ડભોઈ
ડભોઇ તાલુકાના કાયાવરોહણ લકુલીશ મંદિરે દર વર્ષે શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે. સાંજે શિવજીકી સવારી સાથે ભગવાન શિવજી નો વરઘોડો કાઢવામાં આવશે. આ માટેની તડામાર તૈયારીઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલ છે.ગુજરાતનું કાશી ગણાતું એવું ડભોઈ તાલુકાનું તીર્થધામ કાયાવરોહણ ખાતે લકુલીશ ભગવાનનું મંદિર આવેલ છે. જ્યાં વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રીના દિવસે મેળામાં ખૂબ મોટી સખ્યામાં દૂર દૂર થી ભક્તો ઉમટી પડે છે અને લકુલીશ ભગવાનના દર્શન અમૂલ્ય લાવોલે છે. અને મહાશિવરાત્રીના દિવસે કાયાવરોહણ યુવા સંગઠન દ્વારા સાંજે ભગવાન શિવજી નો વરઘોડો જૂની પરંપરા મુજબ ગામમાં વાજતે ગાજતે નીકળે છે.
જેમાં અલગ અલગ વેશભુષા સાથે વરઘોડો કાઢવામાં આવે છે. કાયાવરોહણના યુવા સંગઠન દ્વારા શિવજીકી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો કાઢવામાં આવનાર છે. એ માટે યુવા સંગઠન દ્વારા તૈયારીઓ ચાલી રહેલ છે. દર વર્ષે ધામ ધુમ પૂર્વક લોકો આ શિવજીકી સવારી ના વરઘોડા માં ખુબ મોટી સંખ્યા માં જોડાય છે. મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ મંદિરના દ્વાર દર્શનાર્થે ખુલી જાય છે. આ દર્શનનો અમૂલ્ય લાભ લેવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ બેઠા છે.
તસવીર બાલકૃષ્ણ શાહ ડભોઇ