ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી ની શિરોલાવાલા હાઇસ્કુલનું ઐતિહાસિક પ્રશંસાપાત્ર પરિણામ : શાળાના બે વિદ્યાર્થીઓ જિલ્લામાં પ્રથમ નંબરે આવ્યા

0
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}
Spread the love

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં જાહેર થયેલ પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબર બોડેલીની શેઠ એચ. એચ.શિરોલાવાલા હાઇસ્કુલ નાં વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે ખત્રી જૈનબબાનું જમીલ ભાઈ અને બીજા નંબરે રાઠવા હર હિમાંશુકુમાર દેવેન્દ્રભાઈ એ મેળવી બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલ નું નામ રોશન કર્યું જ્યારે જિલ્લામાં ત્રીજા નંબરે બીએપીએસ સ્કૂલ બોડેલી ના વિદ્યાર્થી રાઠવા સોહમ કુમાર વિજય કુમારે મેળવી બોડેલીની બીએપીએસ વિદ્યાલય નું નામ રોશન કર્યું.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માર્ચ 2025 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓનાં પરિણામો આજે જાહેર કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લા નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 62.11% આવ્યું છે જેમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય સ્થાને બોડેલીની સુપ્રસિદ્ધ એવી શેઠ એચ.એચ શિરોલાવાલા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓએ મેળવી શિરોલાવાલા હાઇસ્કુલ નું નામ રોશન કર્યું છે જેમાં શાળાની વિદ્યાર્થીની ખત્રી જૈનબબાનું જમીલભાઈએ કુલ 650 માંથી 595 માર્કસ મેળવી 99.55 પર્સન્ટાઈલ રેન્ક સાથે 91.54 ટકા પ્રાપ્ત કરી એ ટુ ગ્રેડ સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જ્યારે શાળાના વિદ્યાર્થી રાઠવા હિમાંશુકુમાર દેવેન્દ્રભાઈએ કુલ 650 માંથી 569 માર્કસ મેળવી 98.02 પર્સન્ટાઈલ રેન્ક સાથે 87.54 ટકા પ્રાપ્ત કરી એ ટુ ગ્રેડ સાથે જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી જ રીતે બોડેલીનાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી બીએપીએસ સ્કૂલ બોડેલી ના વિદ્યાર્થી રાઠવા સોહમકુમાર વિજયકુમાર એ કુલ 650 માંથી 547 માર્કસ મેળવી 95.51 પર્સન્ટાઈલ રેન્ક સાથે 84.15 ટકા મેળવી સમગ્ર જિલ્લામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાનાં ચાલુ વર્ષે આવેલા સારા પરિણામ પાછળ શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર , શિક્ષણ નિરીક્ષક કે. બી. પાચાણી તેમજ કચેરીના અન્ય અધિકારીઓ દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકો સાથે વખતો વખત ની ઓનલાઇન તેમજ ઑફલાઇન બેઠકો સાથે તેઓને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિર્મિત “દીવાદાંડી” યુ ટ્યુબ ચેનલના માધ્યમથી જિલ્લાના સ્થાનિક વિષય શિક્ષકો દ્વારા અઘરાં મુદ્દાઓના વિડીયો બનાવીને પોસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે “દીવાદાંડી ” નામથી હેલ્પ લાઇન કચેરી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં તમામ વિષયોના શિક્ષકો, મનોવિજ્ઞાનના શિક્ષકો તેમજ દીકરીઓ માટે ખાસ મહિલા આચાર્યોના સંપર્ક નંબર આપવામાં આવ્યા હતા. કચેરીના અધિકારીઓને શાળાઓ સોંપવામાં આવી હતી, જ્યાં તેઓ રૂબરૂ મુલાકાત લઈને આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં હતાં. નજીકની શાળાઓના જૂથ બનાવીને એકબીજાની કાર્ય પદ્ધતિ, વિચાર વગેરેનું આદાન પ્રદાન કરવામાં આવતુ હતું. માન. ક્લેક્ટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને વિજ્ઞાન પ્રવાહની શાળાઓનાં આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રીતે જિલ્લાની સમગ્ર શિક્ષણ જગતની ટીમ દ્વારા સંયુક્ત પ્રયાસોથી સફળતા પ્રાપ્ત થઈ છે.ઉપરોક્ત ત્રણેય વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર સહિત બોડેલી શિરોલાવાલા હાઇસ્કુલ નાં કાયમી ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલા તેમજ બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંતોએ અભિનંદન પાઠવી તેઓની આગળની કારકિર્દી પણ ઉત્તમ બને તેવી શુભેચ્છાઓ પાઠવી છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી બોડેલીની શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈ સ્કૂલનાં આચાર્ય સુરેશભાઈ પટેલે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોડેલીની શિરોલાવાલા હાઇસ્કુલનું પરિણામ 78.63 % આવ્યું હોવાનું જણાવી તેઓની સાથે વિજ્ઞાન પ્રવાહના તમામ શિક્ષકોએ શાળાનું નામ રોશન કરનાર ઉપરોક્ત જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓ સાથે શાળામાં અને બોડેલી કેન્દ્રમાં 93.05 પર્સન્ટાઈલ રેન્ક મેળવી 81.84% સાથે બી વન ગ્રેડ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી રાઠોડ જયરાજસિંહ મહિપતસિંહ સહિત શાળામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ખત્રી જૈનબબાનુંએ પોતાને મળેલ સફળતા પાછળ શાળાના શિક્ષકો અને માતા પિતાની મહેનત અને વિશ્વાસ હોવાનું કહી તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર બની સમાજની મહિલાઓની સેવા કરવાનો ધ્યેય હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here