
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે (૧૨ જૂન ૨૦૨૫) બપોરે ટેકઓફ કર્યા પછી ક્રેશ થયું હતું. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શક્યું નથી. વિમાનમાં સવાર તમામ 265 થી વધુ લોકોના મોત થયા છે.હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે ઉડાન ભર્યાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો. પોલીસ કમિશનરે આ અંગે માહિતી આપી હતી.એપીના અહેવાલ મુજબ, અકસ્માતના થોડા કલાકો પછી, પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું, “એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી, કેટલાક સ્થાનિક લોકોનું પણ મૃત્યુ થયું હશે.” જોકે, હવે સમાચાર આવ્યા છે કે એક વ્યક્તિ બચી ગયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ અકસ્માત બાદ, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી હતી.ગુજરાત સરકારે વિમાનમાં સવાર લોકોના સંબંધીઓને મૃતદેહોની ઓળખ માટે ડીએનએ નમૂના આપવા અપીલ કરી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બી.જે. મેડિકલ કોલેજ ખાતે ડીએનએ પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી હવાઈ મુસાફરોના પરિવારો અને નજીકના લોકો, ખાસ કરીને તેમના માતાપિતા અને બાળકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના નમૂનાઓ તે સ્થળે સબમિટ કરે જેથી પીડિતોની ઓળખ વહેલી તકે થઈ શકે.”આ વિમાન દુર્ઘટનામાં ઘણા સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં વિમાન દુર્ઘટનામાં ઘાયલોને લાવવામાં આવ્યા છે. અહીં તેમણે ઘાયલ લોકો સાથે વાત કરી.અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં વિમાન ક્રેશ થયંર હતું ત્યાંના રહેવાસીઓ પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું, “લગભગ 50 ઘાયલ લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.”આ ઉપરાંત, પ્રારંભિક રાહત કાર્ય માટે સશસ્ત્ર દળો સાથે NDRF અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેનાના જણાવ્યા અનુસાર, લશ્કરી દળોની આ ટીમમાં તબીબી ટીમ અને અન્ય બચાવ કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે અને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી છે. પીએમ મોદીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી છે. આ ઉપરાંત, અમદાવાદમાં તમામ સંબંધિત એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ થયા પછી તરત જ ઝડપથી નીચે ઉતરવાનું શરૂ કર્યું અને એરપોર્ટ નજીક મેઘનાની નગરમાં બીજે મેડિકલ કોલેજના ડોકટરોના રહેણાંક સંકુલ પર ક્રેશ થયું, જેના કારણે સંકુલને ભારે નુકસાન થયું.