વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું 8મું બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટથી મધ્યમ વર્ગને પહેલેથી જ ઘણી અપેક્ષાઓ હતી. એવી અટકળો હતી કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થા અને જૂની ટેક્સ વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે.
આવી સ્થિતિમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26 ના બજેટમાં જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ આવશે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે નવા આવકવેરા બિલને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.
વરિષ્ઠ નાગરિકોને મળતા વ્યાજની આવક પર કર મુક્તિ
નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26ના બજેટમાં જાહેરાત કરી છે કે વરિષ્ઠ નાગરિકોને મળતા વ્યાજની આવક પર કર મુક્તિની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
નાણામંત્રીએ આ વાત કહી
નાણામંત્રીએ કહ્યું, “હું TDS કપાતપાત્ર દરો અને મર્યાદાઓની સંખ્યા ઘટાડીને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) ને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. વધુમાં, સારી સ્પષ્ટતા અને એકરૂપતા માટે કર કપાત માટે થ્રેશોલ્ડ રકમ વધારવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કર કપાતની મર્યાદા વર્તમાન 50,000 રૂપિયાના સ્તરથી બમણી કરીને 1,00,000 રૂપિયા કરવામાં આવી છે.