બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર

0
Spread the love

બોડેલી | 22-10-2024

બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે બહુમતીથી પસાર થતા સમગ્ર તાલુકાનું રાજકરણ ગરમાયુ છે. વિકાસના કામો અને પંચાયતના અન્ય કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં ન આવતા હોય ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. બોડેલી તાલુકાની લઢોદ જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ બિનીતાબેન પરમાર ગ્રામ પંચાયત માં પોતાની મનમાની મુજબ કામ કરતા હોવાની સાથે સાથે વિકાસના કામો તેમજ પંચાયતની અન્ય બાબતોમાં પણ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપ સાથે ડેપ્યુટી સરપંચ સહિત સાત સભ્યો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા આવી હતી જેને લઈ આજે મંગળવારે આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી, બોડેલીની ઉપસ્થિતિમાં લઢોદની શારણેશ્વર વિદ્યાલય ખાતે ગ્રામ પંચાયતની એક અગત્યની મીટિંગ મળી હતી જેમાં ડેપ્યુટી સરપંચ ઉમેશભાઈ તડવી, મીનાબેન ઠાકોર, મયુર ભાટિયા, સંગીતાબેન તડવી, સરજુબેન તડવી, નયનાબેન નાયકા અને સુશીલાબેન દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવમાં મતદાન કરાતા સરપંચ વિરુદ્ધ 7 મતો પડ્યા હતા. આમ, સરપંચની વિરુદ્ધ વધુ મતો પડતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ બહુમતીથી પસાર કરવામાં આવી હતી . સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે ડે, સરપંચ ઉમેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે બોડેલીથી ટીઓડીઓ આવ્યા હતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત હતી તે પસાર થઈ છે આ જ દિન સુધી અમને કામોમાં વિશ્વાસમાં નથી લીધા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે અગ્રણી યશપાલસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે લઢોદ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તે પ્રસ્તાવ આજે પાસ થયો છે તાલુકા વિકાસ અધિકારી તરફથી અધિકારીઓ આવી આ પ્રસ્તાવની મંજૂરી આપી છે અઢી વર્ષ પહેલા જે ચૂંટણી થઇ હતી તે ચૂંટણીમાં સરપંચે મનમાની રાખીને સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ખોટા કામો કર્યા છે જેથી દરેક સભ્યોને વિરોધ હતો સાત સભ્યોએ તેમની વિરુદ્ધ પ્રસતાવ પાસ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here