બનાસકાંઠામાં રાજસ્થાનની ST બસ અને બોલેરો વચ્ચે અકસ્માત, પાંચના કરુણ મોત

0
Spread the love

બનાસકાંઠાના અમીરગઢના ખુણીયા પાસે એક ભયાનક અકસ્માત થયો છે. રાજસ્થાનની એક સરકારી બસ અને બોલેરો વાહન વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.
માહિતી અનુસાર, અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. અન્ય ઘાયલોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અમીરગઢ પોલીસે અકસ્માતની વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે, બોલેરોમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here