રાજકોટ: મેકડોનાલ્ડ્સમાં વેજ બર્ગરની સાથે મીક્લ્યા નોનવેજ બર્ગર, ગ્રાહની ધાર્મિક લાગણી દુભાઈ

0
Spread the love

રાજકોટના રિલાયન્સ મોલમાં સ્થિત મેકડોનાલ્ડ્સમાં ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે ચિકન ધરાવતું નોન-વેજ બર્ગર આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં, વૈષ્ણવ ગ્રાહકના પરિવારના એક સભ્યએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાઈ લીધું હતું. બાદમાં જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી, જેના કારણે ગ્રાહકે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, બીજી તરફ, મેકડોનાલ્ડ્સના સંપર્ક અધિકારીએ આ સંદર્ભમાં ગ્રાહકો અને જનતાની માફી માંગી છે.
મળતી માહિતી અનુસાર, ગયા રવિવારે (23 ફેબ્રુઆરી) કેવલ વિરાણી નામના યુવકે સ્વિગી ડિલિવરી એપ દ્વારા પોતાના પરિવાર માટે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી પાર્સલમાં 4 વેજ અને 2 નોન-વેજ બર્ગર મળી આવ્યા હતા. પરિવારના એક સભ્યએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાધું. મેકડોનાલ્ડની આ ભૂલને કારણે, વૈષ્ણવ પરિવારના એક સભ્યને લાગ્યું કે તેનો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે.
આ અંગે, પીડિત ગ્રાહકે ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પીડિત ગ્રાહક કેવલ વિરાણીએ જણાવ્યું કે રવિવારે અમે રિલાયન્સ મોલમાં સ્થિત મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. જેમાં પાર્સલમાં એક વેજ બર્ગરને બદલે 4 વેજ અને 2 નોન-વેજ બર્ગર પણ મળી આવ્યા હતા. પરિવારના એક સભ્ય દ્વારા આકસ્મિક રીતે નોન-વેજ બર્ગર ખાઈ લેવામાં આવ્યું, જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાય છે. અમારું પરિવાર વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે અને ધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. જોકે એવું લાગે છે કે મેકડોનાલ્ડની બેદરકારીને કારણે અમારા પરિવારનો એક સભ્ય ભ્રષ્ટ થઈ ગયો છે. જેના કારણે ગ્રાહક કોર્ટમાં કેસ નોંધવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here