અમદાવાદ પ્લેન ક્રેશ : બોડેલીમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ

0
Spread the love

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બોડેલીની નેન્સી પટેલ સહીત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બોડેલીના જુમ્મા મસ્જિદ ખાતેથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. AIMIM ના પ્રદેશ ઉપપ્રમુખ સાહીદ મન્સૂરી, જિલ્લા પ્રમુખ ઇલ્યાસ બારોટ, અને મુસ્લિમ સમાજના લોકોએ આ દુર્ઘટનામાં તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. AIMIM ના પ્રદેશ ઉપપ્રમુખ સાહીદ મન્સૂરીએ જણાવ્યું કે, મૌન રેલી, કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટની જે દુર્ઘટના થઇ છે જેમાં અંદાજે 317 જેટલા લોકોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ છે દેશને સંદેશો છે આવા નાજુક સમયમાં દરેક મૃત્યુ પરિવારના સાથે આપણે ઉભું રહેવું જોઈએ આ દુર્ઘટના કેમ થઇ તેની કડકમાં કડક તપાસ થવી જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here