બોડેલીના મોરખલા ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલની સાઈડની ઢાળનું આરસીસી લેયર તૂટ્યું, મરામતની માંગ ઉઠી

0
Spread the love

બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની સાઈડ પર આવેલ ઢાળનું આરસીસી લેયર છેલ્લા કેટલાક સમયથી તૂટેલી હાલતમાં છે તંત્રની ગંભીર બેદરકારીના કારણે હોનારત સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સબંધિત તંત્ર દ્વારા મારમતની કામગીરી કરાઈ તેવી લોક માંગ ઉઠવા પામી છે

બોડેલીના મોરખલા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે અહીં મોરખલા ગામ પાસે છેલ્લા કેટલાક સમયથી કેનાલની સાઈડ પર આવેલ ઢાળનું આરસીસી તૂટેલી હાલમાં છે તંત્રની ગંભીર બેદરકારીના કારણે હોનારત સર્જાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવે થોડાક સમયમાં ચોમાસાની ઋતુ શરુ થશે જેને લઇ કેનાલમાં પાણીના વહેણમાં પણ ફેરફાર થઇ શકે છે અને વરસાદ પાણી ઢાળ પરથી સીધું કેનાલમાં જશે

જેથી આ ભાગે પડશે તો માટી નું ધોવાણ થયા તેમ છે હાલમાં ઉનાળો ચાલતો હોઈ કેનાલમાં પાણીનુ જળ સ્તર નીચે છે જેને લઇ વહીવટી તંત્ર દ્વારા મરામતની કામગીરી સહેલાઇથી થઇ શકશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here