બનાસકાંઠા
બનાસકાંઠામાં ડમ્પર પલટી જતાં 4 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માત થરાદના ખેંગારપુરા પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રસ્તાની બાજુમાં બની રહેલા ગટરના બાંધકામ દરમિયાન માટીથી ભરેલું ડમ્પર પલટી ગયું હતું. માટીથી ભરેલું ડમ્પર પલટી ગયું અને ગટરમાં કામ કરી રહેલા કામદારો પર પડ્યું.
આ અકસ્માતમાં ડમ્પર નીચે કચડાઈ જવાથી ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. થરાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પહેલા ગુજરાતના ડાંગ જિલ્લામાં બસ અકસ્માત થયો હતો. 2 ફેબ્રુઆરી 2025 ના રોજ વહેલી સવારે સાપુતારા હિલ સ્ટેશન નજીક યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી લક્ઝરી બસ ઊંડી ખીણમાં પડી ગઈ. સમાચાર એજન્સી IANS ના અહેવાલ મુજબ, આ દુ:ખદ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 17 લોકો ઘાયલ થયા.