બોડેલી : સાલપુરા ગામે ઓરા કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોને ઇજા, 3 સરકારી કર્મીનો બચાવ

0
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}
Spread the love

બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે ઓરા કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષામાં સવાર 7 લોકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે બોડેલી સરકારી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જયારે ઓરા કારમાં ત્રણ સરકારી કર્મીઓનો આબાદ બચાવ થયો હતો

બોડેલી તાલુકાના સાલપુરા ગામના વળાંક પાસે આજે શુક્રવારે બપોરના 3:30 વાગ્યાંની આસપાસ ઓરા કાર અને રીક્ષા સામ – સામે ધડકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષામાં સવાર 7 લોકોને ગંભીર ઇજા થઇ હતી જયારે ઓરા ગાડીમાં સવાર ત્રણ સરકારી કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો બનાવના પગલે સરકારી અધિકારી, પોલીસ અને ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યાંથી 7 લોકોને ગંભીરતા હોઈ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે અકસ્માતમાં રીક્ષાનો કચ્ચરઘાણ થયો હતો જ્યારે સમગ્ર બનાવને લઈ બોડેલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતના પગલે રોડની બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા અને થોડીક વારમાં ટ્રાફિક રાબેતા મુજબ થયો હતો

અકસ્માતમાં ત્રણ કર્મીનો આબાદ બચાવ

બોડેલીના સાલપુરા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ સરકારી કર્મચારી નો આબાદ બચાવ થયો છે આ કર્મચારી છોટાઉદેપુર રેવન્યુ શાખા ના હોવાનું સામે આવ્યું છે જ્યારે બપોરના સમયે તેઓ બે દિવસ રજા હોવાના કારણે પોતાના વતન ગાંધીનગર જતા હતા તે દરમિયાન ત્રણે કર્મચારીઓને અકસ્માત નડ્યો હતો મીડિયાકર્મીઓએ નામ પૂછતા કર્મચારીઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને તાત્કાલિક અન્ય વાહનમાં રવાના થઈ ગયા હતા.

ઈજાગ્રસ્તોના નામ

મિતલબેન હસમુખભાઈ રાઠવા (રહે- ભેંસાવી તાલુકો -પાવીજેતપુર)

શીતલબેન શૈલેષભાઈ બારીયા (રહે- ભેંસાવી તાલુકો -પાવીજેતપુર)

ધનલક્ષ્મીબેન શૈલેષભાઈ બારીયા (બન્ને રહે- જોજવાઘોડા તાલુકો -બોડેલી)

વિકેશભાઈ અંબુભાઈ રાઠવા

અંકિતાબેન વિકેશભાઈ રાઠવા

સોનાક્ષી વિકેશભાઈ રાઠવા

અક્ષરભાઈ વિકેશભાઇ રાઠવા (તમામ સિંહાદાના રહેવાસી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here