મહેસાણાના વિજાપુરમાં દિવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકનાં મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા હતા. વિજાપુરના સુંદરપુર ગામમાં એક ઘરના નવીનીકરણ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, સુંદરપુર ગામના મહાદેવવાસમાં અતુલ ભીખાભાઈ પટેલ અને અશ્વિન જોઈતાભાઈ પટેલના નવા ઘર માટે જૂના મકાનને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન, એક જૂની ઇમારતની દિવાલ ધરાશાયી થઈ, જેમાં કામ કરતા ત્રણ કામદારો ફસાઈ ગયા, જેમાં ત્રણના મોત થયા અને ચાર ઘાયલ થયા.આ ઉપરાંત, કોન્ટ્રાક્ટર સહિત ચારથી પાંચ મજૂરો હજુ પણ દટાયેલા હોવાની માહિતી મળી રહી છે, જોકે, માહિતીની પુષ્ટિ થઈ શકી નથી. ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.