રાજકોટથી અમદાવાદ જતા હાઈવે પર અકસ્માતમાં 5ના મોત

0
Spread the love

અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસેના પુલ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજકોટથી અમદાવાદ જતી મીની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં પાંચ મુસાફરોના કરૂણ મોત નિપજ્યા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે સમગ્ર હાઇવે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. મિની બસમાં સવાર અન્ય 10 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે મૃતકની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અકસ્માતનું સાચું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here