બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની સાઈડ પર આવેલ ઢાળનું આરસીસી લેયર છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં છે તંત્રની ગંભીર બેદરકારીના કારણે હોનારત સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સબંધિત તંત્ર દ્વારા મારમતની કામગીરી કરાઈ તેવી લોક માંગ ઉઠવા પામી છે

બોડેલીના મોરખલા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે અહીં મોરખલા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી કેનાલની સાઈડ પર આવેલ ઢાળનું આરસીસી તૂટેલી હાલમાં છે તંત્રની ગંભીર બેદરકારીના કારણે હોનારત સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે થોડાક સમયમાં ચોમાસાની ઋતુ શરુ થશે જેને લઇ કેનાલમાં પાણીના વહેણમાં પણ ફેરફાર થઇ શકે છે અને વરસાદ પાણી ઢાળ પરથી સીધું કેનાલમાં જશે

જેથી આ ભાગે પડશે તો માટી નું ધોવાણ થયા તેમ છે હાલમાં ઉનાળો ચાલતો હોઈ કેનાલમાં પાણીનુ જળ સ્તર નીચે છે જેને લઇ વહીવટી તંત્ર દ્વારા મરામતની કામગીરી સહેલાઇથી થઇ શકશે