
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ફેબ્રુઆરી – માર્ચ 2025 ની HSC બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં પાવીજેતપુર તાલુકાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનું HSC નું 100 ટકા પરિણામ મેળવી ફરી એક વાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે. જેને લઇને શાળા સંચાલક મંડળના આધસ્થાપક મોહનસિંહ રાઠવા પ્રમુખ રણજીતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બોર્ડની પરીક્ષામાં ઝલહળતા પરીણામ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિઓને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુકાની શાહિદ શેખ તથા શિક્ષકો ને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળામાં પ્રતિક રાઠવા 620 ગુણ મેળવી પ્રથમ ક્રમે પરમેશકુમાર રાઠવા 594 ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને જયેશ રાઠવા 560 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરેલ છે