બોડેલીના વૈષ્ણવ વાડી ખાતે આપનું કાર્યકર્તા સંમેલન યોજાયું

0
Spread the love

બોડેલીના વૈષ્ણવ વાડી ખાતે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં અવાનર જિલ્લા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી આ સાંમેલન કાર્યક્રમમાં આપના દિલ્હીના અને ગુજરાતના સહ પ્રભારી દુર્ગેશ પાઠક, ગુલાબભાઈ અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર હતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું છે આવનારી ચૂંટણીઓને લઇ જે કામગીરી કરવાની છે અને સાથે સાથે આ વિસ્તારમાં લોકોની જે સમસ્યાઓ છે આરોગ્ય, શિક્ષણ, સિંચાઈની બાબત હોઈ કે રોડ રસ્તાની કોઈ પણ જાતની ભૌતિક સુવિધાની બાબત હોઈ દરેકને વાંચા આપી શકાય તે બાબતે વિધાનસભાના આગેવાનો, પ્રભારી સહપ્રભારી સાથે ચર્ચાઓ થઇ છે સાથે સાથે આવનારા ભવિષ્યમાં પાર્ટીની મજબૂતી કઈ રીતે વધે તે તરફ પણ ચર્ચાઓ થઇ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આવતા હજુ 8-10 મહિના લાગશે તેવું મને લાગે છે ત્યારે હાલના તબબકે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here