અમદાવાદમાં કોરોનાની રી એન્ટ્રી, એક જ દિવસમાં 20 કેસ નોંધાયા

0
Spread the love

કોરોનાએ ફરી એકવાર કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે. હાલમાં કોરોનાના કુલ 31 સક્રિય કેસ છે. કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, ખાંસી અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં કુલ 29 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 8 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 31 સક્રિય કેસ નોંધાયા છે, ત્યારે થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં ગઈકાલે કોરોનાના 5 નવા કેસ નોંધાયા હતા. શહેરના તમામ દર્દીઓમાંથી, 84 વર્ષનો એક વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ છે. 20 વર્ષની એક યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતી શ્વાસ લેવામાં તકલીફની સારવાર માટે આવી હતી. તે હાલમાં ઓક્સિજન પર છે. બાકીના બધા દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.મે મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જેમાંથી 33 સક્રિય છે. આ સાથે, AMCએ SVP, શારદાબેન અને LG હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ સ્થાપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here