
રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતોની ઘટનાઓ વચ્ચે, હિંમતનગર-ઇડર હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર પાટીયા પાસે એક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક બસે રિક્ષાને ટક્કર મારતા ચાર લોકોના જ મોત થયા છે, જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.એક ઝડપી ગતિએ આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારતાં એક મહિલા અને રિક્ષા ચાલક અને અન્ય બે લોકોના મોત નીપજ્યા હતા. અન્ય બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.