી દારૂનું અન્ય જગ્યાએ સપ્લાઈ કરતા હોવાનો અને બુટલેગરો હપ્તો આપતા હોવાનો પણ ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે જનતા રેડ બાદ પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયાં છે જો જનતાને સ્કૂટી પર વિદેશી દારૂ લઇ જવાઈ છે તેની ખબર પડતી હોઈ તો પોલીસને ખબર કેમ ન પડી? તેને લઇ પણ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે

પોલીસે 2,50 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો મુદામાલ કબ્જે કર્યો

ઉંચા કલમ ગામના ગ્રામજનોએ શુક્રવારે સાંજના અંદાજિત 7 વાગ્યાંની આસપાસ ખેપીયાઓ પર વોચ રાખીતેને સોંપ્યા હતા બાદમાં ત્રણ લોકોને પોલીસને સોંપ્યા હતા આ રેડ દરમિયાન પોલીસે 2,51,000 નો વિદેશી દારૂ કબ્જે કર્યો છે જયારે ત્રણ સ્કૂટી રૂ કી 1,50,000 ની મળી કુલ 4,01,000 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ જનતા રેડનો કેસ નથી, જનતાએ સહયોગ કરીને કેસ દાખલ કરાવ્યો

કાલે રાત્રે બોડેલી તાલુકાના ઊંચાકલમ ગામમાંથી પસાર થતા બાઈક સવાર વિરૂદ્ધ ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો કેસ રજીસ્ટર કરાયો છે. આ મામલામાં ત્રણ બાઈક સવાર કે જે મધ્યપ્રદેશ રાજ્યના છે.જે ઊંચા કલમ ગામથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે ચોરીની શંકા કે બીજા કોઈ અન્ય બનાવને લઈને ગામવાળાને ત્રણ બાઈક્વાળાને રોક્યા અને પૂછપરછ કરી જેમાં ખબર પડી કે, ત્રણ વ્યક્તિ પોતાની પાસે ઈંગ્લીશ દારૂ લઈને જાય છે. એટલે ગામવાળાને જેવી ખબર પડી કે તરત બોડેલી પોલીસ સ્ટેશન જાણ કરી. અને પોલીસે ત્રણે જણા વિરૂદ્ધ પ્રિહીબિશન અંતર્ગત કેસ દાખલ કર્યો. આ બનાવમાં કેટલાક લોકો જનતા રેડની વાત કરે છે પરંતુ આ જનતા રેડનો કેસ નથી.કારણકે એમાં જે જનતાએ સહયોગ કરીને કેસ દાખલ કરાવ્યો છે.જેમાં ૩ બાઈક સવાર પસાર થતા હતા.એવું પણ નથી કે કોઈ અડ્ડા પર રેડ કરી છે. બીજું કે જે જમાદાર અમૃતભાઈની વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવે છે.એમાં વ્યક્તિગત કારણોથી કરવામાં આવી રહ્યા છે. ગૌરવ અગ્રવાલ, એ.એસ.પી, છોટા ઉદેપુર

બોડેલીના પાણેજ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના : એકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત, ત્રણ ઘાયલ

બોડેલી તાલુકાના પાણેજ અને ખોડિયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર એક જ પરિવારના ચાર લોકો ફંગોળાયા હતા જેમાં એકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે બનાવને લઇ બોડેલી પોલીસ ઘટના સ્થળે પોહચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે બોડેલી ખાસેડવામાં આવી છે

છોટાઉદેપુર જિલ્લાના રાયસીંગપુરા ગામે રહેતા રાજુભાઈ રાઠવા તેમની પત્ની સરિતા ઉર્ફે નીરુબેન રાઠવા અને પુત્ર હિમાંશુ ઉ.વ 14 અને અરુણ ઉ. વ 15 સાથે બાઈક પર તેની સાસરીમાંથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન બોડેલી તાલુકાના પાણેજ અને ખોડિયા ગામ વચ્ચે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ચારેય ફાંગોડાઈ રોડ પર પાટકયા હતા જેમાં રાજુભાઈ રાઠવાને ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જયારે સરિતાબેન, પુત્ર હિમાંશુ અને અરુણને નાની – મોટી ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા છે બનાવને લઇ બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મૃતક રાજુભાઈ લાશને પોલીસે પીએમ અર્થે બોડેલી સરકારી દવાખાને ખસેડી હતી ઉપરોક્ત અકસ્માતના બનાવવામાં બંને પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે જ્યારે અકસ્માતના બનાવને લઇ પરિવારજનોમાં ભારે આકરંદ વ્યાપી જવા પામ્યો છે આ લખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર બનાવીને લઈ બોડેલી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે

બોડેલીમાં વિવિધ ખાણીપીણી દુકાનોમાં આરોગ્ય વિભાગની તવાઈ, 259 સ્થળ પર હાથ ધર્યું ચેકીંગ

• બે દિવસમાં 259 દુકાનોમાં સર્વે કરાયો

• 47 દુકાનોમાં 212 જેટલા અખદ્ય પદાર્થોનો તાત્કાલિક નાશ કરાયો

બોડેલી સહીત સમગ્ર તાલુકામાં વિવિધ નાસ્તાઓની હોટલ ખાણીપીણીની લારીઓ લોજ બેકરી ઠંડા પીણા આઈસ્ક્રીમ પાર્લર શેરડી રસ કેરી રસ ફ્રુટની લારીઓ વગેરે સ્થળે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી. હતી જેમા હોટલોમાંથી મળેલ એક્સપાયર વસ્તુનો તાત્કાલિક નાશ કરવામાં આવેલ હતો

બોડેલી, અલીપુરા, ઢોકલીયા સહીત સમગ્ર તાલુકામાં નાસ્તા અને ખાણીપીણીની લારીઓનું સ્વચ્છતા અને સેનિટેશન બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 45 હોટેલ 112 ચા ની લારી નાસ્તા હાઉસ 18 બેકરી 56 ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર, 28 શેરડી – કેરી રસ ફ્રુટ લારી આમ કુલ બે દિવસમાં 259 જગ્યા ઉપર આરોગ્યની કુલ પાંચ ટીમ જેમાં પાંચ સુપરવાઇઝર અને 15 એમપીએચ ડબલ્યુ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ગ્રાહકોની પીવા માટેનું પાણી અપાય છે તેની પણ તપાસ હાથ ધરાઈ હતી ક્લોરીનેશન યુક્ત પાણી પુરવો પાડવા માટે પણ સૂચના આપવામાં આવી હતી તથા સ્વચ્છતા રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી વધેલા ખોરાક તથા કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે સૂચના આપેલ અને જેનો નિકાલ પંચાયતની ગાડીમાં કરવા સૂચન કરેલ તથા હોટલોમાં કામ કરતાં કર્મચારીઓનું નિયમિત આરોગ્ય તપાસની કરાવવા માટે પણ જાણ કરેલ હતી, જે 259 દુકાનોમાં સર્વે કરવામાં આવ્યું હતું જેમાં કુલ 47 દુકાનોમાં 212 જેટલા અખદ્ય પદાર્થોનો તાત્કાલિક સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો ભવિષ્યમાં આમ ન બને તેના માટે સખત સૂચન આપવામાં આવી હતી

બોડેલી : ગોકુલસ્ટેટના જાહેર રસ્તા પર ગટર ઉભરાતા લોકોને હાલાકી

બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં આવેલ ગોકુલસ્ટેટમાં વારંવાર ઉભરાતી ગટરોને લઇ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન ભરાતા રહીશોમાં રોષ ભાભુકી ઉઠ્યો છે ત્યારે સત્વરે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર – 1 ગોકુલસ્ટેટમાં છેલ્લા એક સપ્તાહથી ગટરોમાંથી ગંદુ પાણી પાછું બહાર આવી રહ્યું છે જેને લઇ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વારંવાર ઉભરાતી ગટરના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે જેને લઇ રહીશો હેરાન પરેશાન થયા છે વારંવાર તંત્રમાં રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા રહીશોમાં ભારે રોષ ભાભુકી ઉઠ્યો છે ઉલ્લેખનીય છે કે ગટરના ગંદા પાણીની દુર્ગંધ તો પેદા થાય છે જ સાથે સાથે મચ્છર પેદા થતાં રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. તંત્ર સત્વરે પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.

રજુઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી

અલીખેરવા ગામ પંચાયતના વોર્ડ નંબર 1 માં રહુ છું વરસાદી વાતાવરણના લીધે ગટર અમારી પેક થઇ ગઈ છે પંચાયતમાં વારંવાર અને રજુઆત કરી છે પણ પંચાયતના માણસો કોઈ રીતે ધ્યાન આપતા નથી પાણી એટલું દુર્ગંધ મારે છે કે બીમાર થવાના ઘર છે નાના બાળકો અને વડીલોને અવાર જવરમાં તકલીફ પડે છે : કુરેશી સાબિરભાઈ

ગટર ઉભરાતા દુર્ગંધ ફેલાઈ છે

અમારા વિસ્તારમાં ગટરની સમસ્યા છે પાણી ઉભરાઈ છે અને ગંધાઈ છે અને જવા આવવામાં પણ સમસ્યા થાય છે પંચાયતને રજુઆત કરી કરીને થાકી ગયા છે પંચાયત વાળા આનું કઈ નિરાકરણ લાવે

ખત્રી વહીદાબેન જાકીર ભાઈ

પીઠા ગામ પાસે હાઇવા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા ચાલકનું મોત

બોડેલી તાલુકાના પીઠા ગામ પાસે હાઇવા ટ્રકના પાછળ બાઈક ચાલક ધડકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થતા કરુણ મોત નીપજ્યું હતું બનાવને લઇ બોડેલી પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બોડેલી તાલુકાના ગરોલ ગામે પટેલ ફળિયામાં રહેતા દિપકકુમાર તખતસિંહ બારીયા (ઉ. વર્ષ 32) ગઈકાલે બાઈક લઇ બોડેલી તરફથી ડભોઇ હાઇવે તરફ લઇ જઈ રહ્યા હતા તે દરમિયાન પીઠા ગામ પાસે બેફામ બાઈક હંકાવી હાઇવા ટ્રકની પાછળ ઘુસી જતા દિપકકુમાર રોડ પર પટકાતા માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પોહચી હતી જેને ખાનગી વાહનમાં સારવાર અર્થે બોડેલી ખાસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે દિપકકુમાર ને મૃત જાહેર કર્યો હતો બનાવને લઇ પરિજનોના શોકનો માહોલ છવાયો છે જયારે અકસ્માતના બનાવ અંગે બોડેલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે

મહિલા ખાઈ રહી હતી આઈસ્ક્રીમ, નીકળી ગરોળીની પૂંછડી અને પછી…

અમદાવાદમાં એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને એક પ્રખ્યાત આઈસ્ક્રીમ બ્રાન્ડના કોનમાં ગરોળીની પૂંછડી મળી આવી છે. આઈસ્ક્રીમ ખાધા પછી મહિલાને ઉલટી થઈ અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આ ઘટના મણિનગર વિસ્તારમાં બની હતી અને મહિલાએ મહાલક્ષ્મી કોર્નરમાંથી આઈસ્ક્રીમ ખરીદ્યો હતો. આ પહેલા પણ અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં જંતુઓ જોવા મળ્યાના બનાવો નોંધાયા છે.ઉનાળાની ઋતુમાં લોકોનો આઈસ્ક્રીમ ખાવાનો શોખ ઘણો વધી જાય છે. પરંતુ, ઉનાળામાં આઈસ્ક્રીમ ખાતા પહેલા થોડી કાળજી રાખો. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે એક પ્રખ્યાત બ્રાન્ડના આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળી છે. જ્યારે તે સ્ત્રી આઈસ્ક્રીમ કોન ખાઈ રહી હતી, ત્યારે અચાનક તેમાંથી ગરોળીની પૂંછડી નીકળી ગઈ.આ સમગ્ર ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં બની હતી. અહીં રહેતી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે આઈસ્ક્રીમ કોન ખાતી હતી, ત્યારે તેમાંથી ગરોળીની પૂંછડી નીકળી ગઈ. એવો આરોપ છે કે આઈસ્ક્રીમ કોન ખાતી વખતે મહિલાના મોંમાં કંઈક વિચિત્ર વસ્તુ આવી ગઈ. જ્યારે તેણે તેને બહાર કાઢ્યું અને જોયું તો તે ગરોળીની પૂંછડી હતી. આ પછી, મહિલાને સતત ઉલટી થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જોકે, ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી.પીડિતાના પતિના જણાવ્યા મુજબ, તેણે આ આઈસ્ક્રીમ કોન મણિનગર ક્રોસિંગ પાસેના મહાલક્ષ્મી કોર્નર પરથી ખરીદ્યો હતો. જેના માટે તેમને કોઈ નિશ્ચિત બિલ આપવામાં આવ્યું ન હતું. પરંતુ, તેમનો આરોપ છે કે જો આ એક પ્રખ્યાત બ્રાન્ડ સાથે થઈ રહ્યું છે, તો પછી અન્ય બ્રાન્ડ્સ પાસેથી શું અપેક્ષા રાખી શકાય. મળતી માહિતી મુજબ, આ પહેલા પણ ખાવા-પીવાના કારણે મૃત્યુની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ પહેલા, અમદાવાદના જોધપુરમાં આવેલા લેપિનો આઉટલેટમાં પિઝા બોક્સની અંદર એક મૃત વંદો મળી આવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો કે શાખા મેનેજરે તેની ફરિયાદનો અતિશયોક્તિપૂર્ણ જવાબ આપ્યો હતો.

શ્વાનના હુમલાથી 4 વર્ષની બાળકીનું મોત, ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલા રાધે રેસિડેન્સીમાં એક પાલતુ રોટવીલર શ્વાને એક માસૂમ બાળક પર હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ચાર વર્ષની છોકરીનું બાદ મૃત્યુ થયું. સીસીટીવીમાં કેદ થયેલી ઘટનામાં શ્વાન તેના માલિકના હાથમાંથી છટકી ગયો હોવાનું બહાર આવ્યું છે. તેણે ચાર વર્ષની બાળકી પર હુમલો કર્યો અને તેને તેની આંટીના ખોળામાંથી ખેંચી લીધી. છોકરીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ગંભીર ઈજાઓ છતાં તે બચી શકી ન હતી. આ ઘટના બાદ સમાજમાં ભારે રોષ છે. છોકરીના પિતા અજિત ડાભીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા અને તેમની પુત્રીનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો.મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે રાત્રે 9 વાગ્યે બની હતી. સોસાયટીમાં રહેતી એક મહિલા તેના કૂતરા સાથે બહાર ગઈ હતી. તે જ ક્ષણે છોકરીની કાકી તેને બહાર લઈ આવી. તે સિમેન્ટની ખુરશી પર બેઠી હતી. પછી અચાનક બેકાબૂ કૂતરાએ હુમલો કર્યો. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કૂતરો તે જ સોસાયટીના રહેવાસી દિલીપ પટેલનો હતો. નજીકના લોકોએ કહ્યું કે પટેલની પુત્રી તેના રોટવીલર શ્વાન સાથે બહાર અવી હતી અને ફોન પર વાત કરતી હતી. જે પછી, ધ્યાન ભંગ થવાને કારણે, તે શ્વાને કાબૂમાં રાખી શકી નહીં.સીસીટીવી ફૂટેજ બતાવે છે કે શ્વાન પટ્ટાથી બાંધેલો હતો, પરંતુ તેણે ઋષિકાની આંટી પર હુમલો કર્યો, જેના કારણે તે બાળક સાથે પડી ગઈ. આંખના પલકારામાં, શ્વાને બાળકીને તેના હાથમાંથી છીનવી લીધી અને તેને વારંવાર કરડવા લાગ્યો. કાકી અને છોકરી બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ઋષિકાને મૃત જાહેર કરવામાં આવી. ઋષિકાના આંટી રાજુ ડાભીએ પોલીસને જણાવ્યું કે શ્વાને હુમલો કર્યો હોય તેવી આ ત્રીજી કે ચોથી ઘટના હતી. તેમણે શ્વાનના માલિકને કડક સજાની માંગ કરી કારણ કે તેની ઘોર બેદરકારીને કારણે 4 વર્ષની બાળકીનું મોત થયું હતું.

બોડેલીના ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી સામે એફઆઇઆર નોંધાઈ

છોટાઉદેપુર : સત્તા વસ્તુ એવી છે કે તેને લઈને કમઠાણ થયા જ કરે છે. તેમા પછી તે રાજકારણ હોય કે ટ્રસ્ટ જેવી સેવાભાવનાની બાબત હોય. છોટાઉદેપુરમાં ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં સત્તાના આ કમઠાણે વેગ પકડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ પુરાવો છે કે સેવા ભાવનાની ઇરાદાથી બનાવવામાં આવેલા ટ્રસ્ટમાં પણ સત્તાની સાઠમારી સર્જાય છે ત્યારે કેવી સ્થિતિનું સર્જન થાય છે.બોડેલીના ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કંચન પટેલની સામે અને શાંતિલાલ ભગતની સામે એફઆઇઆર નોંધાઈ છે. આ કંચન પટેલ પાછા છોટાઉદેપર જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ છે. ભાજપના જ તાલુકા પંચાયતના સભ્ય અને એપીએમસીના ડિરેક્ટર દિવ્યેશ પટેલે કંચન પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે કંચન પટેલે ટ્રસ્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે એનઆરઆઈ લોકોને ટ્રસ્ટમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત કંચન પટેલ ટ્રસ્ટમાં બેફામ ગેરરીતિ કરી રહ્યા હોવાનો આરોપ પણ દિવ્યેશ પટેલે પોલીસ સમક્ષ કરેલી એફઆઇઆરમાં કર્યો છે.તેમણે આ વાત પર વધુ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કંચન પટેલે ટ્રસ્ટની સામાન્ય સભામાં સભ્યોની ખોટી સહીઓ કરીને ઠરાવ કરાવી લીધો છે. આ પ્રકારની ઘટના ટ્રસ્ટ એક્ટનું ઉલ્લંઘન તો કરે જ છે, પરંતુ તેની સાથે તે ગુનો પણ નોંધે છે. આના પગલે બોડેલીની પોલીસે બીએનએસ કલમ 336(2), 336(3), 338, 340 (2), 237, 238, 61 મુજબ ફરિયાદ નોંધી છે અને આખા પ્રકરણની તપાસ શરૂ કરી દીધી છે. હવે આ તપાસનું શું પરિણામ આવે છે તેની ખબર આગામી દિવસોમાં થશે. જો કે કંચન પટેલ જેવા મોટા નામ સામે થયેલી ફરિયાદના લીધે તથા ભાજપના જ બે મોટા ખેલાડીઓ સામ સામે આવી જતાં સ્થાનિક રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો છે.

૬ સભ્યો જ હાજર હોવા છતાં ખોટી સહીઓ કરી ૮ ઠરાવ પસાર કર્યા

૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ મળેલી ટ્રસ્ટની સાધારણ સભામાં ૨૩ સભાસદો પૈકી માત્ર ૬ હાજર હતા અને ૧૭ સભ્યો ગેરહાજર હતા. તેમ છતાં ઠરાવ બુકમાં ૨૩ સભ્યોની હાજરી બતાવીને સહી થયેલ હતી. સામાન્ય સભા બોલાવનાર પ્રમુખ કંચનભાઈ તથા મંત્રી શાંતિલાલભાઇએ સામાન્ય સભાની મીટિંગ બુકમાં હાજર નહિં રહેલા ૧૭ સભાસદોની ખોટી સહીઓ કરી અલગ-અલગ કુલ-૮ ઠરાવો પસાર કર્યા હતા.

કયા ચાર ટ્રસ્ટી અમેરિકન નાગરિક

હાજર ૬ સભાસદે નવા બનાવેલ ટ્રસ્ટી જેમાં પ્રીત નટવર પટેલ તા.૧૦-૮-૨૪ના રોજ એફિડેવિટમાં, નરેન્દ્ર બિહારીલાલ ભગત (પટેલ)એ તા.૧૭-૮-૨૪ના રોજ કરેલ એફિડેવિટમાં અશોક મદનમોહન પટેલે તા.૧૭-૮-૨૪ના રોજ એફિડેવિટમાં કાંતિભાઈ હરગોવિંદ પટેલે તા.૬-૧૨-૨૪ના રોજ કરેલ એફિડેવિટમાં ૪ ટ્રસ્ટીએ તેમના એફિડેવિટમાં પ્રમુખ કંચનભાઈ પટેલ સમક્ષ જણાવેલ છે કે, તેઓ બિનરહીશ ભારતીય નથી. અને વિદેશી નાગરિકત્વ ધરાવતા નથી.પરંતુ ખરેખર આ ચારે ટ્રસ્ટીઓ હાલ ભારત દેશના નાગરિક નથી. પરંતુ અગાઉ તેઓ ભારત દેશનું નાગરિકત્વ ધરાવતા હતા. અને તે સમયે તેમની પાસે ભારત દેશના ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો ધરાવતા હતા. અને હાલ તેઓ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર DGMO લેફ્ટનન્ટે કહ્યું, ‘પાપોનો ઘડો ભરાઈ ગયો હતો…’

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ શનિવારે સાંજે સમાપ્ત થયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી. ત્યારથી બંને દેશોની સરહદ પર શાંતિ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ રવિવારે રાત્રે નિયંત્રણ રેખા પર શાંતિ હતી. દરમિયાન, આજે બંને દેશોના DGMO વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ તે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. હવે સાંજે બંને વચ્ચે વાતચીતનો પ્રસ્તાવ છે. આ દરમિયાન, ત્રણેય સેનાના ડીજીએમઓએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. અમને જણાવો કે શું કહ્યું હતું?એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે હતી, તેથી અમે 7 મેના રોજ ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર જ હુમલો કર્યો. દુઃખદ વાત એ છે કે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું અને આ લડાઈને પોતાની લડાઈ બનાવી લીધી. આ સ્થિતિમાં, અમારી બદલો લેવાની કાર્યવાહી અત્યંત જરૂરી હતી અને આમાં તેમને જે પણ નુકસાન થયું છે, તેના માટે તેઓ પોતે જ જવાબદાર છે. આપણી વાયુ સંરક્ષણ પ્રણાલી દેશ માટે દિવાલ જેવી હતી અને દુશ્મન માટે તેમાં પ્રવેશ કરવો અશક્ય હતો. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા ત્રાટકવામાં આવેલા લક્ષ્યોના ચિત્રો બતાવ્યા.ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું કે આપણે ઓપરેશન સિંદૂરની હવાઈ સંરક્ષણ કાર્યવાહીને સંદર્ભમાં સમજવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આતંકવાદી પ્રવૃત્તિઓનું સ્વરૂપ બદલાઈ રહ્યું હતું, હવે આપણી સેનાની સાથે, નિર્દોષ લોકો પર પણ હુમલા થઈ રહ્યા છે. 2024માં શિવખોડી મંદિર જતા યાત્રાળુઓ અને આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ. પહલગામ સુધીમાં, તેમના પાપોનો પ્યાલો ભરાઈ ગયો હતો, કારણ કે આતંકવાદીઓ પર અમારા ચોક્કસ હુમલાઓ LOC અને IB પાર કરીને કરવામાં આવ્યા હતા, અમને સંપૂર્ણ ખબર હતી કે પાકિસ્તાનનો હુમલો પણ સરહદ પારથી થશે, તેથી અમે હવાઈ સંરક્ષણ માટે તૈયારીઓ કરી હતી. જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ 9-10 મેના રોજ આપણા હવાઈ ક્ષેત્રો અને લોજિસ્ટિક્સ સ્થાપનો પર હુમલો કર્યો, ત્યારે તેઓ આ મજબૂત હવાઈ સંરક્ષણ ગ્રીડ સામે નિષ્ફળ ગયા.એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે હું ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આપણા બધા લશ્કરી મથકો અને બધા ઉપકરણો અને સિસ્ટમો કાર્યરત છે અને જો જરૂર પડે તો તેમના આગામી મિશન માટે તૈયાર અને તૈયાર છે.DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું કે આપણા એરફિલ્ડ્સ અને લોજિસ્ટિક્સને નિશાન બનાવવું ખૂબ મુશ્કેલ છે. મેં જોયું કે વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તે મારા પ્રિય ખેલાડીઓમાંથી એક છે. 1970ના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ દરમિયાન, બે ઓસ્ટ્રેલિયન બોલરોએ ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપનો નાશ કર્યો હતો અને પછી ઓસ્ટ્રેલિયાએ એક કહેવત રચી હતી – એશિઝ ટુ એશ, ધૂળ ટુ ધૂળ, જો થોમો તમને નહીં પકડે, તો લિલી તમને પકડી લેશે. જો તમે સ્તરો જોશો તો તમે સમજી શકશો કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તમે બધા સ્તરો પાર કરી જાઓ તો પણ, આ ગ્રીડ સિસ્ટમમાંનો એક સ્તર તમને મારી નાખશે.

‘હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, તે સરળ નથી’, વિરાટ કોહલીએ 14 વર્ષના ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

વિરાટ કોહલીએ 12 મે 2025 ના રોજ સવારે 11:43 વાગ્યે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ કીટમાં એક ફોટો શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેરી તેને 14 વર્ષ થઈ ગયા છે.’ સાચું કહું તો, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને ઘડ્યો, અને મને એવા પાઠ શીખવ્યા જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ.હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ: કોહલીવિરાટ કોહલીએ લખ્યું, ‘સફેદ કપડાં પહેરીને રમવું એ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. શાંત મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી પણ તે હંમેશા તમારી સાથે રહે છે. જ્યારે હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, ત્યારે તે સરળ નથી, પરંતુ તે યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે.વિરાટ કોહલીએ લખ્યું, ‘હું રમતનો, મેદાન પર રમતા લોકોનો અને આ સફરમાં મને આગળ લઈ જનારા દરેકનો ખૂબ ખૂબ આભારી છું. હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. આ પછી તેણે લખ્યું- ‘#269, હું રજા લઉં છું.’ વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો, તેણે જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચથી પોતાની ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમી હતી.ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીયવિરાટ કોહલીએ જૂન 2011 થી જાન્યુઆરી 2025 સુધી 123 ટેસ્ટ મેચ રમી હતી. વિરાટ કોહલીએ 210 ટેસ્ટ ઇનિંગ્સમાં 46.85 ની સરેરાશથી 9230 રન બનાવ્યા હતા. જેમાં તેની 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમના કરતા વધુ રન બનાવનારા એકમાત્ર ભારતીયોમાં સચિન તેંડુલકર (15921 રન), રાહુલ દ્રવિડ (13288 રન) અને સુનીલ ગાવસ્કર (10122રન) છે.વિરાટ કોહલીએ 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતુંવિરાટ કોહલીએ 68 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. સૌથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરવાના મામલે તે વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. ટેસ્ટ મેચમાં 8મી વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીના સંદર્ભમાં તે સાતમા સ્થાને છે. ડિસેમ્બર 2016 માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં તેમણે જયંત યાદવ સાથે 8મી વિકેટ માટે 241 રનની ભાગીદારી કરી હતી . તે ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી (235 રન) અને જયંત યાદવે સદી (104 રન) ફટકારી હતી.