પાવીજેતપુર: ભારજ નદી પરના ડાયવર્ઝનમાં ભુવો પડ્યો, વાહન વ્યવહાર બંધ કરાયો

0
Spread the love

છોટાઉદેપુર જિલ્લાના શિહોદ વિસ્તારમાં આવેલ ભારજ નદી પર 4 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા ડાયવર્ઝન પર ગાબડું પડ્યું છે જેને લઇ વાહન વ્યવહાર બંધ કરાયો છે સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા અને જિલ્લામાં વરસાદી માહોલને લઇ ભારજ નદીમાં પાણીની આવક થઇ છે જેના કારણે ડાયવર્ઝનમાં ભુવો પડ્યો હતો

તદુપરાંત બાંધવામાં આવેલા ક્રેશ બેરિયરનો થાંભલો ખુલ્લો પડી ગયો હતો જો નદીમાં પાણીની આવકમાં વધારો થાય તો ડાયવર્ઝનને મોટુ નુકશાનથાય તેવી શક્યતા સેવાઈ રહી છે તો બીજી તરફ હવે ડાયવર્ઝનની ગુણવત્તા પર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ડાયવર્ઝન પર ગાબડું હોવાની જાણ વહીવટી તંત્રને થતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન સ્થળ પોહચ્યાં હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ડાયવર્ઝન મુલાકાત લીધી હતી અને સ્થળ મુલાકાતે આવેલા નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી જયારે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ ડાયવર્ઝનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યો હતો તો વધુમાં કામગીરને લઇ યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી

ડાયવર્ઝન પર ભુવો થતા જિલ્લાની જનતાને અંદાજે 30 કિલોમીટરનો ચકરાવો લેવો પડી શકે છે, જેના કારણે સામાન્ય જનજીવન અને વાહનોની અવરજવરમાં ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જયારે યોગ્ય સમારકામ અને મજબૂતી કરણના પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

જયારે સ્થળ પર પોહચેલા નેશનલ હાઇવેના અધિકારી સાથે મીડિયા વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે અધિકારીએ મીડિયા સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો

રિપોર્ટ આવ્યા બાદ ડાયવર્ઝન ચાલુ રાખવું કે બંધ તે અંગે નિર્ણય લેવાશે

ડાયવર્ઝનનું અમુક ઢાળનું ધોવાણ જોવા મળ્યું છે ત્યારે નેશનલ હાઇવે વાળા જયારે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને એનાલિસીસ પછી જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચર સ્ટેબલ છે કે કેમ પછી ડાયવર્ઝન ચાલુ રાખવું કે બંધ કરવાના છે આ ડાયવર્ઝન કરવામા આવ્યુ છે અને જે જુના ડાયવર્ઝન છે તેની મારફતે લોકો જઈ શકશે, એનએચ રિપોર્ટ પછી આપણે નક્કી કરીશું શું કરવાના છે > ગાર્ગી જૈન -છોટાઉદેપુર જિલ્લા કલેકટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here