અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઇંગ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુ:ખદ અવસાનના સમાચારથી રાજ્યભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દુ:ખદ ઘટના વચ્ચે એક વિચિત્ર અને દુઃખદ સંયોગ સામે આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ‘લકી નંબર’ ૧૨૦૬ હતો. તેમના તમામ વાહનોની નંબર પ્લેટ પર ૧૨૦૬ નંબર હંમેશા દેખાતો હતો. આજે થયેલા વિમાન દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું અને આજે મહિનાની ૧૨મી તારીખ અને ૬ઠ્ઠી તારીખ (જૂન) એટલે કે ૧૨.૦૬.૨૦૧૬ પણ છે.

આ દુઃખદ સંયોગે સૌને ચોંકાવી દીધા છે.વિજયભાઈ રૂપાણીના વાહનો તેમના નિવાસસ્થાને પાર્ક કરેલા છે, જેમની નંબર પ્લેટ પર ૧૨૦૬ નંબર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાથી લોકોમાં આશ્ચર્ય અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે કે આટલો મોટો સંયોગ કેવી રીતે બની શકે.