છોટાઉદેપુર: બોડેલીના અલીખેરવા વિસ્તારમાં તંત્રએ મકાનોના દબાણો દૂર કર્યા

0
Spread the love
Screenshot

બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીઝથી રાજખેરવાને જોડતા મુખ્ય રોડ પર આવેલ મકાનોના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી તંત્રના અધિકારીઓ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કાફલા સાથે મકાનોના દબાણો જેસીબી મશીન વડે દૂર કરાયા હતા

Screenshot

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં ગોપાલ ટોકીઝ થી રાજખેરવાને જોડતા કરોડોના ખર્ચે બનેલા આર.સી. સી રોડ છેલ્લા કેટલા સમયથી વિવાદમાં હતો રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભેસિંહ તડવી કર્યા બાદ રોડની કામગીરી શરૂ કરાઈ હતી રોડની બંને બાજુમાં દબાણ હોવાની ૨ કી.મીના રોડમાં ૫૦૦ મીટરના રોડની કામગીરી અધૂરી મૂકવામાં આવી હતી. અગાઉ છોટાઉદેપુર જિલ્લા અને સ્થાનિક અધિકારીઓ પોલીસ કાફલા સાથે રોડની માપણી સહિતની દબાણો કરતા અધૂરા રોડની કામગીરી પૂર્ણ કરાઈ હતી રોડની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈ અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા મકાન માલિકોને નોટિસ આપવામાં આવી હતી જો કે શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ માર્ગ મકાન વિભાગ, બોડેલી મામલતદાર, બોડેલી તાલુકા વિકાસ અધિકારી સહિત તંત્રના અધિકારીઓ અને દ્વારા કર્મીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી જેસીબીને મદદ વડે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે વહીવટી તંત્રમાં અધિકારીઓ અને રહીશો વચ્ચે ચકમકમાં દ્રશ્યો સામે આવ્યા હતા

Screenshot

મકાનના દસ્તાવેજ હોઈ અને કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી. તેમ છતાં અધિકારીઓની મનમાની કરી યોગ્ય માપ કર્યા વગર દબાણો દૂર કરવામાં આવ્યા હોવાનો મકાન માલિકો આક્ષપે કરી રહ્યા છે જ્યારે માપણી અંગેના નિશાનથી વધુ દબાણ દૂર કરતા મકાન માલિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, રહીશો પોતાના દસ્તાવેજ બતાવી રહ્યા છે પણ તેમની વાત માનવામાં આવી નથી આ એક જ એવો વિસ્તાર છે કે જ્યાં દબાણો બાબતે રાજકારણ કેટલાક લોકો રમી રહ્યા હોવાનું રહીશોનું કહેવું છે બોડેલી તાલુકાના અલીખેરવા જેવા વિસ્તારોમાં ખુબ દબાણો હોવા છતાં ફક્ત એક જ વિસ્તારને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે છેલ્લા દોઢ વર્ષ થી રસ્તાના દબાણો બાબતે ચાલતા વિવાદને લઇ આજે દબાણો દૂર તો કરવામાં આવ્યા છે ત્યારે ફરી એક વાર તંત્ર દબાણોનો મુદ્દો લઇને નહિ આવે તે બાબતે ચિંતિત છે કારણ કે આ રસ્તા ઉપર તંત્ર દ્વારા ત્રણ વાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જો અગાઉ દબાણો દૂર કરવામાં આવ્યા હતા તે સમયે અધિકારીઓ પાસે યોગ્ય માપ ન હતો ? કેમ વારંવાર દબાણને લઇ અહીના રહિશોને દબાણમાં રાખવામાં આવે છે હવે આ બાબતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તેવુ આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે.

Screenshot

દબાણ હટાવતા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે છોટાઉદેપુરના ડીવાયએસપી ડી. કે રાઠોડ, બોડેલી પીઆઈ ડી.એસ વાઢેર, બોડેલી પીએસઆઈ અને ૫૦ થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યું હતું, ત્યાં રહેતા પરિવારો પોતાનું મકાન ન તોડવા માટે આજીજી કરતા નજરે પડ્યા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા JCB મશીન રોકવામાં ન આવ્યું હતું. અને મકાનોના દબાણને તોડી પાડવામાં આવ્યાઆ અંગે બોડેલી તાલુકા વિકાસ અધિકારી બી જે પટલે જાણશે ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ૫૦૦ મીટરનો રસ્તો મકાનના દબાણના કારણે તેની કામગીરી અટકી હતી જે વહીવટી તંત્ર અને પોલીસને સાથે રાખી અને સ્થાનિકના સહયોગથી દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં પેવર બ્લોકને કામગીરી પૂર્ણ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here