બોડેલીના ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીની કોર્ટે જામીન અરજી ફગાવી

0
Spread the love

બોડેલીના ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીના આગોતરા જામીન બોડેલીના એડિ. સેશન્સ જજની કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા.૧ ન -11૧1.. ન_iબોડેલીના ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ પટેલ અને મંત્રી શાંતિલાલ પટેલ સામે ગેરરીતિ કર્યા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. બંને દ્વારા સભાસદોની ખોટી સહીઓ કરી 8 ઠરાવો પસાર કરવામાંઆવ્યાની તેમજ એફિડેવિટમાં ખોટું નાગરિકત્વ દર્શાવી ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ થઈ હતી. જેને લઈને પ્રમુખ અને મંત્રી બંને દ્વારા બોડેલીના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જમીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.જેમાં બંને પક્ષે જોરદાર દલીલો કરવામાં આવી હતી. પરંતુ બોડેલીના એડિ. સેશન્સ જજ દ્વારા ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રીના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here