બોડેલીના સાગદરા ગામને જોડતા બ્રિજની પેરાફિટ તૂટેલી હાલતમાં, અકસ્માતની ભીતિ

0
Spread the love

બોડેલીના સાગદરા ગામ પાસે આવેલ નર્મદા મુખ્ય કેનાલની પેરાફિટનો એક ભાગ તૂટેલી હાલતમાં છે રાત્રીના સમયે અકસ્માતની ભીતિ વાહન ચાલકોમાં સેવાઈ રહી છે તંત્ર દ્વારા પેરાફિટ નવીન બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

બોડેલી તાલુકામાં બ્રીજોની પેરાફિટ જર્જરિત અને તૂટેલી હાલતમાં હોવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે બોડેલી મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ પર વાઘોડિયા સુધીના અન્ય ગામોને જોડતા બ્રીજોની પેરાફિટો નમેલી તેમજ તૂટલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે સાગદરા, અછાલી ગામને જોતા બ્રિજની પેરાફિટ છેલ્લા કેટલાક દિવસથી તૂટેલી હાલતમાં છે લોકોએ સાવચેતીના ભાગ રૂપે લાકડાની મુક્યા છે જો કે રાત્રીના સમયે અંધારાના કારણે દુર્ઘટના સર્જાઈ તેમ છે અછાલી, સાગદરા ગામના ખેડૂતોની ખેતી અન્ય વિસ્તારોમાં હોઈ જેથી સતત વાહનોની અવાર જવર રહેતી હોઈ છે જો કોઈ દુર્ઘટના સર્જાઈ તે પહેલા તંત્ર આ બાબતને ગંભીરતા થી લઇ પેરાફિટના એક ભાગની મરામત કરે તેવી માંગ ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here