ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના વિજયભાઈ રૂપાણીનું ગુરુવારે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. તેમની સાથે અન્ય મુસાફરો અને લોકો પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, રાજકોટના વેપારીઓએ સ્વેચ્છિક અડધો દિવસ માટે પોતાની દુકાનો બંધ રાખી હતી.વિજયભાઈ રૂપાણીની દુકાન ગરડિયા કુઆડવા રોડ પર આવેલી હતી, અને તેઓ દર દિવાળીએ ચોપડા પુજન માટે પોતે દુકાને આવતા હતા. તેઓ વેપારીઓના દરેક નાના-મોટા મુદ્દાને ગંભીરતાથી સાંભળતા હતા અને નિરાકરણ માટે પ્રયત્ન કરતા હતા જ્યારે પણ વેપારી વર્ગને કોઈ મુશ્કેલી પડતી ત્યારે વિજયભાઈ મદદ કરવા આગળ આવતા હતા હવે તેઓ આપણી વચ્ચે નથી, વેપારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અડધો દિવસ બંધ રાખ્યો હતો અને કહ્યું હતું કે તેમની ખોટ ક્યારેય ભરાશે નહીં.