બોડેલીમાં આગામી રથયાત્રાને લઈ આયોજકો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ચર્ચાઓ કરાઈ હતી
ઉત્સવ અને ધર્મ પ્રિય બોડેલી નગરમાં અષાઢી બીજના બીજા દિવસે રથયાત્રા યોજાઈ છે જેને લઈ બોડેલી વૈષ્ણવ વાડી ખાતે આયોજકો દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરાઈ હતી, અલીપુરા વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિરથી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે શુસોભિત કરાયેલા નયનરમ્ય રથમાં નગરચર્યાએ નીકળશે, બોડેલી નગરના આગણે આ વખતે ચોથી વાર રથયાત્રાનો ઉત્સવ ઉજવાઇ રહ્યો હોય જેને લઈ ભક્તોમાં પણ ભારે ઉસ્તાહ જોવા મળી રહ્યો છે ઉપરોક્ત યોજાયેલ બેઠકમાં દીપક વ્રજવાસી, જીગ્નેશ ચોક્સી, સંજય રાઠવા, આકાશ ઠક્કર, વી.ડી રાઠવા, અશ્વિન શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા