બોડેલીના અલીપુરામાં કપિરાજનો આતંક, એક ઘાયલ

0
Spread the love

બોડેલીના અલીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે કપિરાજે અત્યાર સુધી ત્રણ લોકો પર હુમલો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે ગઈકાલે સાંજે એક વ્યક્તિ પર કપિરાજે હુમલો કરી પગમાં બચકા ભરતા લોહી લુહાન થઇ ગયા હતા કપિરાજના આતંકને લઇ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

બોડેલીના અલીપુરા વિસ્તારમાં કપિરાજના હુમલાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે અલીપુરા વિસ્તારમાં આવેલ સમર્પણ સોસાયટીમાં રહેતા બિપિન ગામીત તેમના પત્ની સાથે ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરની બહાર ઓટલા પર બેઠા હતા ત્યારબાદ વાડામાં જઈ હાથ મોં ધોઈ ઘરમાં પરત આવતા કપિરાજે અચાનક હુમલો કર્યો હતો જેથી પગના ભાગે બચકું ભરતા માસના લોચા બહાર આવ્યા હતા બિપિનભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખાસેડ્યા તબીબે 35 ટાંકા લીધા હતા કપિરાજના હુમલાના બનાવને લઇ સમગ્ર અલીપુરા વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ લખાઈ રહ્યું છે ત્યારે વન વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પુરવા કોઈ તજવીજ હાથ ધરી નથી હુમલાના બનાવને લઇ વન વિભાગ સક્રિય બને તે ખુબ જરૂરી બન્યું છે થોડાક દિવસ પહેલા પણ અલીપુરાના અલગ અલગ વિસ્તારોમાં કપિરાજનો આતંક જોવા મળ્યો હતો જેને લઇ કપિરાજથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અલીપુરા વિસ્તારમાં કપિરાજના આતંકથી રહીશો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ગુરુકૃપ સોસાયટીમાં રહેતી બાળકી પર કપિરાજે હુમલો કર્યો હતો જેને લઇ પગમાં 10 ટાંકા આવ્યા હતા વર્જન મારા પતિ હાથ ધોતા હતા અને અંદર આવતા હતા ત્યારે કપિરાજે હુમલો કર્યો હતો મારી વિનંતી છે આ કપિરાજને પકડી લઇ જાય વન વિભાગ.બિપિનભાઈને 35 ટાંકા આવ્યા છે આગળ આવુ ન થાય તે માટે વન વિભાગ તેને પકડી છોડી આવે શર્મિલાબેન ગામીત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here