સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, છૂટાછેડાનું મન દુઃખ રાખીને કરાયો બ્લાસ્ટ!

0
Spread the love

એજન્સી, અમદાવાદ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘરે આજે સવારે પાર્સલ પહોંચ્યું હતું અને તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે પાર્સલ ઘરે પહોંચતા જ જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે પાર્સલ ખોલનાર વ્યક્તિ ઘાયલ થઈ ગયો. આ કૃત્ય કોઈ અજાણ્યા શખ્સે બદલો લેવાના ઈરાદે કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઘટના બાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા પાસે રહેતા એક વ્યક્તિના ઘરે પાર્સલ પહોંચ્યું હતું. તેને ખોલતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ સમગ્ર પાર્સલનો હેતુ જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેને ઈજા પહોંચાડવાનો હતો. જ્યારે પાર્સલ તેના ઘરે પહોંચ્યું ત્યારે તેના સંબંધીએ પાર્સલ ખોલ્યું અને તેમાં વિસ્ફોટ થયો. જેના પરથી એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે. ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે. દ્મ્પ્તીના છૂટાછેડાનું મનદુઃખ રાખીને બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. JCP , ડીસીપી ,ATS તપાસમાં જોડાયો
આ અંગે શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે વિસ્ફોટને કારણે વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પાર્સલની અંદર આઈડી પ્લાન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે અમદાવાદ શહેરની પોલીસ દોડતી થઇ ગઇ છે અને તપાસ આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો. આ બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો છે. આ કોઇ અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે પછી અકસ્માતે બ્લાસ્ટ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here