IPL ફાઇનલમાં વરસાદ બની શકે છે વિઘ્ન, આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે મેચ, જાણો IMDનું એલર્ટ

0
Spread the love

મંગળવારે ગુજરાતના અમદાવાદમાં વરસાદ IPL ફાઇનલ મેચને અવરોધી શકે છે. ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી બાદ હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. IMD એ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સોમવારે અમદાવાદ ખૂબ જ ગરમી હતી. તાપમાનનો પારો 39 ડિગ્રી પર રહ્યો. 11 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ આવવાની ધારણા છે , પરંતુ હવામાન વિભાગે ફરી એકવાર IPL ફાઇનલ મેચને વરસાદથી અવરોધાય તેવી શક્યતા વ્યક્ત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચિંતામાં મૂકી દીધા છે. IPL 2025 ની ફાઇનલ મેચ મંગળવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ઇલેવન વચ્ચે રમાશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે . આ મેચ આરસીબી અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે રમાશે. ફાઈનલ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ મેટ્રો પણ મોડી રાત સુધી ઉપલબ્ધ રહેશે. આઈપીએલ ફાઈનલ મેચ પછી એવોર્ડ સમારોહ યોજાશે. તેમાં ઘણા વીઆઈપી હાજર રહે તેવી અપેક્ષા છે. અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રના વડા અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર, વરસાદની શક્યતા છે. આઈએમડીએ તેના એલર્ટમાં આ વાત શેર કરી છે. નોંધનીય છે કે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 ક્વોલિફાયર 2 વરસાદને કારણે ટોસ બાદ મોડી પડી હતી. 2023માં ભારે વરસાદને કારણે આઈપીએલ ફાઇનલ મુલતવી રાખવામાં આવી હતી. મેચ બીજા દિવસે રમાઈ હતી.ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અમદાવાદ એવા જિલ્લાઓમાંનો એક છે જ્યાં 3 જૂને કેટલાક સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જો IPL 2025 ફાઇનલ દરમિયાન વરસાદ પડે તો શું થશે? જો 3 જૂને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદને કારણે રમત વિક્ષેપિત થાય છે, તો આયોજકોએ સાંજે મેચ શરૂ કરવા માટે બે કલાકનો સમય આપ્યો છે. 4 જૂને રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. કમનસીબે, જો રિઝર્વ ડે પર પણ વરસાદને કારણે રમત ન રમાય, તો લીગ તબક્કામાં ઉચ્ચ ક્રમાંકિત ટીમને IPL 2025 ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here