ભારતનાં “ઓપરેશન સિંદૂર” ની સફળતાને બોડેલીના નગરજનોએ આવકારી વિજયોત્સવ મનાવ્યો

0
Spread the love

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર ભારત દેશ આ બનાવથી શોકમગ્ન બન્યો ત્યારે આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પુણે ભરી નીતિ અને યોજના સાથે ભારતીય સૈન્ય એ વીરતા અને બહાદુરી પૂર્વક ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર એટેક કરી એમને નષ્ટ કરવામાં આવ્યા અને ઓપરેશન સિંદૂર ને સફળતાપૂર્વક પાર પાડતા આજે સમગ્ર ભારત દેશમાં ખુશીની લહેર પ્રસરી છે. પાકિસ્તાનને આજે ભારતીય સૈન્યની તાકાત નો પરચો બતાવી દીધો છે

ત્યારે આ ખુશીમાં સહભાગી થવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર રામચોક ખાતે બોડેલીનાં હિન્દુ સંગઠનનાં અગ્રણીઓ દિપકભાઈ વિજયવર્ગીય, રાજુભાઈ શાહ, અજીતસિંહ લાકોડ, જીગ્નેશ ચોકસી, નીરજ ઠક્કર, વિજયસિંહ રાઠોડ, અશ્વિનભાઈ શાહ, જૈમિત પાઠક વિગેરે સાથે નગરજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ભારતીય સેનાની વીરતા બહાદુરી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની કુનેહભરી નીતિની પ્રશંસા કરી પાકિસ્તાન મુર્દાબાદ… , હિન્દુસ્તાન જિંદાબાદ…, ભારત માતાકી જય.. ભારતીય સેના જિંદાબાદ ના નારા સાથે ઢોલ નગારાના તાલે નાચી ઝુમી પાકિસ્તાનના ઝંડાને સળગાવી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here